June 24, 2026
દેશ

ઈન્ડિગો 15 ડિસેમ્બર સુધી રદ કરાયેલી ફ્લાઇટ્સ માટે રિફંડની પ્રક્રિયા કરવામાં કરવામાં આવશે

ઇન્ડિગોએ સોમવારે સાંજે એક મોટી અપડેટ આપી છે. એરલાઇને જણાવ્યું હતું કે  15 ડિસેમ્બર સુધી રદ કરાયેલી ફ્લાઇટ્સ માટે રિફંડની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.

ઇન્ડિગોએ એમ પણ જણાવ્યું હતું કે ટિકિટમાં ફેરફાર અથવા રદ કરવા માટે કોઈ વધુ શુલ્ક લેવામાં આવશે નહીં. કંપનીએ X પર પોસ્ટ કર્યું- અસુવિધા બદલ અમને ખૂબ જ દુઃખ છે. અમારી ટીમો સ્થિતિ સામાન્ય બનાવવા માટે કામ કરી રહી છે.

ઈન્ડિગોના તાજેતરના અપડેટમાં એક મોટો ફેરફાર એ છે કે એરલાઈને રિફંડની તારીખ 48 કલાક આગળ વધારી દીધી છે. આનો અર્થ એ થયો કે રિફંડ હવે 5 ડિસેમ્બરને બદલે 3 ડિસેમ્બરથી જારી કરવામાં આવશે. આ કટોકટીનું પ્રમાણ દર્શાવે છે. અગાઉ શનિવારે, એરલાઈને જાહેરાત કરી હતી કે 5 થી 15 ડિસેમ્બર વચ્ચે બુક કરાયેલી ટિકિટો પર નો ક્વેશ્ચન આસ્ક્ડ પોલિસી લાગુ થશે અને સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે.

દરમિયાન, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે ઇન્ડિગોએ અત્યાર સુધીમાં ₹827 કરોડની 9.5 લાખ ટિકિટો માટે રિફંડ જારી કર્યું છે. આમાંથી મોટાભાગની લગભગ 6 લાખ ટિકિટો (₹569 કરોડ), 1 થી 7 ડિસેમ્બર વચ્ચેની ફ્લાઇટ્સ માટે હતી, જ્યારે સંકટ તેના ટોચ પર હતું.
મંત્રાલયે એરલાઇનને તમામ બાકી રિફંડ તાત્કાલિક ચૂકવવા અને જે મુસાફરોની મુસાફરી પ્રભાવિત થઈ છે તેમના પાસેથી રિશેડ્યુલિંગ ફી ન વસૂલવાનો નિર્દેશ આપ્યો. ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે ઉદાહરણ બેસાડવા માટે ઇન્ડિગો સામે કડક કાર્યવાહી કરી શકાય છે.

Related posts

રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયા (RBI) દેશમાં પ્‍લાસ્‍ટિક (પોલિમર) નોટો દાખલ કરવાનું વિચાર

Ahmedabad Samay

કેદારનાથ : હેલિકોપ્‍ટર ક્રેશ ની મોટી દુર્ઘટના બની, દુર્ઘટનામાં ભાવનગરની ૩ યુવતીઓ સહિત ૭ ના મોત

Ahmedabad Samay

ગુરુવારથી દુબઈમાં ફસાયેલા ભારતીયો ને પાછા લવાશે.

Ahmedabad Samay

ભારતીય હવામાન વિભાગે 9 મે 2026ના રોજ ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોમાં કુદરતી આફતની ચેતવણી આપી

Ahmedabad Samay

શોએબ અખ્તરે ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઉકેલ્યું

Ahmedabad Samay

દૂરદર્શન (પ્રસાર ભારતી)એ એની હિન્‍દી સમાચાર ચૅનલ ઝઝ ન્‍યુઝના લોગોને લાલમાંથી કેસરી રંગનો કરાયો, મમતા બેનરજીએ કર્યો વિરોધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો