April 10, 2026
ગુજરાતરાજકારણ

અમદાવાદ મનપાના 48 વોર્ડની કુલ 192 બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન અંદાજે 2364 જેટલા લોકોએ દાવેદારી માટે ફોર્મ ભર્યા

રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદ મનપામાં સત્તાધારી પક્ષ ભાજપની ટિકિટ મેળવવા માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને ખેંચતાણ જોવા મળી રહી છે. અમદાવાદના 48 વોર્ડની કુલ 192 બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન અંદાજે 2364 જેટલા દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. સ્થિતિ એવી સર્જાઈ છે કે એક બેઠક દીઠ સરેરાશ 12 જેટલા ઉમેદવારો મેદાનમાં છે, જેને પગલે પક્ષના મોવડી મંડળ માટે પસંદગીની પ્રક્રિયા લોઢાના ચણા ચાવવા જેવી બની રહેશે.

આ વખતે ભાજપની દાવેદારીમાં ‘માતૃશક્તિ’નો દબદબો પણ ખાસ જોવા મળ્યો છે. કુલ 2364 દાવેદારોમાંથી 1034 મહિલા કાર્યકરોએ ટિકિટ માટે પોતાની દબંગ દાવેદારી રજૂ કરી છે, જ્યારે 1330 પુરુષ કાર્યકરોએ પણ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અમદાવાદના અલગ-અલગ 7 સ્થળોએ ચાલેલી આ સેન્સ પ્રક્રિયામાં પૂર્વથી લઈને પશ્ચિમ વિસ્તાર સુધી ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ખાસ કરીને અમરાઈવાડી વોર્ડમાં સૌથી વધુ 100 દાવેદારો નોંધાયા છે, જ્યારે નિકોલમાં 95 લોકોએ ટિકિટ માંગી છે. બીજી તરફ મકતમપુર વોર્ડમાં સૌથી ઓછા 16 દાવેદારો જોવા મળ્યા છે.

વિસ્તાર મુજબની ખેંચતાણ પર નજર કરીએ તો, પશ્ચિમ અમદાવાદના ચાંદખેડામાં 80 અને સરખેજમાં 79 બાયોડેટા જમા થયા છે. સાબરમતી, શાહપુર અને નરોડા જેવા વોર્ડમાં પણ સરેરાશ 50થી વધુ કાર્યકરોએ ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે. પોશ ગણાતા પાલડી વિસ્તારમાં 47 અને નવરંગપુરા-જોધપુરમાં 35 થી 50 દાવેદારો મેદાને આવ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ હજારો દાવેદારોમાંથી ભાજપ કયા સમીકરણોને આધારે 192 નસીબદાર ઉમેદવારોની પસંદગી કરે છે.

Related posts

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ ના અમદાવાદ જિલ્લા સહ મંત્રી અને ટીમ દ્વારા ૧૨૦૦ બેડમાં અપાઇ સેવા

Ahmedabad Samay

IIM અમદાવાદનો ગ્લોબલ રેન્કિંગમાં રેન્ક ઘટ્યો, જાણો કેટલો છે રેન્ક

Ahmedabad Samay

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ નિલકંઠ પેરાડાઈસ કોમ્પ્લેક્સમાં સ્પા ની આડ માં ચાલતું કૂટનખાનું ઝડપાયું

Ahmedabad Samay

દિલ્હીના પાલમ એરપોર્ટ પર વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કર્યું.

Ahmedabad Samay

નરોડા નિકોલ વિસ્તારમાં હોમ કોરોન્ટાઇન લોકોમાટે શરૂ કરાઇ મફત ટિફિન સેવા

Ahmedabad Samay

પરિવહન અને એર કન્ડિશનમાં કોરોના થવાની ૩૦૦ ગણા સંભાવના:જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો