આજ રોજ અમદાવાદના નરોડા વિસ્તાર ખાતે હિન્દૂ સેનાના ૧૬ માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી,
સ્થાપના દિવસ નિમિત્તે આજ રોજ નવ નિયુક્ત પદાધિકારીઓ અને કાર્યકરોનો સન્માન અને શપથ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં ૧૦૮ મહામંડલેશ્વર શ્રી લક્ષ્મણ દાસ ઉપસ્થિત રહ્યા હતા,
તેમના વરદ હસ્થે પ્રભુ શ્રી રામની આરતી કરી નવ યુવા કાર્યકરોને ખેસ પહેરાવી આશીર્વાદ આપવામાં આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે હિન્દૂ સેનામાં વધુમાં વધુ લોકોને જોડવા જોઈએ અને એક ઘરમાં એક હિન્દૂ સૈનિક હોવો જોઈએ,
કાર્યક્રમમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી યુવાઓને દેશ હિત, સનાતન ધર્મ હિત માટેના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને હિન્દૂ સેનાના આગળના કાર્યક્રમ વિશે સૂચનાઓ આપવામાં આવી હતી, કાર્યક્રમમાં હિન્દૂ સેનાના પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ ને સફળ બનાવવાં આવ્યું હતું
