August 7, 2026
ગુજરાતતાજા સમાચાર

શ્રી હાંડેના મહોલ્લાના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા તારીખ ૨૫ થી ૩૧ માર્ચ સુધી ઉદ્યોજક સોહળા / ખાદ્ય મહોત્સવ અને ગુડી પડવા નું ભવ્ય કાર્યક્રમ આયોજન કરાયું

અમદાવાદ શહેરના રાયખડ સ્થિત શ્રી હાંડેના મહોલ્લાના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ ઘણા વર્ષોથી સમાજલક્ષી કાર્યક્રમોનું આયોજન કરતું આવ્યું છે. દર વર્ષના જેમ આ વર્ષે પણ તા. ૨૯/૦૩/૨૦૨૫ શનિવારથી તા. ૩૧/૦૩/૨૦૨૫ સોમવાર સુધી ગુડી પડવા મહોત્સવ-૨૦૨૫નું  ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

જેના ભાગરૂપે તા. ૨૯/૦૩/૨૦૨૫ ઉદ્યોજક સોહળા / ખાદ્ય મહોત્સવ ૨૦૨૫ ઉજવવામાં આવવાનો છે જેમાં
શહેરમાં વસતા મરાઠી લોકોને પોતાના વ્યવસાયને આગળ વધારવા તથા ઓળખ અપાવવાના હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવેલ છે. આ કાર્યક્રમનું ઉદ્દઘાટન અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનના વરદહસ્તે કરવામાં આવવાનું છે,

આ કાર્યક્રમ સાંજે ૦૪:૦૦ વાગ્યે શરૂ થઈ રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી શ્રી બળવંતરાય ઠાકોર કમ્યુનિટી હાલ, કાંકરિયા ગેટ નં ૦૧, કાંકરિયા, અમદાવાદ ખાતે આયોજિત કરવામાં આવેલ છે.

તદ્દ ઉપરાંત તા. ૩૦/૦૩/૨૦૨૫ના રોજ હિન્દૂ નવ વર્ષ ગુડી પડવાના નિમિતે શોભાયાત્રા સાંજે ૦૪:૦૦ વાગ્યે શ્રી કાશી વિશ્વનાથ મંદિર, રાયખડથી પ્રસ્થાન કરી શહેરના રાયપુર દરવાજા, કાંકરિયા, એલ જી હોસ્પિટલ, ખોખરા, દક્ષિણી સોસાયટી, સ્મૃતિ મંદિર, ઇસનપુર, ગોવિંદવાડી, જવાહર ચોક,  ઢોરબજાર,  ભુલાભાઈ પાર્ક, બહેરામપુરા, જમાલપુર દરવાજા અને ગાયકવાડ હવેલી થઈ સાંજે ૦૬:૦૦ વાગ્યે મંદિરના નિજધામ પરત ફરશે. ત્યાર બાદ સાંજે ૦૭:૦૦ વાગ્યાથી માતૃ પિતૃ વંદનાનો કાર્યક્રમ યોજાશે અને સ્નેહમિલન તથા મહાઆરતી કરી ૦૮:૦૦ વાગ્યે મહાપ્રસાદ/ભોજનનું આયોજન કરેલ છે.

શ્રી હાંડેના મહોલ્લાના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા આ સમગ્ર કાર્યક્રમમાં હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અને  સામાજિક ઉત્કર્ષ, સંસ્કૃતિસંવર્ધનના આ મહોત્સવનું લાભ લેવા વિનંતી કરવામાં આવી છે.

Related posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પાઈન ડિપાર્ટમેન્ટમાં આ સમસ્યાનો ઉકેલ, સ્પેશિયલ સ્પાઇન શૂઝ બનાવી આપવામાં આવશે

Ahmedabad Samay

રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ સાથે મુલાકાત બાદ મહંત દિલીપદાસજીએ સરકાર તરફી નિવેદન આપતાં આશ્ચર્ય

Ahmedabad Samay

મીઠાખળી ગામનું ત્રણ માળનું અતિ જર્જરિત મકાન ભારે વરસાદના મારથી પડી ભાંગ્યું,૪ નો બચાવ કરવામાં આવ્યું અને એકનું મૃત્યુ થયેલ છે

Ahmedabad Samay

લોકડાઉનમાં બંધ રહેવાને કારણે સ્ટ્રીટ ફૂડવાનનું ભાડું માફ,ટેક્સ રીબેટની મુદત વધારીને 15 જુલાઈ કરવામાં આવી

Ahmedabad Samay

મેમકો વિસ્તારમાં પોલીસના હપ્તા ખોરીના કારણે સુરત વાડી ઘટના બનતી રહી ગઇ,મેમકો વિસ્તારમાં બન્યો છેડતીનો બનાવ

Ahmedabad Samay

નિકુલસિંહ તોમર: એક એવો નેતા જેના માટે પ્રજાલક્ષી કાર્ય કરવા માટે મત વિસ્તારની જરૂર નથી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો