February 5, 2026
Airport
ગુજરાત

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી અન્યત્ર જઈ રહેલ ઈન્ડિગોના મુસાફરો માટે એક એડવાઈઝરી જાહેર કરી

છેલ્લા એક સપ્તાહથી ઈન્ડિગો એરલાઈન્સની કથળી ગયેલ વિમાની સેવાને કારણે, એરપોર્ટ પર અફરાતફરી મચેલી જોવા મળતી હોય છે. આવા સંજોગોમાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી અન્યત્ર જઈ રહેલ ઈન્ડિગોના મુસાફરો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે.

એરપોર્ટના સત્તાવાળાઓ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, આગામી દિવસોમાં પણ ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ રદ અથવા તો ડિલે થવાની સંભાવનાઓ છે. જેને ધ્યાને લઈને મુસાફરોએ ઘરેથી એરપોર્ટ પર આવતા પહેલા જે તે ફ્લાઈટનું સ્ટેટસ ચકાસી લે. જેથી કરીને મુસાફરોને એરપોર્ટ પર આવ્યા પછી હેરાનગતીનો સામનો ના કરવો પડે.

જો કે, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ દ્વારા જાહેર કરાયેલ એડવાઈઝરીમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે, અમદાવાદથી અન્યત્ર જઈ રહેલા મુસાફરની સુવિધા માટે ગ્રાઉન્ડસ સ્ટાફ ફરજ બજાવી રહ્યાં છે. તેઓ મુસાફરોને પડતી હાલાકી દૂર કરવા માટે મદદરૂપ થશે.

Related posts

રાજ શેખાવત સામે સરકારના આકરા વલણ સમક્ષ કલેક્ટરશ્રી ને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

દમણમાં ભાજપે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે “ઇ-વિદ્યા એપ” નું અનાવરણ કર્યું

Ahmedabad Samay

સાણંદના વીંછિયા ખાતે સરકારી સહાય દ્વારા આત્મનિર્ભર બન્યું ‘આસ્થા સખી મંડળ’

Ahmedabad Samay

માસ્ક ન પહેરવા પર ફટકારવામાં આવતા ૫૦૦રૂ. દંડ સામે વિરોધ પ્રદર્શન કરતા એનસીપીના મહિલા પ્રમુખ રેશ્મા પટેલ સહિત અન્ય કાર્યકર્તાઓ ની અટકાયત

Ahmedabad Samay

વૃદ્ધ મહિલા ડોક્ટર પાસેથી ૧૯ કરોડથી વધુ ડિજિટલ એરેસ્ટ મામલે સ્ટેટ સાયબર સેલે વધુ ૮ આરોપીઓની ધરપકડ કરી

Ahmedabad Samay

લોકડાઉનમાં DTH યૂઝર્સ માટે એક ખરાબ સમાચાર છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો