August 23, 2026
અપરાધગુજરાત

વસ્તી ગણતરીના નામે થતી છેતરપિંડીથી સાવધાન  રહેવા  ગુજરાત પોલીસે જાહેર જનતાને અપીલ

વસ્તી ગણતરીના નામે થતી છેતરપિંડીથી સાવધાન  રહેવા  ગુજરાત પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે

ગુજરાત સહિત દેશના મોટાં ભાગના રાજ્યોમાં ડિજીટલ વસ્તી ગણતરીની શરૂઆત થતાં હવે ડિજિટલ ફ્રોડનું એક નવું રૂપ જોવા મળ્યું છે
આજના ડિજિટલ યુગમાં સાયબર ગુનેગારો અવનવી ટેકનીક દ્વારા લોકોને છેતરી રહ્યા છે. ત્યારે તાજેતરમાં ગુજરાત સહિત દેશના મોટાં ભાગના રાજ્યોમાં ડિજીટલ વસ્તી ગણતરીની શરૂઆત થતાં હવે ડિજિટલ ફ્રોડનું એક નવું રૂપ જોવા મળ્યું છે.

વસ્તી ગણતરી(સેન્સસ)ના બહાને નાગરિકોને શિકાર બનાવવાનું એક મોટું સાયબર કૌભાંડ સામે આવ્યું છે. સાયબર માફિયાઓ દ્વારા આચરવામાં આવતી આ છેતરપિંડીથી રાજ્યના નાગરિકો સુરક્ષિત રહે તે હેતુથી ગુજરાત પોલીસ દ્વારા એક મહત્વની એડવાઈઝરી જાહેર કરીને લોકોને સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે. કપટી તત્વોથી સાવધાન રહેવા અને સહેજ પણ બેદરકારી ન દાખવવા પોલીસ તંત્ર દ્વારા ખાસ અનુરોધ કરાયો છે.

વસ્તી ગણતરીનાં નામે છેતરપિંડીની નવી તરકીબો

વસ્તી ગણતરીની પ્રક્રિયાનાં ભાગરૂપે અજાણ્યા નંબરો પરથી નાગરિકોને અંગત વિગતો અપડેટ કરવા આવતા ફોન, મેસેજ કે વોટ્સએપ
નકલી લિંક કે અજાણી એપ્લિકેશન (APK ફાઈલ) ડાઉનલોડ કરવા માટે થતો આગ્રહ
આ બાબતે ગુજરાત પોલીસે પોલીસે ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ નાગરિક આવી નકલી લિંક ઓપન કરે છે કે અજાણી એપીકે(APK) ફાઈલ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરે છે, તો તેનાથી તેમનો આખો ફોન હેક થઈ શકે છે. ફોન હેક થતાં જ સાયબર ગુનેગારો બેંકિંગ વિગતો ચોરીને ગણતરીની મિનિટોમાં જ નાગરિકોનું આખું બેંક ખાતું સાફ કરી શકે છે અને મોટું આર્થિક નુકસાન પહોંચાડી શકે છે.
કેન્દ્ર કે રાજ્ય સરકાર ક્યારેય પણ વસ્તી ગણતરીના કામકાજ માટે ફોન પર કોઈ ઓટીપી(OTP), બેંક ખાતાની વિગતો કે આધાર કાર્ડની ગુપ્ત માહિતી માંગતી નથી તેની નાગરિકોને ખાસ નોંધ લેવા અને સજાગ રહેવા ગુજરાત પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. ‘જાગૃત બનો, સુરક્ષિત રહો’ના સૂત્ર સાથે પોલીસે તમામ નાગરિકોને આ સાયબર ફ્રોડથી બચવા અને અન્યોને પણ જાગૃત કરવા આહવાન કર્યું છે.

Related posts

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી ૧૬ વર્ષીય કિશોરીનું કોરોનાને કારણે કરુણ મોત

Ahmedabad Samay

ઇન્ડિયા કિડસ ફેશન વિકમાં અમદાવાદ શહેરમાં “ હેતક્ષ પ્રકાશભાઇ જાની” ની પસંદગી કરવામાં આવી

Ahmedabad Samay

આજથી અહીં રિવર ક્રૂઝની સવારીનો આનંદ પણ માણી શકાશે.

Ahmedabad Samay

અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલી 400 વર્ષ જૂની મંસા મસ્જિદનો એક ભાગ રોડ પહોળો કરવા માટે તોડી પાડવામાં આવશે

Ahmedabad Samay

ગીતાબા ચાવડા દ્વારા આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ કરાયું,સુંદર કાર્યભાર બદલ ભાસ્કર ભટ્ટ દ્વારા જનસંપર્ક કાર્ય ખાતે મુલાકાત કરાઇ

Ahmedabad Samay

ગુજરાત યુનિવર્સિટી ખાતે કન્યા છાત્રાલયમાં પ્રવેશોત્સવ, મહિલા-બાળ કલ્યાણ મંત્રીએ કંકુ-ચોખાથી વિદ્યાર્થિનીઓને આવકારી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો