January 17, 2026
Airport
ગુજરાત

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી અન્યત્ર જઈ રહેલ ઈન્ડિગોના મુસાફરો માટે એક એડવાઈઝરી જાહેર કરી

છેલ્લા એક સપ્તાહથી ઈન્ડિગો એરલાઈન્સની કથળી ગયેલ વિમાની સેવાને કારણે, એરપોર્ટ પર અફરાતફરી મચેલી જોવા મળતી હોય છે. આવા સંજોગોમાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી અન્યત્ર જઈ રહેલ ઈન્ડિગોના મુસાફરો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે.

એરપોર્ટના સત્તાવાળાઓ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, આગામી દિવસોમાં પણ ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ રદ અથવા તો ડિલે થવાની સંભાવનાઓ છે. જેને ધ્યાને લઈને મુસાફરોએ ઘરેથી એરપોર્ટ પર આવતા પહેલા જે તે ફ્લાઈટનું સ્ટેટસ ચકાસી લે. જેથી કરીને મુસાફરોને એરપોર્ટ પર આવ્યા પછી હેરાનગતીનો સામનો ના કરવો પડે.

જો કે, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ દ્વારા જાહેર કરાયેલ એડવાઈઝરીમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે, અમદાવાદથી અન્યત્ર જઈ રહેલા મુસાફરની સુવિધા માટે ગ્રાઉન્ડસ સ્ટાફ ફરજ બજાવી રહ્યાં છે. તેઓ મુસાફરોને પડતી હાલાકી દૂર કરવા માટે મદદરૂપ થશે.

Related posts

અમદાવાદ: બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે બદનક્ષી કેસમાં આજે મેટ્રો કોર્ટમાં સુનાવણી, ગુજરાતીઓનું અપમાન કરવાનો આરોપ

Ahmedabad Samay

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ટ્રેન ના પાટા પર સુતા ૧૫ મજુરો આવ્યા ટ્રેનની અડફેટે.

Ahmedabad Samay

ગાંધીનગર: રાજ્યની શાળાઓમાં ધો.1થી 8 સુધી ગુજરાતી ફરજિયાત, અમિત ચાવડાએ કહ્યું- વિદ્યાર્થીઓ માટે જ નહીં, સરકારી બાબૂઓ પણ…

Ahmedabad Samay

રક્ષાબંધન નિમિત્તે મહિલાઓ માટે BRTS બસોમાં મુસાફરી સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે

Ahmedabad Samay

દદુ ચેરીટેબલ ટ્રસ્ટના જુંગીસિંહ  ચૌહાણ અને તેજન્દ્રસિંહ જુંગીસિંહ ચૌહાણ દ્વારા ૨૫ બેડની સુવિધા કરાઇ

Ahmedabad Samay

ભરૂચમાં આગની ઘટનામાં મૃતકના પરિવારને ૪ લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો