May 25, 2026
ગુજરાત

અમદાવાદમાં ‘Sunday on Cycles’ અભિયાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ફિટ ઇન્ડિયા ચળવળને આગળ ધપાવવા અમદાવાદમાં ‘Sunday on Cycles’ અભિયાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કોમનવેલ્થ ગેમ્સની થીમ પર યોજાયેલા આ મહાકુંભનું નેતૃત્વ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ કર્યું હતું. તેમની સાથે ગુજરાતના ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ પણ સાયકલ ચલાવીને નાગરિકોને ફિટનેસનો સંદેશ આપ્યો હતો.

ડિસેમ્બર 2024માં દેશભરમાં શરૂ થયેલી આ સાયકલિંગ ચળવળે હવે રાષ્ટ્રવ્યાપી ચળવળનું સ્વરૂપ લીધું છે. ડૉ. માંડવિયાએ જણાવ્યું કે ‘Sundays on Cycle’ એ યુવાનોની માનસિકતા બદલી છે અને ફિટનેસ હવે વ્યક્તિગત પ્રવૃત્તિ ન રહેતા સામૂહિક ઉજવણી બની છે. આ અભિયાન દ્વારા સ્વસ્થ જીવનશૈલી, સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ ફેલાવાઈ રહ્યો છે.

આ ઇવેન્ટમાં યુવાનોને પ્રેરિત કરવા માટે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા આયુષ્માન ખુરાના ઉપરાંત દેશનું ગૌરવ વધારનારા ઓલિમ્પિક અને કોમનવેલ્થ મેડલ વિજેતા ખેલાડીઓ પણ સાયકલ ટ્રેક પર ઉતર્યા હતા. જેમાં ભારતીય મહિલા હોકી ટીમની દિગ્ગજ ખેલાડીઓ ગુરજીત કૌર, રજની એતિમારપુ અને સોનિકા ટાન્ડી, જાણીતા શૂટર્સ અંકુર મિત્તલ અને અંજુમ મુદગિલ તેમજ બેડમિન્ટન સ્ટાર તૃપ્તિ મુરગુન્ડેનો સમાવેશ થાય છે.

ડૉ. માંડવિયાએ કહ્યું કે “આપણે આ આધુનિક પેઢીમાં સાયકલ ચલાવવાનો ટ્રેન્ડ બનાવવો પડશે. ફિટનેસ અને સ્વચ્છતા સાથે સાથે ચાલે છે. નાના કે મોટા, દરેક વ્યક્તિએ વિકસિત ભારત માટે પોતાનું યોગદાન આપવું જોઈએ.”દેશભરમાં 6,000થી વધુ સ્થળોએ એકસાથે આયોજિત આ ડ્રાઇવમાં સ્વચ્છતા સેનાની, પોલીસ, NYKS, NSS, MYBharatના સ્વયંસેવકો પણ જોડાયા હતા.

Related posts

ટ્રાફિક પોલીસ દ્વારા BRTS કોરિડોરમાં વાહનચલાવતા વાહનચાલકો પાસેથી અંદાજીત રૂ.85,000નો દંડ વસૂલયો, જનતાન મત પ્રમાણે જો જાહેર માર્ગ પર ટ્રાફિક સમસ્યા દૂર કરે તો BRTS કોરિડોર કોઈ જાય જ નહીં

Ahmedabad Samay

CTM ખાતે આવેલ પાથરણ બજાર વાળા દ્વારા ભીખ માગવાનો પ્રતિકાત્મક કાર્યક્રમ યોજી રોજીરોટી શરૂ કરવા માંગ કરવામાં આવેલ

Ahmedabad Samay

અમદાવાદ: મીઠાખળીમાં વધુ એક જર્જરિત મકાન ધરાશાયી, મનપાની ઉતારવાની કામગીરી વખતે અચાનક પડ્યું, બે મજૂર દટાયા

Ahmedabad Samay

અસારવાના પૂર્વ કાઉન્સિલર સુમનકંવર રાજપુત દ્વારા ધૈર્યરાજસિંહ ને બચાવવા જુમબેશ ચલાવી

Ahmedabad Samay

ભવાનીસિંહ શેખાવત, ગજેન્દ્રસિંહ રાઠોડ અને તેમની ટીમ દ્વારા ૧૧૦૦ જેટલા માસ્કનું વિતરણ કરાયુ

Ahmedabad Samay

દેશના૧૩ રાજ્ય પૂરતું જ રહેશે લોકડાઉન ૫.૦

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો