June 24, 2026
સિવિલ હોસ્પિટલ
ગુજરાત

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી ૧૬ વર્ષીય કિશોરીનું કોરોનાને કારણે કરુણ મોત

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી વધુ એક મોત સારવાર હેઠળ રહેલી એક ૧૬ વર્ષીય કિશોરીનું કોરોનાને કારણે કરુણ મોત થયાના સમાચાર સામે આવ્યા છે, જેણે આરોગ્ય તંત્ર અને નાગરિકોમાં ચિંતા જગાવી છે. આ કિશોરીને બચાવવા માટે ડોકટરો દ્વારા રેમડેસિવિર અને ટોસીલીઝુમેબ જેવા ઇન્જેક્શનો સહિતના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા, છતાં તેનો જીવ બચાવી શકાયો નહોતો. આ ઘટના સાથે છેલ્લા કેટલાક દિવસોમાં અમદાવાદમાં કોરોનાને લીધે મૃત્યુ પામનારની મહિલાઓની સંખ્યા ૪ થઈ ગઈ છે, જેમાં અગાઉ ૩ મહિલાઓના મોત થયા હતા.

 

આ વચ્ચે એક સારા સમાચાર પણ છે કે આજે ૨૭ જેટલા દર્દીઓને કોરોનામુક્ત જાહેર કરીને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. રાજ્યના આરોગ્ય તંત્ર દ્વારા નાગરિકોને, ખાસ કરીને જે દર્દીઓ હાલ હોમ આઈસોલેશનમાં છે, તેઓને પોતાના સ્વાસ્થ્યનું સ્વનિરીક્ષણ કરવાનું ચાલુ રાખવા અપીલ કરવામાં આવી છે.

તંત્રએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો કોઈ દર્દીને ઘરે શ્વાસ લેવામાં તકલીફ કે પછી છાતીમાં દુખાવો થાય, તો તેમણે તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો હિતાવહ છે. કોરોનાના વધતા કેસ વચ્ચે સાવચેતી અને તાત્કાલિક તબીબી સલાહ લેવી અત્યંત આવશ્યક બની છે.

Related posts

રાજકોટ હોમગાર્ડ જવાનોને માઠા સમાચાર, ૫૦૦થી વધુ હોમગાર્ડ જવાનોને છૂટા કરાયા

Ahmedabad Samay

NEPના માધ્યમથી ભારતની ગુરુકુળ પરંપરા પુનઃપ્રસ્થાપિત થશે: શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર

Ahmedabad Samay

વિક્કી ગેંડી ફરી બન્યો બેફામ,વધુ એક વેપારીને હપ્તો ન આપવા પર જાનથી મારવાની આપી ધમકી

Ahmedabad Samay

જુનિયર મહેમૂદનું થયું નિઃધન,જુનિયર મહમૂદ પ્રેમનો ખજાનો હતો: હાર્દિક હુંડિયા

Ahmedabad Samay

પત્ની વિરુદ્ધ ૧૦ અરજી કર્યા બાદ પોલીસે પતિની ફરીયાદ લીધી

Ahmedabad Samay

કુદરતી આપત્તિ જેવા સંજોગોમાં હેમ રેડિયો પ્રત્યાયન માટેનું અત્યંત મહત્વનું સાધન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો