February 10, 2025
ગુજરાત

ચાંદખેડા પોલીસ સ્ટેશન તેમજ સોલા અને સાબરમતી પોલીસ સ્ટેશનના અમુક વિસ્તારો ગાંધીનગર પોલીસ કમિશનરના તાબા હેઠળ

અમદાવાદ પોલીસ કમિશનરના તાબામાંથી ત્રણ પોલીસ સ્ટેશનના અમુક વિસ્તારો ઓછા થવાથી શહેર પોલીસનું કામનું ભારણ ઓછું થશે. સોલા અને સાબરમતીના ક્યા વિસ્તારોનો સમાવેશ ગાંધીનગરમાં થશે તે અંગે કામગીરી ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવશે

ગાંધીનગર જિલ્લાને પોલીસ કમિશનોરેટ બનાવવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. જે મુજબ ગાંધીનગરના જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન,અમદાવાદ શહેરનું ચાંદખેડા પોલીસ સ્ટેશન તેમજ સોલા અને સાબરમતી પોલીસ સ્ટેશનના અમુક વિસ્તારનો સમાવેશ થશે

ગાંધીનગર પોલીસ કમિશનોરેટનું માળખું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં પોલીસ કમિશનર, ઝોન 1, ઝોન 2, ક્રાઈમ & ટ્રાફિક ડીસીપી અને સિક્યુરિટી ડીસીપી, દરેક ઝોનમાં બે એસીપીનો સમાવેશ કર્યો છે

 

સોલા,ચાંદખેડા અને સાબરમતીનો ગાંધીનગર કમિશનોરેટમાં સમાવેશ થનાર વિસ્તારની વિગતો એકત્ર કરવાની કામગીરી નાયબ પોલીસ અધિક્ષક કલોલને અને એલઆઈબીને શાખાને ગાંધીનગર પોલીસ કમિશનોરેટનો નકશો તૈયાર કરવાની જવાબદારી સોંપાઈ છે.

Related posts

ભરૂચમાં આગની ઘટનામાં મૃતકના પરિવારને ૪ લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે.

Ahmedabad Samay

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા ગયેલ IIM ના વિદ્યાર્થીને કોરોના થતા સુપર સ્પ્રેડર બન્યા

Ahmedabad Samay

મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ઓગસ્ટ સુધીમાં સંપૂર્ણ કાર્યરત્ થઇ જાય તેવી સંભાવના

Ahmedabad Samay

અમદાવાદ: ઘાટલોડિયાના 26 વર્ષીય વિદ્યાર્થીનું ટોરોન્ટોમાં ડૂબીને મોત, MBA કરવા માટે ગયો હતો કેનેડા

Ahmedabad Samay

૭૭ વર્ષીય નટુકાકા તરીકે વિખ્યાત એક્ટર ઘનશ્યામ નાયક કેન્સરની બીમારીના કારણે આજે અવસાન થયું છે.

Ahmedabad Samay

અમદાવાદનું લઘુતમ તાપમાન ૯ ડીગ્રીથી નીચે જવાની શક્યતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો