છેલ્લા એક સપ્તાહથી ઈન્ડિગો એરલાઈન્સની કથળી ગયેલ વિમાની સેવાને કારણે, એરપોર્ટ પર અફરાતફરી મચેલી જોવા મળતી હોય છે. આવા સંજોગોમાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી અન્યત્ર જઈ રહેલ ઈન્ડિગોના મુસાફરો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે.
એરપોર્ટના સત્તાવાળાઓ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, આગામી દિવસોમાં પણ ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ રદ અથવા તો ડિલે થવાની સંભાવનાઓ છે. જેને ધ્યાને લઈને મુસાફરોએ ઘરેથી એરપોર્ટ પર આવતા પહેલા જે તે ફ્લાઈટનું સ્ટેટસ ચકાસી લે. જેથી કરીને મુસાફરોને એરપોર્ટ પર આવ્યા પછી હેરાનગતીનો સામનો ના કરવો પડે.
જો કે, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ દ્વારા જાહેર કરાયેલ એડવાઈઝરીમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે, અમદાવાદથી અન્યત્ર જઈ રહેલા મુસાફરની સુવિધા માટે ગ્રાઉન્ડસ સ્ટાફ ફરજ બજાવી રહ્યાં છે. તેઓ મુસાફરોને પડતી હાલાકી દૂર કરવા માટે મદદરૂપ થશે.
