August 23, 2026
અપરાધગુજરાત

વસ્તી ગણતરીના નામે થતી છેતરપિંડીથી સાવધાન  રહેવા  ગુજરાત પોલીસે જાહેર જનતાને અપીલ

વસ્તી ગણતરીના નામે થતી છેતરપિંડીથી સાવધાન  રહેવા  ગુજરાત પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે

ગુજરાત સહિત દેશના મોટાં ભાગના રાજ્યોમાં ડિજીટલ વસ્તી ગણતરીની શરૂઆત થતાં હવે ડિજિટલ ફ્રોડનું એક નવું રૂપ જોવા મળ્યું છે
આજના ડિજિટલ યુગમાં સાયબર ગુનેગારો અવનવી ટેકનીક દ્વારા લોકોને છેતરી રહ્યા છે. ત્યારે તાજેતરમાં ગુજરાત સહિત દેશના મોટાં ભાગના રાજ્યોમાં ડિજીટલ વસ્તી ગણતરીની શરૂઆત થતાં હવે ડિજિટલ ફ્રોડનું એક નવું રૂપ જોવા મળ્યું છે.

વસ્તી ગણતરી(સેન્સસ)ના બહાને નાગરિકોને શિકાર બનાવવાનું એક મોટું સાયબર કૌભાંડ સામે આવ્યું છે. સાયબર માફિયાઓ દ્વારા આચરવામાં આવતી આ છેતરપિંડીથી રાજ્યના નાગરિકો સુરક્ષિત રહે તે હેતુથી ગુજરાત પોલીસ દ્વારા એક મહત્વની એડવાઈઝરી જાહેર કરીને લોકોને સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે. કપટી તત્વોથી સાવધાન રહેવા અને સહેજ પણ બેદરકારી ન દાખવવા પોલીસ તંત્ર દ્વારા ખાસ અનુરોધ કરાયો છે.

વસ્તી ગણતરીનાં નામે છેતરપિંડીની નવી તરકીબો

વસ્તી ગણતરીની પ્રક્રિયાનાં ભાગરૂપે અજાણ્યા નંબરો પરથી નાગરિકોને અંગત વિગતો અપડેટ કરવા આવતા ફોન, મેસેજ કે વોટ્સએપ
નકલી લિંક કે અજાણી એપ્લિકેશન (APK ફાઈલ) ડાઉનલોડ કરવા માટે થતો આગ્રહ
આ બાબતે ગુજરાત પોલીસે પોલીસે ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ નાગરિક આવી નકલી લિંક ઓપન કરે છે કે અજાણી એપીકે(APK) ફાઈલ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરે છે, તો તેનાથી તેમનો આખો ફોન હેક થઈ શકે છે. ફોન હેક થતાં જ સાયબર ગુનેગારો બેંકિંગ વિગતો ચોરીને ગણતરીની મિનિટોમાં જ નાગરિકોનું આખું બેંક ખાતું સાફ કરી શકે છે અને મોટું આર્થિક નુકસાન પહોંચાડી શકે છે.
કેન્દ્ર કે રાજ્ય સરકાર ક્યારેય પણ વસ્તી ગણતરીના કામકાજ માટે ફોન પર કોઈ ઓટીપી(OTP), બેંક ખાતાની વિગતો કે આધાર કાર્ડની ગુપ્ત માહિતી માંગતી નથી તેની નાગરિકોને ખાસ નોંધ લેવા અને સજાગ રહેવા ગુજરાત પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. ‘જાગૃત બનો, સુરક્ષિત રહો’ના સૂત્ર સાથે પોલીસે તમામ નાગરિકોને આ સાયબર ફ્રોડથી બચવા અને અન્યોને પણ જાગૃત કરવા આહવાન કર્યું છે.

Related posts

RTOના અધિકારી અને કર્મચારી ડબલ શિફટમાં કામ કરશે

Ahmedabad Samay

કેન્દ્ર સરકાર ના વિવિધ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન માં ખેડૂતો સાથે ભાજપ ના આગેવાનો દ્વારા છેતરપિંડી કરાઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા ની રજુઆત

Ahmedabad Samay

ગરમીનાં કારણે શાહરુખ ખાનને લૂ લાગવાથી ડીહાઇડ્રેશન થતાં KD હોસ્પિટલ લઇ જવામાં આવ્યા

Ahmedabad Samay

એએમએ દ્રારા ડૉ. વિક્રમ સારાભાઈની ૧૦૪મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

વીર છત્રપતિ શિવાજી મહારાજની જ્યંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું

Ahmedabad Samay

સિટીએમ ચાર રસ્તા પાસે આઇ20 માં અચાનક લાગી આગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો