June 18, 2026
મનોરંજન

નોરા ફતેહી અને સંજય દત્તનું લેટેસ્ટ ટ્રેક ‘સરકે ચુનર તેરી સરકે’ હાલમાં સોશિયલ મીડિયા પર લોકપ્રિયતાને બદલે વિવાદોને કારણે ચર્ચામાં

બોલિવૂડ ડાન્સિંગ ક્વીન નોરા ફતેહી અને સંજય દત્તનું લેટેસ્ટ ટ્રેક ‘સરકે ચુનર તેરી સરકે’ હાલમાં સોશિયલ મીડિયા પર લોકપ્રિયતાને બદલે વિવાદોને કારણે ચર્ચામાં છે.

આ ગીતમાં વપરાયેલા બિભત્સ શબ્દો અને ડબલ મિનિંગ સંવાદોને કારણે ફિલ્મ ‘KD: ધ ડેવિલ’ ના મેકર્સને ભારે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિવાદમાં હવે ગીતકાર રકીબ આલમે ચોંકાવનારો ખુલાસો કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો છે.
“મેં ના પાડી હતી છતાં ગંદા શબ્દો રાખ્યા” ગીતકાર રકીબ આલમે સ્પષ્ટતા કરી છે કે આ ગીતના વિવાદાસ્પદ શબ્દો તેમણે લખ્યા નથી. તેમણે જણાવ્યું કે, “જ્યારે મને આ પ્રકારના શબ્દો લખવાનું કહેવામાં આવ્યું ત્યારે મેં સ્પષ્ટ ના પાડી દીધી હતી. મેં નિર્માતાઓને ચેતવણી આપી હતી કે આવા ગીતો સેન્સરશીપમાં ફસાશે. પરંતુ તેમણે મને માત્ર કન્નડ શબ્દોનો શાબ્દિક અનુવાદ કરવાનું કહ્યું હતું. ‘ચોસેગા’ અને ‘ચાતેગા’ જેવા શબ્દો મૂળ સંસ્કરણમાં હતા જેનો મેં વિરોધ કર્યો હતો.”

અપમાનિત અનુભવી રહ્યા છે ગીતકાર ‘પુષ્પા’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મના ગીતો લખનાર રકીબ આલમ આ ગીતને કારણે પોતાને અપમાનિત અનુભવી રહ્યા છે. તેમણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, ગીતના અંતે ખબર પડે છે કે આ બધું દારૂની બોટલ વિશે છે, પરંતુ ત્યાં સુધીમાં બધું એટલું ‘ગંદુ’ પીરસવામાં આવ્યું છે કે સાંભળવું મુશ્કેલ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, જ્યારે તેઓ અર્થપૂર્ણ ગીતો લખે છે ત્યારે કોઈ ધ્યાન નથી આપતું, પણ આવા વિવાદોમાં તેમનું નામ ખરાબ થાય છે.
નિર્માતાઓ માફી માંગશે અને નવું ગીત આવશે
સોશિયલ મીડિયા પર વધતા વિરોધને પગલે હવે ફિલ્મના નિર્માતાઓએ નમતું જોખ્યું છે.

રકીબ આલમે મંગળવારે સવારે આ ગીતનું એક નવું અને ‘સ્વચ્છ’ (Clean Version) સંસ્કરણ લખીને સબમિટ કર્યું છે. જેનું રેકોર્ડિંગ પણ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, મંગળવારે સાંજે નિર્માતાઓ એક જાહેર માફી પત્ર સાથે આ ગીતનું સુધારેલું સંસ્કરણ રિલીઝ કરશે.
નોરા ફતેહીના આ ગીતે ફરી એકવાર ફિલ્મોમાં વધતી અશ્લીલતા અને ડબલ મિનિંગ ગીતો સામે એક નવી ચર્ચા છેડી દીધી છે.

Related posts

રાજ કપૂરે લતા મંગેશકરને જાહેરમાં બદસૂરત કહ્યા હતા, પછી જ્યારે ભુલ સમજાઈ ત્યારે આ કામ કર્યુ તુ…..

Ahmedabad Samay

શું ગોવિંદા તેની ડૂબતી કારકિર્દી માટે ખરેખર જવાબદાર હતાં.. આ અભિનેતા આ સત્ય જણાવ્યું…!

Ahmedabad Samay

એક્શન-થ્રિલર ફિલ્મ ‘ડોન 3’માં કામ કરશે કિયારા

Ahmedabad Samay

પૂનમ પાંડે, મોડેલ અને રિયાલિટી ટીવી સ્ટાર, સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ પામી

Ahmedabad Samay

એનિલ્મ મુવી માટે મુંબઇના થિયેટરમાં આ ફિલ્‍મનું ૨૪ કલાક સ્‍ક્રિનીંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો

Ahmedabad Samay

‘રામાયણ’ સ્ટાર ભારત પર ચાલુ કરાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો