July 12, 2026
ગુજરાત

શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા “મધુબાની આર્ટ વર્કશોપ” નું આયોજન કરવામાં આવ્યું

શ્રી હાંડે ના મહોલ્લાના મરાઠા પંચ ના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ (રજી. નં. એ-31) દ્વારા મરાઠી સમાજના કલા અને સાંસ્કૃતિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે 23 અને 24 મે 2026 ના રોજ સવારે 9:00 થી 12:00 દરમિયાન “મધુબાની આર્ટ વર્કશોપ” નું આયોજન કરવામાં આવ્યું હતું.

ખમાસા બી.આર.ટી.એસ. બસ સ્ટોપ નજીક, રાયખડ ચાર રસ્તા, રાયખડ, અમદાવાદ ખાતે યોજાયેલા આ વર્કશોપમાં 7 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઉપક્રમમાં ભાગ લેનાર લોકોને મધુબાની કલાની ઓળખાણ, સ્કેચિંગ અને રંગકામની તાલીમ શ્રીમતી વર્ષા કૌઠાળકર દ્વારા આપવામાં આવી હતી.

જરૂરી મહત્વપૂર્ણ સાધનો અને સામગ્રી મંદિર ટ્રસ્ટ તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. આ ઉપક્રમનો મુખ્ય હેતુ નવી પેઢીને ભારતીય પરંપરાગત કળા, સર્જનાત્મકતા અને સંસ્કૃતિ સાથે જોડવાનો હતો.

Related posts

અમદાવાદ મનપાના 48 વોર્ડની કુલ 192 બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન અંદાજે 2364 જેટલા લોકોએ દાવેદારી માટે ફોર્મ ભર્યા

Ahmedabad Samay

સ્વતંત્રતા દિન નિમિત્તે શ્રી રાકેશસિંહ રામવીરસિંહને MSM સર્ટિફિકેટ એનાયત કરાયું

Ahmedabad Samay

સાધુ-સંતોએ સ્વામિનારાણના સંતોના કાર્યક્રમમાં ન જવા શપથ  લીધા છે.

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા કેન્સરના દર્દીઓ સાથે થઇ વર્લ્ડ રોઝ ડેની ઉજવણી કરાઇ

Ahmedabad Samay

દિવાળી દરમિયાન આ પ્રમાણે રહેશે મુહૂર્ત અને તહેવારો

Ahmedabad Samay

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વ્યાજમાફી સ્કિમ હેઠળ 236 કરોડ ટેક્સની આવક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો