March 25, 2026
ગુજરાત

દિવાળી દરમિયાન આ પ્રમાણે રહેશે મુહૂર્ત અને તહેવારો

દિવાળી એટકે પૂજન-અર્ચન અને ખુશીઓનો તહેવાર. આ વર્ષે રમા એકાદશી અને વાઘબારસ તા. ૧૭મી ઓક્‍ટોબરે શુક્રવારે છે. ધનતેરસ તા. ૧૮મીએ, કાળી ચૌદસ તા.૧૯ અને દિવાળી તા. ૨૦મી ઓક્‍ટોબરે છે. જયારે, નૂતન વર્ષ વિક્રમ સંવત-૨૦૮૨ પિગલ નામ સંવત્‍સર તા.૨૨મીએ શરૂ થશે. તા.૨૩મીએ ભાઈ બીજ, તા. ૨૬મીએ લાભ પાંચમ છે. તા.રજી નવેમ્‍બરે દેવ ઉઠી એકાદશી અને તા.૫મી નવેમ્‍બરે દેવદિવાળીએ નરસિહજીનો વરઘોડો નીકળશે.

દિવાળી દરમિયાન આ પ્રમાણે રહેશે મુહૂર્ત અને તહેવારો,

  • રમા એકાદશી-વાઘ બારસ તા.૧૭મી ઓક્‍ટોબરે શુક્રવારે ધનતેરસ તા.૧૮મી ઓક્‍ટોબરે શનિવાર છે. શનિ પ્રદોષનો અનોખો સંયોગ ધનપૂજન, લક્ષ્મીપૂજન સૂર્યાસ્‍ત પછી જ શ્રેષ્ઠ ગણાય છે. ધનપુજન-લક્ષ્મીપૂજનનું મુહૂર્ત સાંજે ૬.૧૧થી ૭.૪૫ અને રાત્રે ૯.૧૮ કલાકથી રાત્રે ૧.૩૨ સુધી છે. કાળી ચૌદશ તા.
  • ૧૯મી ઓક્‍ટોબરે રવિવારે છે. જે દિવસે બટુક ભૈરવ, કાલ ભૈરવની પુજા તેમજ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે.
  • ચોપડા-સોના-ચાંદી ખરીદી માટે મૂહુર્ત. સવારે ૧૧.૦૫થી બપોરે ૧.૫૩, બપોરે ૩.૨૦ કલાકથી સાંજે ૪.૪૭, સાંજે ૭.૪૭ થી રાત્રે ૯.૨૦ મિનિટ સુધી ચોપડા, સોના-ચાંદી ખરીદી માટે શુભ મુહુર્ત છે.
  • લક્ષ્મી પૂજન, શારદા પૂજન સંદર્ભે અસમંજસ

૨૦મીએ દીપાવલી પર્વે લક્ષ્મીપૂજન, શારદાપૂજન કરવું જોઇએ. સવારે ૧૦.૩૨થી૧૦,૫૯, બપોરે ૨.૫૬થી સાંજે ૬.૦૯ કલાક, સાંજે ૬.૧૫થી રાતે ૯.૩૪ અને રાતે ૧૦,૫૧થી ૧૨.૨૫ સુધી અને મધરાતે ૧.૧૨ કલાકથી ૩.૦૫ સુધી છે.

  • નૂતન વર્ષની પૂજાના શ્રેષ્ઠ મુહૂર્તો

૨૨મીએ વિક્રમ સંવત ૨૦૮૨ પિગલ નામ સંવત્‍સર પ્રારંભથશે. નુતન વર્ષના મુહૂર્તનો શ્રેષ્ઠ સમય સવારે ૬ ૨૧થી ૯:૧૪ સુધી છે.

  • તા.૨૩મીએ ભાઈ બીજ. તા.૨૬મીએ લાભપાંચમનું મુહુર્ત સવારે ૭.૫૨થી બપોરે ૧૨:૦૪ સુધી છે.

Related posts

કેશુબાપા અને નરેશ – મહેશ કનોડિયાના નિવાસસ્થાને જઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Ahmedabad Samay

‘રામાયણ’ સ્ટાર ભારત પર ચાલુ કરાશે

Ahmedabad Samay

મેઘાણીનગરમા આવેલ મહાવીર મોબાઈલ શોપમાં કરવામાં આવેછે ગ્રાહકોનો સમય બરબાદ

Ahmedabad Samay

આઈજા એ શિથિલાચાર નો અંત લાવવા અને અબોલ જીવોને બચાવવા માટે રાજકીય નેતાઓ સાથે મુલાકાત કરી

Ahmedabad Samay

સાબરમતી વિસ્તારમાંથી ચોરીની ઘટના વિશે તપાસ કરતા પોલીસ દ્વારા એક વ્યક્તિની અટકાયત કરાઇ

Ahmedabad Samay

૨૪ કલાકમાં પોણા બસો કેસ આવ્યા સામે,કોરોનાની ગાઇડલાઇનનું કડક પાલન થાય તે માટે પોલીસને વધુ સક્રિય થવા જણાવ્યું,

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો