July 14, 2026
ગુજરાત

પોલીસ દ્વારા અમદાવાદની ઐતિહાસિક રથયાત્રાને આખરી ઓપ આપવામાં આવી

રાજ્‍ય અને કેન્‍દ્ર દ્રારા પોલીસ પર સંપૂર્ણ ભરોષો મૂકી મહત્‍વની જવાબદારી સુપરત કરી છે,  તેવા રથ યાત્રાનાં મુખ્‍ય  સુકાની અનુપસિંહ ગેહલોત દ્રારા રથ યાત્રા બંદોબસ્‍ત માટે ૩૦ હજારથી વધુ પોલિસ દળ ખડેપગે રહેનાર હોવાનું અકિલા સાથેની વિશેષ વાતચીતમાં ભારે વ્‍યસ્‍તતા વચ્‍ચે જણાવ્‍યું છે.

તેવોએ વિશેષમાં ૧૬ તારીખે, ૧૬ કી. મી. વિશાળ રથ યાત્રા  અંગે બંદોબસ્‍ત સ્‍કીમ ત્‍યાર કરતી સ્‍પેશ્‍યલ બ્રાન્‍ચ પાસેથી, સ્‍કીમનાં માસ્‍ટર પ્‍લાન, તથા તેમાં ભૂતકાળમાં રહેલી ભૂલો સુધારવા છેલ્લા ૭ દિવસથી રૂટિન શેડ્‍યૂલ ડિસ્‍ટર્બ ન થાય તે રીતે ક્રાઇમ બ્રાન્‍ચ વડા શરદ સિંઘલ, જોઈન્‍ટ પોલીસ કમિશનર નીરજ બડ ગુજ્જર, ib વડા અશોક કુમાર યાદવ, એડી. સીપી જયપાલસિંહ રાઠોડ વિગેરે સાથે ચર્ચા કરી બંદોબસ્‍ત રણનીતિ ઘડી છે, લોકો સીધી ભાષામાં સમજી શકે તે માટે કહીએ તૉ મહા યુદ્વનાં મોચ્‍ચા જેવી આ પ્રકારની તૈયારીઓ છે.

ફરી મુળ વાત પર આવી એ તો ૬૫ જેટલા હાઈ કવોલીટીનાં ડ્રોન દ્રારા નિરીક્ષણ કરવામાં આવશે. ૧૧ પોલીસ સ્‍ટેશન હદની વિસ્‍તાર આવરી લેવાયાં છે  ખોટી અફવા ફેલાવતા લોકો પર વૉચ રાખવા સાયબર સેલની વિશેષ ટીમો નજર રાખી રહી છે. લોકોને પણ કોઈ ખોટી અફવા સાંભળો કે વાંચો તયારે સમજયાં વગર આગળ ન વધારવા અપીલ કરી છે.

લાખો ભાવિકો ભગવાન જગન્નાથજીનાં દર્શન કરવા ભવિકો ઉમટનારા હોય તેવા સમયે ૩૦ હાજર જવાનો પર ૧  હાજર  પોલીસ જેટલા નાના મોટા લેવલના આધિકારીઓ તેમનું સુપરવિઝન કરશે.

ગુજરાતભરમાંથી અનુભવી આધિકારીઓ મદદે આવ્‍યા છે, ૧૫ થી વધુ સર્પ કંપની સાથે, રેપિડ એક્‍શન ફોર્સની ટુકડીઓ આવી હોવાનું અનુપમસિંહ ગેહલોતે જણાવ્‍યું છે. લાખો ભાવિકો ઉમટવાનાં હોય દુશ્‍મન  દેશ દ્રારા કોઈ ઉગ્રવાદીઓ, સ્‍લીપર સેલ, કે અપરાધીઓ યાત્રામાં પ્રવેશ કરે તો ફેસ રેકોઞનાઈઝ મશીન તે ચહેરા ઓળખી, વિશેષ કંટ્રોલ રૂમમાં બીપ, બીપનાં આવાજોથી ગુંજી ઉઠશે.

ગત વર્ષનાં અનુભવ આધારે ગજરાજ બેકાબુ બનેલ, તે સંદભે રચાયેલ સમિતિનાં તારણ નો અભ્‍યાસ કરી  પગલાઓ લેવાયા છે. બૉમ્‍બ સ્‍કોડ દ્રારા રૂટની તસુ તસુ જમીન ચકાસણી  થાય છે.

રથ યાત્રા અંતર્ગત બાઈક પર પોલિસ કમિશનર સહીત સુનિયર અધિકારીઔ નીકળ્‍યા હતા.  ટ્રાફિક પણ જટીલ સમસ્‍યા હોય એડી સીપી અશ્વિન ચૌહાણ ટીમ દ્રારા સાઈકલ યાત્રા નીકળેલ, ડીસીપી રૂપલ સોલંકી, ડીસીપી ભરત રાઠોડ વિગેરે સક્રિય ભૂમિકામાં છે.

Related posts

અમદાવાદ: જમીન વિવાદમાં કૌટુંબિક ભાઈને છરીના 24 ઘા મારી હત્યા કરનાર પિતા, બે પુત્ર, જમાઇ સહિત કુલ 5ને આજીવન કેદની સજા

Ahmedabad Samay

અમદાવાદના નિકોલ વિસ્તારમાં સર્વે કરવા ગયેલા કર્મચારી પર હૂમલો

Ahmedabad Samay

દરિયાપુર વિસ્તારમાં લખોટાની પોળની બહાર આવેલું જર્જરિત મકાન ધરાશાયી થયું

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

નરેન્દ્રભાઈ મોદીનું પ્રજાને પાંચમી વાર સંબોધન

Ahmedabad Samay

કાલથી સમગ્ર ગુજરાત રાજયમાં ધો.૧૦-૧૨ ની પરીક્ષાનો પ્રારંભ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો