ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે નરોડા બેઠક પરથી NCPના ઉમેદવાર નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. તેમણે છેલ્લી ઘડીએ ફોર્મ પાછુ ખેંચી લીધું છે. હવે આ બેઠક પરથી મેઘરાજ ડોડવાણી ચૂંટણી લડશે. તમને જણાવી દઈએ કે નરોડા બેઠક પર એનસીપી અને કોંગ્રેસનું ગંઠબંધન થયું છે..
અમદાવાદની નરોડા બેઠક પર NCP અને કોંગ્રેસે ગઠબંધન કર્યુ છે. થોડા દિવસ પહેલા NCPએ નિકુલસિંહ તોમરને મેન્ડેટ આપ્યો હતો. જોકે નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની ના પાડી હતી. જેથી હવે NCPએ મેઘરાજ ડોડવાણીને ટિકિટ આપી છે.
આ કારણે નિકુલસિંહએ ચૂંટણી લડવાની ના પાડી
નરોડા બેઠક પર NCPએ નિકુલસિંહ તોમરને ટીકિટ આપી હતી. છેલ્લી ઘડીએ નિકુલસિંહે ચૂંટણી લડવાની ના પાડી દેતાં હવે તેમની જગ્યાએ મેઘરાજ ડોડવાણી ચૂંટણી લડશે. હવે સમીકરણ એવું છે કે નિકુલસિંહને ચૂંટણી લડવી હોય તો AMCના કોર્પોરેટર પદેથી રાજીનામું આપવું પડે એમ હોવાથી તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. હવે નરોડા બેઠક પર પેચ ફસાયો છે.
તમને જણાવી દઈએ કે, નરોડા બેઠક પર સિંધી સમાજનું પ્રભુત્વ છે. આ બેઠક વર્ષોથી ભાજપનું ગઢ ગણાય છે. ત્યારે હવે આ ચૂંટણીમાં NCPએ સિંધી આગેવાન મેઘરાજ ડોડવાણીને ટિકિટ આપી છે. નરોડા બેઠક પર NCPના મેઘરાજ ડોડવાણી, ભાજપના પાયલ કુકરાણી અને AAPના ઓમપ્રકાશ તિવારી વચ્ચે ટક્કર થશે.
