February 5, 2026
ગુજરાત

દિવાળી દરમિયાન આ પ્રમાણે રહેશે મુહૂર્ત અને તહેવારો

દિવાળી એટકે પૂજન-અર્ચન અને ખુશીઓનો તહેવાર. આ વર્ષે રમા એકાદશી અને વાઘબારસ તા. ૧૭મી ઓક્‍ટોબરે શુક્રવારે છે. ધનતેરસ તા. ૧૮મીએ, કાળી ચૌદસ તા.૧૯ અને દિવાળી તા. ૨૦મી ઓક્‍ટોબરે છે. જયારે, નૂતન વર્ષ વિક્રમ સંવત-૨૦૮૨ પિગલ નામ સંવત્‍સર તા.૨૨મીએ શરૂ થશે. તા.૨૩મીએ ભાઈ બીજ, તા. ૨૬મીએ લાભ પાંચમ છે. તા.રજી નવેમ્‍બરે દેવ ઉઠી એકાદશી અને તા.૫મી નવેમ્‍બરે દેવદિવાળીએ નરસિહજીનો વરઘોડો નીકળશે.

દિવાળી દરમિયાન આ પ્રમાણે રહેશે મુહૂર્ત અને તહેવારો,

  • રમા એકાદશી-વાઘ બારસ તા.૧૭મી ઓક્‍ટોબરે શુક્રવારે ધનતેરસ તા.૧૮મી ઓક્‍ટોબરે શનિવાર છે. શનિ પ્રદોષનો અનોખો સંયોગ ધનપૂજન, લક્ષ્મીપૂજન સૂર્યાસ્‍ત પછી જ શ્રેષ્ઠ ગણાય છે. ધનપુજન-લક્ષ્મીપૂજનનું મુહૂર્ત સાંજે ૬.૧૧થી ૭.૪૫ અને રાત્રે ૯.૧૮ કલાકથી રાત્રે ૧.૩૨ સુધી છે. કાળી ચૌદશ તા.
  • ૧૯મી ઓક્‍ટોબરે રવિવારે છે. જે દિવસે બટુક ભૈરવ, કાલ ભૈરવની પુજા તેમજ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે.
  • ચોપડા-સોના-ચાંદી ખરીદી માટે મૂહુર્ત. સવારે ૧૧.૦૫થી બપોરે ૧.૫૩, બપોરે ૩.૨૦ કલાકથી સાંજે ૪.૪૭, સાંજે ૭.૪૭ થી રાત્રે ૯.૨૦ મિનિટ સુધી ચોપડા, સોના-ચાંદી ખરીદી માટે શુભ મુહુર્ત છે.
  • લક્ષ્મી પૂજન, શારદા પૂજન સંદર્ભે અસમંજસ

૨૦મીએ દીપાવલી પર્વે લક્ષ્મીપૂજન, શારદાપૂજન કરવું જોઇએ. સવારે ૧૦.૩૨થી૧૦,૫૯, બપોરે ૨.૫૬થી સાંજે ૬.૦૯ કલાક, સાંજે ૬.૧૫થી રાતે ૯.૩૪ અને રાતે ૧૦,૫૧થી ૧૨.૨૫ સુધી અને મધરાતે ૧.૧૨ કલાકથી ૩.૦૫ સુધી છે.

  • નૂતન વર્ષની પૂજાના શ્રેષ્ઠ મુહૂર્તો

૨૨મીએ વિક્રમ સંવત ૨૦૮૨ પિગલ નામ સંવત્‍સર પ્રારંભથશે. નુતન વર્ષના મુહૂર્તનો શ્રેષ્ઠ સમય સવારે ૬ ૨૧થી ૯:૧૪ સુધી છે.

  • તા.૨૩મીએ ભાઈ બીજ. તા.૨૬મીએ લાભપાંચમનું મુહુર્ત સવારે ૭.૫૨થી બપોરે ૧૨:૦૪ સુધી છે.

Related posts

અમદાવાદઃ આગામી 3થી 4 દિવસમાં આ વિસ્તારમાં માવઠાની આગાહી! જાણો ક્યાં કેવું રહેશે તાપમાન?

admin

‘મોદી સામે મમતાને પીએમ પદના ઉમેદવાર બનાવવા જોઈએ’: શત્રુઘ્ન સિંહા

Ahmedabad Samay

બજરંગ દળે જિલ્લા સ્તરે આતંકવાદ સામે ઇસ્લામિક જેહાદનું વ્યાપકપણે વિરોધ પ્રદર્શન કર્યું

Ahmedabad Samay

વડોદરા: વડોદરા કોર્પોરેશન એક્શન મોડમાં, બાકી વેરાના 190 કરોડનો લક્ષ્યાંક હાંસલ કરવા કડક કાર્યવાહી

Ahmedabad Samay

સમાચારોના સર્વે પ્રમાણે ગુજરાતમાં ફરી કમળ ખીલશે,ગુજરાતમાં ફરી મોદી ફેક્ટરને ચાલ્યું

Ahmedabad Samay

ભાજપમાં ટિકિટ ફાળવણી ઉપર કાર્યકરોનો રોષ દેખાયો, ખાનપુર કાર્યલય પર કાર્યકરો પોહચ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો