May 21, 2026
ગુજરાત

સાબરમતી નદીના કિનારે, રિવરફ્રન્‍ટ ઇવેન્‍ટ સેન્‍ટર ખાતે પ્રમુખવરણી અમૃત મહોત્‍સવની ભવ્‍ય ઉત્‍સવ સભાનું આયોજન કરાયું

સાબરમતી નદીના કિનારે, રિવરફ્રન્‍ટ ઇવેન્‍ટ સેન્‍ટર ખાતે પ્રમુખવરણી અમૃત મહોત્‍સવની ભવ્‍ય ઉત્‍સવ સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાં બી.એ.પી.એસ.ના સ્‍થાપક શાસ્‍ત્રીજી મહારાજે પ્રમુખસ્‍વામી મહારાજને ૧૯૫૦માં અમદાવાદમાં આંબલીવાળી પોળ ખાતે બી.એ.પી.એસ.ના આજીવન પ્રમુખ તરીકે નિયુક્‍ત કર્યાને ૭૫ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવી હતી.

પૂજ્‍ય પ્રમુખસ્‍વામી મહારાજના અથાક સેવા, નમ્રતા, કરુણા અને અન્‍યોના કલ્‍યાણ માટે સંપૂર્ણ સમર્પણ  જાતિ, સંપ્રદાય, રંગ કે પૃષ્ઠભૂમિના કોઈ પણ ભેદભાવ વિના જીવાયેલા તેમના જીવનને શ્રદ્ધાંજાલિ અર્પણ કરવામાં આવી હતી. સને ૧૯૫૦માં જે દિવસે તેમને પ્રમુખ તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા, તે જ દિવસે પ્રમુખ સ્‍વામી મહારાજે વાસણ ધોયા હતા, જે તેમની સેવા કરવાની અનોખી પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેઓના વૈશ્વિક સેવાકાર્યોમાં પ્રતિબિબિત થતો સેવાનો આ આદર્શ તેમના ૯૫ વર્ષના સેવામય જીવનની ઓળખ બની રહ્યો હતો.

મુખ્‍ય આકર્ષણોમાં સ્‍ટેજની રચના પ્રમુખસ્‍વામી મહારાજની આ ઐતિહાસિક યાત્રાને અનોખી રીતે દર્શાવી રહ્યું હતું. એક તરફ આંબળીવાળી પોળનું સુંદર નિર્મિત પ્રતીક હતું  તે પવિત્ર સ્‍થળ જ્‍યાં પ્રમુખ સ્‍વામી મહારાજને પ્રમુખ તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા હતા

https://www.instagram.com/reel/DSANU3rktNw/?igsh=MTZwMnNhenRjMnR6cQ==

Related posts

પોલીસ કમિશનર દ્વારા શહેરના ૩૧ પોલીસ ઇન્સ્પેક્ટર (પીઆઇ)ની આંતરિક બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા

Ahmedabad Samay

ગાંધીનગર: વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં એક જ દિવસમાં ૧૩૬૦ કરોડ રૂપિયાના રોકાણો માટે ૬ MoU થયાં

Ahmedabad Samay

ધૈર્યરાજને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં ૧૬ કરોડનું ઈન્જેકશન આપવામાં આવ્યું

Ahmedabad Samay

અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા કરીને પરત આવેલા ભક્તોની હાર્દિક પટેલે મુલાકાત કરી

Ahmedabad Samay

રાજ શેખાવત સામે સરકારના આકરા વલણ સમક્ષ કલેક્ટરશ્રી ને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમા પર જન્મ જ્યંતી નિમિત્તે ફુલહાર ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો