અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયામાં ડુંગળીના ભાવ 40 થી 80 થયા. અમદાવાદમાં પહોચતા ડુંગળીના માલમાં પણ 50 ટકાનો ઘટાડો થયો છે. ભાવ વધારા અંગે ડુંગળીના વેપારીનું નિવેદન. ડુંગળીનું મુખ્ય સેન્ટર મહારાષ્ટ્ર છે, પૂરા ભારતની 70 ટકા ડુંગળી ત્યાંથી આવે છે. ડિમાન્ડ અને સપ્લાયનો ગેપ છેલ્લા કેટલાક દિવસોમાં તૂટી ગયો છે. હવે તમામ ભોજનમાં ડુંગળીનો ઉપયોગ થતો થઈ ગયો છે. શ્રાવણમાં ડુંગળીનો ઉપયોગ ઘટતો હોય છે, જો કે તમામમાં ડુંગળીની ગ્રેવી આવતી હોવાથી ડિમાન્ડ ચાલુ જ રહે છે.
અમદાવાદમાં રોજની 50 થી 60 ડુંગળીની ગાડીઓ આવતી હોય છે. હવે 25 થી 30 ગાડીઓ જ અમદાવાદના બજારમાં આવી રહી છે. થોડા દિવસ પૂર્વે 40 રૂપિયે મળતી ડુંગળી લોકો માટે બજારમાં 70 થી 80 રૂપિયા થઈ ગઈ છે.
