March 25, 2026
દેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની રાજ્યના મુખ્યમંત્રી સાથેના મીટીંગ બાદ મળી શકે સારા સમાચાર

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી આજે તમામ રાજ્‍યોના મુખ્‍યમંત્રીઓ સાથે ફરી એક વાર મીટીંગ કરી રહ્યા છે. જેમાં ૧૭મી મે પછીની રણનીતિ પર ચર્ચા કરાશે. તમામ રાજ્યના સીએમ સાથે મીટીંગ બાદ આવતા બે ત્રણ દિવસ સુધીમાં આગળની રણનીતિને અંતિમ નિર્ણય આપી દેવાશે. શનિવારે કે રવિવારે  વડાપ્રધાન દેશને  ફરી એક વાર પ્રજાને સંબોધન કરી શકે છે. કોરોના પર તેમનુ આ ચોથુ સંબોધન હશે.

આ દરમિયાન આવતા સપ્તાહથી લોકડાઉનમાં રાહત મળવાની સંભાવના પણ દેખાઈ રહી  છે. સરકાર વધુ છૂટછાટો આપવાનુ મન બનાવી રહી છે અને તેનુ માળખુ આ બેઠકમાં નક્કી થઈ જશે. વધુ ઉલ્લેખનીય છે કે રેલ્‍વે શરૂ થતા છૂટછાટની આશા પણ દેખાઈ રહી છે. આજની મીટીંગમાં તમામ મુખ્‍યમંત્રીઓને પોતાના વિચાર રાખવા જણાવાયુ છે. કન્‍ટેન્‍મેન્‍ટ ઝોન સિવાય તમામ જગ્‍યાએ છૂટ આપવાની તૈયારી કરી રહી  હોવાનું પણ જાણવા મળેલ છે. આજની બેઠકમાં પીએમ સાથે ગૃહમંત્રી અમિત શાહ અને સ્‍વાસ્‍થ્‍ય મંત્રી હર્ષવર્ધન પણ હાજર રહેશે.

હવે જોવાનું એ છે કે આ મિટિંગ બાદ સરકાર દ્વારા કયા પ્રકારની છૂટ આપવામાં આવશે .

Related posts

આંધ્રપ્રદેશ: તીગલમિટ્ટા જંગલ વિસ્તારમાં માઓવાદી અને  ગ્રેહાઉડ્સ દળ વચ્ચે અથડામણ : ૬ ઠાર મરાયા

Ahmedabad Samay

ભારતે છેલ્લા કેટલાક દિવસોમાં સિંધુ જળ સંધિને સ્‍થગિત કર્યા પછી પાકિસ્તાન ની પરિસ્‍થિતિ વધુ ખરાબ થઈ

Ahmedabad Samay

ઈન્ડિગો 15 ડિસેમ્બર સુધી રદ કરાયેલી ફ્લાઇટ્સ માટે રિફંડની પ્રક્રિયા કરવામાં કરવામાં આવશે

Ahmedabad Samay

ભારતે ન્યુઝીલેન્ડને ૯૬ રને પરાજય આપીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમેં ઈતિહાસ રચ્યો

Ahmedabad Samay

યુગાન્ડાના મશહૂર ફિલ્મ ડીરેક્ટર દીપ ભોજકરે અમદાવાદ સમયના માધ્યમથી ભારતને સોન્ગ ડેડીકેટ કર્યું

Ahmedabad Samay

એઇટીન ડીજીટલે કોરોના કાળમાં ડીજીટલ પ્લેટફોર્મ પર પોતાનો સિક્કો જમાવ્યો,ડીજીટલ માર્કેટમાં ગુજરાતની ફાસ્ટેટ ગ્રોથ કરતી કંપની એટલે એઇટીન ડીજીટલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો