March 25, 2026
ગુજરાત

સાબરમતી નદીના કિનારે, રિવરફ્રન્‍ટ ઇવેન્‍ટ સેન્‍ટર ખાતે પ્રમુખવરણી અમૃત મહોત્‍સવની ભવ્‍ય ઉત્‍સવ સભાનું આયોજન કરાયું

સાબરમતી નદીના કિનારે, રિવરફ્રન્‍ટ ઇવેન્‍ટ સેન્‍ટર ખાતે પ્રમુખવરણી અમૃત મહોત્‍સવની ભવ્‍ય ઉત્‍સવ સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાં બી.એ.પી.એસ.ના સ્‍થાપક શાસ્‍ત્રીજી મહારાજે પ્રમુખસ્‍વામી મહારાજને ૧૯૫૦માં અમદાવાદમાં આંબલીવાળી પોળ ખાતે બી.એ.પી.એસ.ના આજીવન પ્રમુખ તરીકે નિયુક્‍ત કર્યાને ૭૫ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવી હતી.

પૂજ્‍ય પ્રમુખસ્‍વામી મહારાજના અથાક સેવા, નમ્રતા, કરુણા અને અન્‍યોના કલ્‍યાણ માટે સંપૂર્ણ સમર્પણ  જાતિ, સંપ્રદાય, રંગ કે પૃષ્ઠભૂમિના કોઈ પણ ભેદભાવ વિના જીવાયેલા તેમના જીવનને શ્રદ્ધાંજાલિ અર્પણ કરવામાં આવી હતી. સને ૧૯૫૦માં જે દિવસે તેમને પ્રમુખ તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા, તે જ દિવસે પ્રમુખ સ્‍વામી મહારાજે વાસણ ધોયા હતા, જે તેમની સેવા કરવાની અનોખી પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેઓના વૈશ્વિક સેવાકાર્યોમાં પ્રતિબિબિત થતો સેવાનો આ આદર્શ તેમના ૯૫ વર્ષના સેવામય જીવનની ઓળખ બની રહ્યો હતો.

મુખ્‍ય આકર્ષણોમાં સ્‍ટેજની રચના પ્રમુખસ્‍વામી મહારાજની આ ઐતિહાસિક યાત્રાને અનોખી રીતે દર્શાવી રહ્યું હતું. એક તરફ આંબળીવાળી પોળનું સુંદર નિર્મિત પ્રતીક હતું  તે પવિત્ર સ્‍થળ જ્‍યાં પ્રમુખ સ્‍વામી મહારાજને પ્રમુખ તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા હતા

https://www.instagram.com/reel/DSANU3rktNw/?igsh=MTZwMnNhenRjMnR6cQ==

Related posts

વિરમગામ – હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દ્વારા પેરીડોમેસ્ટિક કામગિરી ઉપરાંત પોરાનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યુ

Ahmedabad Samay

અમદાવાદ – સાબરમતી જેલના કેદીઓએ ભારતના પ્રજ્ઞાચક્ષુઓ માટે 4,500 ઓડીયો બુક બનાવી રચ્યો ઇતિહાસ

Ahmedabad Samay

ભારત જોડો યાત્રા 2.0 : શું રાહુલ ગાંધી ગુજરાતથી પોતાના પ્રવાસની શરૂઆત કરી શકે છે?

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા રક્તદાન શિબિર યોજાયું કરાયું

Ahmedabad Samay

અમદાવાદ- પોલીસ વિભાગમાં 22 હજાર જગ્યાઓ ખાલી, હાઈકોર્ટમાં રાજ્ય સરકારે રજૂ કર્યો જવાબ

Ahmedabad Samay

અમદાવાદના અસારવા ખાતે અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘ઘરેલુ હિંસા અધિનિયમ 2005’ અન્વયે કાયદાકીય માર્ગદર્શક સેમિનારનું આયોજન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો