July 12, 2026
Other

16 જુલાઈ, 2026ના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રાની તૈયારીઓ તડામાર ચાલુ

અમદાવાદમાં આગામી 16 જુલાઈ, 2026 (અષાઢ સુદ બીજ) ના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા ભવ્ય રીતે નીકળવા જઈ રહી છે. જમાલપુર દરવાજા બહાર આવેલા શ્રી જગન્નાથજી મંદિરના પ્રાંગણમાંથી સવારે 7:00 કલાકે આ દિવ્ય મહોત્સવનો શુભારંભ થશે. ભગવાન જગન્નાથ, મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી અદભુત રથમાં સવાર થઈને ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળશે.

આ ભવ્ય રથયાત્રાના પ્રારંભ પૂર્વે પરંપરાગત પહિન્દ વિધિ યોજાશે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના શુભ હસ્તે સોનાના સાવરણાથી રથનો માર્ગ સાફ કરી, રથ ખેંચીને યાત્રાનો વિધિવત પ્રારંભ કરાવવામાં આવશે. આ વર્ષે રથયાત્રા મહોત્સવના મુખ્ય યજમાન તરીકે નિતિનભાઈ રતીભાઈ પટેલ અને શ્રીમતિ સુલોચનાબેન પટેલ સેવા આપશે.

આ અલૌકિક ધાર્મિક પ્રસંગે અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહીને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરશે. જેમાં નિરમા પરિવારના ડો. કરસનભાઈ પટેલ, ઝાયડસ પરિવારના પંકજભાઈ રમણભાઈ પટેલ તેમજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ ધનરાજભાઈ નથવાણી વિશેષ હાજરી આપશે. જગગુરુ દિલીપદેવાચાર્યજી મહારાજ દ્વારા તમામ શ્રદ્ધાળુઓને આ મહોત્સવમાં પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભગવાનનો રથ શહેરના નિર્ધારિત રૂટ પર પરિક્રમા કરી રાત્રે 8:30 કલાકે નિજ મંદિરે પરત ફરશે. લાખો શ્રદ્ધાળુઓના મહેરામણ વચ્ચે નીકળતી આ રથયાત્રાને લઈને સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે

Related posts

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર કચ્છ ભૂજ ના માધાપરમાં શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવની ઉત્સાહભેર તૈયારીઓ શરૂ

Ahmedabad Samay

ભુલાભાઈ પાર્ક વિસ્‍તાર પાસે વિદ્યાર્થિનીની છેડતી કરવી એક રોમિયોને ભારે પડી,સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

Ahmedabad Samay

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ભારતીય વિદેશ સેવા અધિકારી તાલીમાર્થીઓ માટે તાલીમ કાર્યક્રમનું વેલિડિક્ટરી સત્ર યોજાયું

Ahmedabad Samay

અમદાવાદના છારાનગર લૂંટના ઇરાદે આવી હત્યા કરવાના કેસમાં બે આરોપીઓની સરદારનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી

Ahmedabad Samay

તમિલનાડુ રાજ્યની સૌથી મોટી પાર્ટી તમિઝગા વેત્રી કઝગમના અધ્યક્ષ સી. જોસેફ વિજયે સરકાર રચવા માટે પોતાનો સત્તાવાર દાવો રજૂ કર્યો

Ahmedabad Samay

જાણો બંગાળના નવા નાયક વિશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો