January 17, 2026
દેશ

ઈન્ડિગો 15 ડિસેમ્બર સુધી રદ કરાયેલી ફ્લાઇટ્સ માટે રિફંડની પ્રક્રિયા કરવામાં કરવામાં આવશે

ઇન્ડિગોએ સોમવારે સાંજે એક મોટી અપડેટ આપી છે. એરલાઇને જણાવ્યું હતું કે  15 ડિસેમ્બર સુધી રદ કરાયેલી ફ્લાઇટ્સ માટે રિફંડની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.

ઇન્ડિગોએ એમ પણ જણાવ્યું હતું કે ટિકિટમાં ફેરફાર અથવા રદ કરવા માટે કોઈ વધુ શુલ્ક લેવામાં આવશે નહીં. કંપનીએ X પર પોસ્ટ કર્યું- અસુવિધા બદલ અમને ખૂબ જ દુઃખ છે. અમારી ટીમો સ્થિતિ સામાન્ય બનાવવા માટે કામ કરી રહી છે.

ઈન્ડિગોના તાજેતરના અપડેટમાં એક મોટો ફેરફાર એ છે કે એરલાઈને રિફંડની તારીખ 48 કલાક આગળ વધારી દીધી છે. આનો અર્થ એ થયો કે રિફંડ હવે 5 ડિસેમ્બરને બદલે 3 ડિસેમ્બરથી જારી કરવામાં આવશે. આ કટોકટીનું પ્રમાણ દર્શાવે છે. અગાઉ શનિવારે, એરલાઈને જાહેરાત કરી હતી કે 5 થી 15 ડિસેમ્બર વચ્ચે બુક કરાયેલી ટિકિટો પર નો ક્વેશ્ચન આસ્ક્ડ પોલિસી લાગુ થશે અને સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે.

દરમિયાન, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે ઇન્ડિગોએ અત્યાર સુધીમાં ₹827 કરોડની 9.5 લાખ ટિકિટો માટે રિફંડ જારી કર્યું છે. આમાંથી મોટાભાગની લગભગ 6 લાખ ટિકિટો (₹569 કરોડ), 1 થી 7 ડિસેમ્બર વચ્ચેની ફ્લાઇટ્સ માટે હતી, જ્યારે સંકટ તેના ટોચ પર હતું.
મંત્રાલયે એરલાઇનને તમામ બાકી રિફંડ તાત્કાલિક ચૂકવવા અને જે મુસાફરોની મુસાફરી પ્રભાવિત થઈ છે તેમના પાસેથી રિશેડ્યુલિંગ ફી ન વસૂલવાનો નિર્દેશ આપ્યો. ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે ઉદાહરણ બેસાડવા માટે ઇન્ડિગો સામે કડક કાર્યવાહી કરી શકાય છે.

Related posts

યુપીના ૨૭ જિલ્લાઓમાં ૧૧૪૦ કિ.મી.ના દાયરામાં ૨૦૦૦થી વધુ મૃતદેહો ગંગા નદીએ મળી આવી

Ahmedabad Samay

હજારો UPI વપરાશકર્તાઓને આજે ચુકવણી કરવામાં અને પૈસા ટ્રાન્‍સફર કરવામાં સમસ્‍યાઓનો સામનો કરવો પડયો

Ahmedabad Samay

“બંગાળમાં ચૂંટણી બાદની હિંસા પર NHRCનો રિપોર્ટ ,સુનાવણી માટે રાજ્ય બહાર ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના માટેની ભલામણ

Ahmedabad Samay

નવા આઇટી નિયમોનો ભારતના વોટ્સએપ યુઝર ઉપર અસર નહીં થાય : રવિશંકર પ્રસાદ

Ahmedabad Samay

શ્રીલંકા પ્રવાસ માટે શિખર ધવનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો

Ahmedabad Samay

૨૦૦૦₹ની નોટ બંધીની તમામ માહિતી, આ રહી સંપૂર્ણ સચોટ માહિતી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો