July 12, 2026
ગુજરાત

શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા “મધુબાની આર્ટ વર્કશોપ” નું આયોજન કરવામાં આવ્યું

શ્રી હાંડે ના મહોલ્લાના મરાઠા પંચ ના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ (રજી. નં. એ-31) દ્વારા મરાઠી સમાજના કલા અને સાંસ્કૃતિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે 23 અને 24 મે 2026 ના રોજ સવારે 9:00 થી 12:00 દરમિયાન “મધુબાની આર્ટ વર્કશોપ” નું આયોજન કરવામાં આવ્યું હતું.

ખમાસા બી.આર.ટી.એસ. બસ સ્ટોપ નજીક, રાયખડ ચાર રસ્તા, રાયખડ, અમદાવાદ ખાતે યોજાયેલા આ વર્કશોપમાં 7 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઉપક્રમમાં ભાગ લેનાર લોકોને મધુબાની કલાની ઓળખાણ, સ્કેચિંગ અને રંગકામની તાલીમ શ્રીમતી વર્ષા કૌઠાળકર દ્વારા આપવામાં આવી હતી.

જરૂરી મહત્વપૂર્ણ સાધનો અને સામગ્રી મંદિર ટ્રસ્ટ તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. આ ઉપક્રમનો મુખ્ય હેતુ નવી પેઢીને ભારતીય પરંપરાગત કળા, સર્જનાત્મકતા અને સંસ્કૃતિ સાથે જોડવાનો હતો.

Related posts

દિવાળી પર્વે અમદાવાદના બજારોમાં વેપારીઓના સુપર સ્પ્રેડર્સ કોરોના ટેસ્ટ શરૂ કર્યા

Ahmedabad Samay

જયપુરના ફુલેરામાં આવેલા ગુરુદ્વારમાં આવેલ દુકાનદારોને વણઝારા સમાજની ચીમકી

Ahmedabad Samay

મરાઠી સમાજના ગણેશ પંચ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરાયું

Ahmedabad Samay

મતદારયાદીમાં બે જગ્‍યાએ નામ રાખવું તે ૧ વર્ષ સુધીની કેદને પાત્ર છે,sir ફોર્મ વિગત નહિ ખબર હોય તોપણ સહી કરી જમા કરી શકાશે ફોર્મ

Ahmedabad Samay

દિનેશ શર્માના રાજીનામાં પાછળના કારણો પરથી પડદો ઊંચકાયો

Ahmedabad Samay

અમરેલી શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ માત્ર સીનસપાટા કરવા અને નાના માણસોને નિશાન બનાવવા માટે કરવામાં આવી હોય તેવુ લાગી રહ્યુ છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો