May 9, 2026
ગુજરાત

દિવાળી દરમિયાન આ પ્રમાણે રહેશે મુહૂર્ત અને તહેવારો

દિવાળી એટકે પૂજન-અર્ચન અને ખુશીઓનો તહેવાર. આ વર્ષે રમા એકાદશી અને વાઘબારસ તા. ૧૭મી ઓક્‍ટોબરે શુક્રવારે છે. ધનતેરસ તા. ૧૮મીએ, કાળી ચૌદસ તા.૧૯ અને દિવાળી તા. ૨૦મી ઓક્‍ટોબરે છે. જયારે, નૂતન વર્ષ વિક્રમ સંવત-૨૦૮૨ પિગલ નામ સંવત્‍સર તા.૨૨મીએ શરૂ થશે. તા.૨૩મીએ ભાઈ બીજ, તા. ૨૬મીએ લાભ પાંચમ છે. તા.રજી નવેમ્‍બરે દેવ ઉઠી એકાદશી અને તા.૫મી નવેમ્‍બરે દેવદિવાળીએ નરસિહજીનો વરઘોડો નીકળશે.

દિવાળી દરમિયાન આ પ્રમાણે રહેશે મુહૂર્ત અને તહેવારો,

  • રમા એકાદશી-વાઘ બારસ તા.૧૭મી ઓક્‍ટોબરે શુક્રવારે ધનતેરસ તા.૧૮મી ઓક્‍ટોબરે શનિવાર છે. શનિ પ્રદોષનો અનોખો સંયોગ ધનપૂજન, લક્ષ્મીપૂજન સૂર્યાસ્‍ત પછી જ શ્રેષ્ઠ ગણાય છે. ધનપુજન-લક્ષ્મીપૂજનનું મુહૂર્ત સાંજે ૬.૧૧થી ૭.૪૫ અને રાત્રે ૯.૧૮ કલાકથી રાત્રે ૧.૩૨ સુધી છે. કાળી ચૌદશ તા.
  • ૧૯મી ઓક્‍ટોબરે રવિવારે છે. જે દિવસે બટુક ભૈરવ, કાલ ભૈરવની પુજા તેમજ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે.
  • ચોપડા-સોના-ચાંદી ખરીદી માટે મૂહુર્ત. સવારે ૧૧.૦૫થી બપોરે ૧.૫૩, બપોરે ૩.૨૦ કલાકથી સાંજે ૪.૪૭, સાંજે ૭.૪૭ થી રાત્રે ૯.૨૦ મિનિટ સુધી ચોપડા, સોના-ચાંદી ખરીદી માટે શુભ મુહુર્ત છે.
  • લક્ષ્મી પૂજન, શારદા પૂજન સંદર્ભે અસમંજસ

૨૦મીએ દીપાવલી પર્વે લક્ષ્મીપૂજન, શારદાપૂજન કરવું જોઇએ. સવારે ૧૦.૩૨થી૧૦,૫૯, બપોરે ૨.૫૬થી સાંજે ૬.૦૯ કલાક, સાંજે ૬.૧૫થી રાતે ૯.૩૪ અને રાતે ૧૦,૫૧થી ૧૨.૨૫ સુધી અને મધરાતે ૧.૧૨ કલાકથી ૩.૦૫ સુધી છે.

  • નૂતન વર્ષની પૂજાના શ્રેષ્ઠ મુહૂર્તો

૨૨મીએ વિક્રમ સંવત ૨૦૮૨ પિગલ નામ સંવત્‍સર પ્રારંભથશે. નુતન વર્ષના મુહૂર્તનો શ્રેષ્ઠ સમય સવારે ૬ ૨૧થી ૯:૧૪ સુધી છે.

  • તા.૨૩મીએ ભાઈ બીજ. તા.૨૬મીએ લાભપાંચમનું મુહુર્ત સવારે ૭.૫૨થી બપોરે ૧૨:૦૪ સુધી છે.

Related posts

અમદાવાદ માં સૌપ્રથમવાર જૈન કોમ્યુનિટી ના 4 ફીરકા માટે ની કોમન હોસ્ટેલ નું ગુજરાત ના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

admin

અટલ બ્રિજની લાખો લોકોએ કરી મુલાકાત, કરોડોની થઇ આવક

Ahmedabad Samay

નવા ૨૧ વિસ્તારો ઉમેરાતા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા ૧૪૧ થઇ

Ahmedabad Samay

ભારતીય હવામાન વિભાગ દ્વારા તા. ૬ અને ૭ સપ્ટેમ્બર,૨૦૨૫ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું, અત્યંત ભારે વરસાદની આગાહી કરી

Ahmedabad Samay

AIMIMને વિપક્ષ તરીકેનું સ્થાન આપવાની મેયરને રજૂઆત કરવામાં આવી

Ahmedabad Samay

રવિવાર ના રોજ મોહિની એકાદશી વ્રત છે,જાણો મોહિની વ્રતની મહિમા અને વ્રતના ફાયદા. શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો