May 8, 2026
ગુજરાતઅપરાધ

અમદાવાદ: જમીન વિવાદમાં કૌટુંબિક ભાઈને છરીના 24 ઘા મારી હત્યા કરનાર પિતા, બે પુત્ર, જમાઇ સહિત કુલ 5ને આજીવન કેદની સજા

જમીન વિવાદમાં કૌટુંબિક ભાઈની છરીના 24 ઘા મારી હત્યા કરવાના કેસમાં પિતા, બે પુત્ર, જમાઇ સહિત 5 આરોપીઓને એડિશનલ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આરોપીઓએ વતનમાં હોસ્પિટલ બનાવવા માટે જમીન ફાળવવા સરકારમાં અરજી કરી હતી, જેની સામે મૃતકે વાંધા અરજી કરી હતી.

મીડિયા રિપોર્ટ મુજબ, મૂળ કચ્છના પરષોતમ ધવલ સિંગરવા વડવાળી ચાલીમાં રહે છે. વતન માખેલ ગામે જય રણછોડ જનકલ્યાણ ફાઉન્ડેશનના નામે હોસ્પિટલ બનાવવા માટે જમીન ફાળવવા તેમણે સરકારમાં અરજી કરી હતી. જો કે, આ અરજી સામે તેમના કૌટુંબિક ભાઈ પ્રવીણે વાંધા અરજી કરતા સરકારમાંથી જમીન મળી નહોતી. આ વાતની અદાવત રાખીને પરષોતમે પ્રવીણભાઈ અને તેમના સાળા હસમુખને પતાવી દેવા માટે કારસો રચ્યો હતો.

5 આરોપીઓને આજીવન કેદની સજા

અહેવાલ પ્રમાણે, પરષોતમ અને તેના પુત્ર પ્રવીણ ઉર્ફે ભોલો, પત્ની આશાબેન, પ્રતાપ, પુત્રી રશ્મિબેન, જમાઇ સુનિલ અને મહેન્દ્રસિંહે ભેગા મળી કાવતરું રચી પ્રવીણભાઈને કુબેરનગર શાક બજાર પાસે બોલાવ્યા હતા અને ત્યાં તેમની સાથે મારામારી કરી છરીના 24 ઘા મારી પ્રવીણભાઈને મોતને ઘાટ ઉતારી દીધા હતા. દરમિયાન પ્રવીણભાઈના સાળા પર કાર ચઢાવવાનો પ્રયાસ કરતા સાળા હસમુખને ગંભીર ઇજાઓ થઇ હતી. આ મામલે સરદારનગર પોલીસે 5 આરોપીઓની ધરપકડ ગુનો નોંધ્યો હતો. આ કેસમાં 5 આરોપીઓને એડિ. સેશન્સ જજ એમ.આર.શાહે આજીવન કેદની સજા ફટકારી છે.

Related posts

પીએમ મોદીના માતા હીરાબાની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે, વહેલા ડિસ્ચાર્જ કરાશે

Ahmedabad Samay

અમદાવાદ – આંખ આવવાના કેસોમાં વધારો, સિવિલમાં જ રોજના 298 કેસો, અર્બન હેલ્થ સેન્ટર પર 1600

Ahmedabad Samay

ઉમણીયાવદર ગામના યુવાન પર ત્રણ શખ્સોએ કર્યો તલવાર વડે હુમલો

Ahmedabad Samay

રેલવે મંત્રાલયે તેમના સત્તાવાર X એકાઉન્ટ પર વેજ મીલ (સ્ટાન્ડર્ડ કેસરોલ)ની કિંમત અને તેનું સંપૂર્ણ મેનુ શેર કર્યું

Ahmedabad Samay

અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્‍ચે નવા આતંકી મોડયુલ્‍સનો કર્યો પર્દાફાશ, રેવડીબજારમાં આગ ની ઘટના નો મોટો ખુલાશો

Ahmedabad Samay

વોકીટોકી સાથે સજ્જ પોલીસ દુરબીનથી તમામ ઉપર નજર રાખશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો