May 26, 2026
ગુજરાત

શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા “મધુબાની આર્ટ વર્કશોપ” નું આયોજન કરવામાં આવ્યું

શ્રી હાંડે ના મહોલ્લાના મરાઠા પંચ ના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ (રજી. નં. એ-31) દ્વારા મરાઠી સમાજના કલા અને સાંસ્કૃતિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે 23 અને 24 મે 2026 ના રોજ સવારે 9:00 થી 12:00 દરમિયાન “મધુબાની આર્ટ વર્કશોપ” નું આયોજન કરવામાં આવ્યું હતું.

ખમાસા બી.આર.ટી.એસ. બસ સ્ટોપ નજીક, રાયખડ ચાર રસ્તા, રાયખડ, અમદાવાદ ખાતે યોજાયેલા આ વર્કશોપમાં 7 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઉપક્રમમાં ભાગ લેનાર લોકોને મધુબાની કલાની ઓળખાણ, સ્કેચિંગ અને રંગકામની તાલીમ શ્રીમતી વર્ષા કૌઠાળકર દ્વારા આપવામાં આવી હતી.

જરૂરી મહત્વપૂર્ણ સાધનો અને સામગ્રી મંદિર ટ્રસ્ટ તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. આ ઉપક્રમનો મુખ્ય હેતુ નવી પેઢીને ભારતીય પરંપરાગત કળા, સર્જનાત્મકતા અને સંસ્કૃતિ સાથે જોડવાનો હતો.

Related posts

રેશનકાર્ડ પર હવે મફતમાં ચોખા નહીં મળે. તેના બદલે હવે સરકાર 9 જરૂરી વસ્તુઓ આપશે

Ahmedabad Samay

Ahmedabad Samay

લો હવે ઘરેજ કરીલો કોરોના ટેસ્ટ. ટેસ્ટ માટેની જાણો મહત્વની વાતો

Ahmedabad Samay

ગુજરાત યુનિવર્સિટી દેશની પ્રથમ સરકારી યુનિવર્સિટી બની, જેણે પોતાના સ્ટાફ માટે ઇંધણ બચાવવા ‘કાર પુલિંગ’  નો મહત્વપૂર્ણ નિર્ણય લીધો

Ahmedabad Samay

સુરતમાં કોરોના વધતા તમામ શાળાઓ અને ટ્યુશન સહિતના એકમો બંધ રાખવા માટે આદેશ અપાયો છે.

Ahmedabad Samay

વરસાદની આગાહીને પગલે અમરેલીમાં આવેલા જાફરાબાદના માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ પણ આપવામાં આવી છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો