શ્રી હાંડે ના મહોલ્લાના મરાઠા પંચ ના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ (રજી. નં. એ-31) દ્વારા મરાઠી સમાજના કલા અને સાંસ્કૃતિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે 23 અને 24 મે 2026 ના રોજ સવારે 9:00 થી 12:00 દરમિયાન “મધુબાની આર્ટ વર્કશોપ” નું આયોજન કરવામાં આવ્યું હતું.
ખમાસા બી.આર.ટી.એસ. બસ સ્ટોપ નજીક, રાયખડ ચાર રસ્તા, રાયખડ, અમદાવાદ ખાતે યોજાયેલા આ વર્કશોપમાં 7 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઉપક્રમમાં ભાગ લેનાર લોકોને મધુબાની કલાની ઓળખાણ, સ્કેચિંગ અને રંગકામની તાલીમ શ્રીમતી વર્ષા કૌઠાળકર દ્વારા આપવામાં આવી હતી.
જરૂરી મહત્વપૂર્ણ સાધનો અને સામગ્રી મંદિર ટ્રસ્ટ તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. આ ઉપક્રમનો મુખ્ય હેતુ નવી પેઢીને ભારતીય પરંપરાગત કળા, સર્જનાત્મકતા અને સંસ્કૃતિ સાથે જોડવાનો હતો.
