February 8, 2025
દેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની રાજ્યના મુખ્યમંત્રી સાથેના મીટીંગ બાદ મળી શકે સારા સમાચાર

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી આજે તમામ રાજ્‍યોના મુખ્‍યમંત્રીઓ સાથે ફરી એક વાર મીટીંગ કરી રહ્યા છે. જેમાં ૧૭મી મે પછીની રણનીતિ પર ચર્ચા કરાશે. તમામ રાજ્યના સીએમ સાથે મીટીંગ બાદ આવતા બે ત્રણ દિવસ સુધીમાં આગળની રણનીતિને અંતિમ નિર્ણય આપી દેવાશે. શનિવારે કે રવિવારે  વડાપ્રધાન દેશને  ફરી એક વાર પ્રજાને સંબોધન કરી શકે છે. કોરોના પર તેમનુ આ ચોથુ સંબોધન હશે.

આ દરમિયાન આવતા સપ્તાહથી લોકડાઉનમાં રાહત મળવાની સંભાવના પણ દેખાઈ રહી  છે. સરકાર વધુ છૂટછાટો આપવાનુ મન બનાવી રહી છે અને તેનુ માળખુ આ બેઠકમાં નક્કી થઈ જશે. વધુ ઉલ્લેખનીય છે કે રેલ્‍વે શરૂ થતા છૂટછાટની આશા પણ દેખાઈ રહી છે. આજની મીટીંગમાં તમામ મુખ્‍યમંત્રીઓને પોતાના વિચાર રાખવા જણાવાયુ છે. કન્‍ટેન્‍મેન્‍ટ ઝોન સિવાય તમામ જગ્‍યાએ છૂટ આપવાની તૈયારી કરી રહી  હોવાનું પણ જાણવા મળેલ છે. આજની બેઠકમાં પીએમ સાથે ગૃહમંત્રી અમિત શાહ અને સ્‍વાસ્‍થ્‍ય મંત્રી હર્ષવર્ધન પણ હાજર રહેશે.

હવે જોવાનું એ છે કે આ મિટિંગ બાદ સરકાર દ્વારા કયા પ્રકારની છૂટ આપવામાં આવશે .

Related posts

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે “અગ્નિપથ” યોજનાનું અનાવરણ કર્યું, વધુ યુવા શક્તિ જોડાશે સેનામા

Ahmedabad Samay

રાજસ્થાનમાં શ્રદ્ધા વોલકર જેવો ક્રૂરતા ભર્યો કિસ્સો આવ્યો સામે, લાશના કર્યા ૧૦ ટુકડા

Ahmedabad Samay

શુક્રવારે સાંજે ખેડૂતો તેમના આગામી પગલાની જાહેરાત કરશે.

Ahmedabad Samay

પી.એફ.માં વધારે રૂપિયા જમા કરાવીને ટેકસ બચાવતા લોકોને બજેટમાં મોટો ફટકો

Ahmedabad Samay

યોગી સરકારએ આગ્રાના મુગલ મ્યૂઝિયમનું નામ બદલયું હવે શિવાજીના નામથી ઓળખાશે

Ahmedabad Samay

મારુતિ લોન્ચ કરશે ઇલેક્ટ્રિક મારુતિ 800

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો