August 6, 2026
ગુજરાતઅપરાધ

અમદાવાદ: જમીન વિવાદમાં કૌટુંબિક ભાઈને છરીના 24 ઘા મારી હત્યા કરનાર પિતા, બે પુત્ર, જમાઇ સહિત કુલ 5ને આજીવન કેદની સજા

જમીન વિવાદમાં કૌટુંબિક ભાઈની છરીના 24 ઘા મારી હત્યા કરવાના કેસમાં પિતા, બે પુત્ર, જમાઇ સહિત 5 આરોપીઓને એડિશનલ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આરોપીઓએ વતનમાં હોસ્પિટલ બનાવવા માટે જમીન ફાળવવા સરકારમાં અરજી કરી હતી, જેની સામે મૃતકે વાંધા અરજી કરી હતી.

મીડિયા રિપોર્ટ મુજબ, મૂળ કચ્છના પરષોતમ ધવલ સિંગરવા વડવાળી ચાલીમાં રહે છે. વતન માખેલ ગામે જય રણછોડ જનકલ્યાણ ફાઉન્ડેશનના નામે હોસ્પિટલ બનાવવા માટે જમીન ફાળવવા તેમણે સરકારમાં અરજી કરી હતી. જો કે, આ અરજી સામે તેમના કૌટુંબિક ભાઈ પ્રવીણે વાંધા અરજી કરતા સરકારમાંથી જમીન મળી નહોતી. આ વાતની અદાવત રાખીને પરષોતમે પ્રવીણભાઈ અને તેમના સાળા હસમુખને પતાવી દેવા માટે કારસો રચ્યો હતો.

5 આરોપીઓને આજીવન કેદની સજા

અહેવાલ પ્રમાણે, પરષોતમ અને તેના પુત્ર પ્રવીણ ઉર્ફે ભોલો, પત્ની આશાબેન, પ્રતાપ, પુત્રી રશ્મિબેન, જમાઇ સુનિલ અને મહેન્દ્રસિંહે ભેગા મળી કાવતરું રચી પ્રવીણભાઈને કુબેરનગર શાક બજાર પાસે બોલાવ્યા હતા અને ત્યાં તેમની સાથે મારામારી કરી છરીના 24 ઘા મારી પ્રવીણભાઈને મોતને ઘાટ ઉતારી દીધા હતા. દરમિયાન પ્રવીણભાઈના સાળા પર કાર ચઢાવવાનો પ્રયાસ કરતા સાળા હસમુખને ગંભીર ઇજાઓ થઇ હતી. આ મામલે સરદારનગર પોલીસે 5 આરોપીઓની ધરપકડ ગુનો નોંધ્યો હતો. આ કેસમાં 5 આરોપીઓને એડિ. સેશન્સ જજ એમ.આર.શાહે આજીવન કેદની સજા ફટકારી છે.

Related posts

કૃષ્ણનગરમાં અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલમાં લાગી ભીષણ આગ

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લામાં વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત જનભાગીદારી થકી સમગ્ર જિલ્લામાં 35,175 વૃક્ષો ઉછેરાશે

Ahmedabad Samay

વટવા:રમવાની ના પડવાની બાબતમાં યુવકને છરીના ઘા ઝીંકાય

Ahmedabad Samay

અમદાવાદના મરાઠી સમાજ દ્વારા ગતરોજ શ્રી ગણેશજીના માતા માં ગૌરીની વિવિધ રીતે સુંદર સૃણગાર કરી સ્થાપના કરાઈ, આજે કરાશે માં ગૌરીની વિશેષ પૂજા

Ahmedabad Samay

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ફલાવર પાર્ક અને ફલાવર શો માટે ઓનલાઇન ટિકિટિંગ બુકિંગ શરૂ કરાઇ

Ahmedabad Samay

NIRFમાં ગુજરાત યુનિવર્સિટીનું રેન્કિંગ ઘટ્યું, ટોપ 10માં કોઈ યુનિવર્સિટી નહીં, જાણો રાજ્યની યુનિવર્સિટીઓના રેન્ક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો