June 24, 2026
દેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની રાજ્યના મુખ્યમંત્રી સાથેના મીટીંગ બાદ મળી શકે સારા સમાચાર

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી આજે તમામ રાજ્‍યોના મુખ્‍યમંત્રીઓ સાથે ફરી એક વાર મીટીંગ કરી રહ્યા છે. જેમાં ૧૭મી મે પછીની રણનીતિ પર ચર્ચા કરાશે. તમામ રાજ્યના સીએમ સાથે મીટીંગ બાદ આવતા બે ત્રણ દિવસ સુધીમાં આગળની રણનીતિને અંતિમ નિર્ણય આપી દેવાશે. શનિવારે કે રવિવારે  વડાપ્રધાન દેશને  ફરી એક વાર પ્રજાને સંબોધન કરી શકે છે. કોરોના પર તેમનુ આ ચોથુ સંબોધન હશે.

આ દરમિયાન આવતા સપ્તાહથી લોકડાઉનમાં રાહત મળવાની સંભાવના પણ દેખાઈ રહી  છે. સરકાર વધુ છૂટછાટો આપવાનુ મન બનાવી રહી છે અને તેનુ માળખુ આ બેઠકમાં નક્કી થઈ જશે. વધુ ઉલ્લેખનીય છે કે રેલ્‍વે શરૂ થતા છૂટછાટની આશા પણ દેખાઈ રહી છે. આજની મીટીંગમાં તમામ મુખ્‍યમંત્રીઓને પોતાના વિચાર રાખવા જણાવાયુ છે. કન્‍ટેન્‍મેન્‍ટ ઝોન સિવાય તમામ જગ્‍યાએ છૂટ આપવાની તૈયારી કરી રહી  હોવાનું પણ જાણવા મળેલ છે. આજની બેઠકમાં પીએમ સાથે ગૃહમંત્રી અમિત શાહ અને સ્‍વાસ્‍થ્‍ય મંત્રી હર્ષવર્ધન પણ હાજર રહેશે.

હવે જોવાનું એ છે કે આ મિટિંગ બાદ સરકાર દ્વારા કયા પ્રકારની છૂટ આપવામાં આવશે .

Related posts

પ્રીતિસ્મિતા ભોઈએ બહેરીનમાં ચાલી રહેલી એશિયન યુથ ગેમ્સમાં એક નવો યુથ વર્લ્ડ રેકોર્ડ સ્થાપીને ઇતિહાસ રચ્યો છે અને દેશને ગૌરવપૂર્ણ ગોલ્ડ મેડલ અપાવ્યો

Ahmedabad Samay

ભારતીય બોક્સર અમિત પંઘલ નંબર વન બોક્સર તરીકે ઓલિમ્પિકમાં ભાગ લેશે.

Ahmedabad Samay

ભારતીય નૌસેના હવે વધુ મજબૂત.

Ahmedabad Samay

ભારતની સરહદે ચીન-પાકિસ્તાનના સૈન્યની સતત ચહલ પહલ

Ahmedabad Samay

ઈન્ડિગોનું ઓપરેશનલ સંકટ યથાવત, કાલે પણ ૧,૦૦૦ આસપાસની ફ્લાઇટસ કેન્સલ થવાની આશંકા,મુસાફરોને રિફંડ આપવાની તૈયાયરી બતાવી

Ahmedabad Samay

હવે ભારતના જમ્મુ કાશ્મીરમાં જરૂર છે હિન્દૂ આંતકી સંગઠની: ધર્મ રક્ષક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો