July 22, 2026
ગુજરાતરાજકારણ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા અમદાવાદ જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીઓ માટે નામ જાહેર

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા અમદાવાદ જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીઓ માટેના ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આજરોજ શ્રી કમલમ્ ગાંધીનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને પ્રદેશ ચૂંટણી સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઊંડાણપૂર્વકની ચર્ચા-વિચારણાના અંતે અમદાવાદ જિલ્લાની તમામ બેઠકો માટે સક્ષમ ઉમેદવારોના નામો પર આખરી મહોર મારવામાં આવી હતી. પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડો. પ્રશાંત કોરાટની સહી સાથે આ યાદી જાહેર કરવામાં આવી છે.

 

ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં સામાજિક સમીકરણોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લા પંચાયતની વિવિધ બેઠકો પર જાહેર થયેલા ઉમેદવારોના નામ નીચે મુજબ છે:

 

અસલાલી બેઠક પરથી શ્રીમતી લીલાબેન મહેશભાઇ સોનારા, બદરખાથી શ્રીમતી લક્ષ્મીબેન મુકેશભાઇ ઠાકોર અને ભુવાલડી બેઠક પરથી શ્રીમતી શીતલબેન હરેશભાઈ ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. ચાંગોદર બેઠક માટે મહેશકુમાર મફાજી પરમાર, ચેખલા માટે પુષ્પરાજસિંહ જીતેન્દ્રસિંહ વાઘેલા, જ્યારે દેત્રોજ બેઠક પર શ્રીમતી રંજનબા નવુભા સોલંકીની પસંદગી કરવામાં આવી છે. ધોલેરામાં શ્રીમતી ભાવનાબેન રાજેશભાઇ ધારાણી, ગલસાણામાં શ્રીમતી શીતલબેન મહેશભાઇ વડદરીયા અને અન્ય એક બેઠક પર શ્રીમતી દક્ષાબેન જગદીશભાઇ ડાભી ચૂંટણી મેદાનમાં ઉતરશે.

 

યાદીમાં આગળ વધતા, ઘોડા બેઠક પરથી શ્રીમતી ભાવનાબેન જગદીશભાઇ વડલાણી, હડાળાથી સુરજીતસિંહ વખતસિંહ ગોહિલ, હેબતપુરથી સાગરભાઇ ગભરૂભાઇ સોલંકી અને કરકથલથી વિષ્ણુભાઇ ગટોરભાઇ જાદવના નામ જાહેર કરાયા છે. ડાસીન્દ્રા બેઠક પર શ્રીમતી મધુબેન રમેશભાઇ ઠાકોર, કૌકા બેઠક પર કનુભાઇ મંગાભાઇ ભરવાડ, કાવીઠા બેઠક પર શ્રીમતી છાયાબેન જીતેન્દ્રસિંહ ચૌહાણ અને કોઠ બેઠક પર શ્રીમતી નિરૂબેન ભરતસિંહ વેગડ ચૂંટણી લડશે. કુહા બેઠક માટે અશોકભાઇ ફતાભાઇ ખાંટ, કુંજાડ માટે સુરેશભાઇ રમણભાઇ પટેલ અને માંડલ બેઠક માટે શ્રીમતી ઇન્દુબેન મહેશભાઇ પટેલની પસંદગી થઈ છે.

 

અમદાવાદ જિલ્લાની બાકીની બેઠકો પર પણ ભાજપે મજબૂત ચહેરાઓ ઉતાર્યા છે. માણકોલ બેઠક પર તરશીભાઇ નરશીભાઈ પરમાર, મોડાસર બેઠક પર શ્રીમતી હેતલબેન અશોકભાઇ પરમાર અને મોરૈયા બેઠક પર મહેન્દ્રભાઇ વાલજીભાઇ પરમારના નામની જાહેરાત કરાઈ છે. નાંદેજમાં શ્રીમતી ભાવિબેન નીખીલભાઇ પટેલ, નાનોદરામાં ગિરીશભાઇ કેશુભાઇ ડાભી અને સચાણામાં પ્રમોદભાઇ બળદેવભાઇ પટેલ પક્ષનું પ્રતિનિધિત્વ કરશે.

 

સાથળ બેઠક પર નવીનભાઇ અરવિંદભાઇ વસાવા, શાહપુરમાં શ્રીમતી સેજલબેન હસમુખભાઇ બખુડિયા, શિયાળમાં રમેશભાઇ જેસિંગભાઈ મકવાણા અને સીંગરવા બેઠક પર કુંજનસિંહ ગોવિંદસિંહ ચૌહાણને જવાબદારી સોંપવામાં આવી છે. અંતમાં સીતાપુર બેઠક પરથી અમરસિંહ અણદાજી ઠાકોર, સુંવાળા બેઠક પરથી શંભુભાઇ હરગોવનભાઇ પટેલ, વટામણ બેઠક પરથી શ્રીમતી ભગવતિબેન કિશનભાઈ મકવાણા અને વિરોચનનગર બેઠક પરથી શ્રીમતી હંસાબેન હસમુખભાઇ જાદવના નામની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે.

Related posts

અમદાવાદના કઠવાડા GIDC વિસ્તારમાં ચાલતા કાજુના એક મોટા કાળા કારોબારનો પર્દાફાશ થયો

Ahmedabad Samay

આજથી ૫૦ વર્ષ માટે અમદાવાદ એરપોર્ટ અદાણી ગ્રૂપને સોંપાયું

Ahmedabad Samay

બાપા સીતારામ ગ્રુપ દ્વારા ધૈર્ય રાજ માટે ૨.૫૧.૫૦૧ રૂ. ફાળો એકત્રિત કરાયો

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ  આજે ભાજપ વર્કશોપમાં હાજરી આપી હતી. પીએમ મોદી વર્કશોપમાં સામાન્ય સાંસદની જેમ છેલ્લી હરોળમાં બેઠા જોવા મળ્યા

Ahmedabad Samay

રાજકોટ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ સ્પોર્ટ કોમ્પિટિશનમાં કરણસિંહ ખેંગારે અને અમિત યાદવ ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યું

Ahmedabad Samay

ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ લવ જેહાદને લઈ મોટુ નિવેદન આપ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો