March 26, 2026
સિવિલ હોસ્પિટલ
ગુજરાત

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી ૧૬ વર્ષીય કિશોરીનું કોરોનાને કારણે કરુણ મોત

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી વધુ એક મોત સારવાર હેઠળ રહેલી એક ૧૬ વર્ષીય કિશોરીનું કોરોનાને કારણે કરુણ મોત થયાના સમાચાર સામે આવ્યા છે, જેણે આરોગ્ય તંત્ર અને નાગરિકોમાં ચિંતા જગાવી છે. આ કિશોરીને બચાવવા માટે ડોકટરો દ્વારા રેમડેસિવિર અને ટોસીલીઝુમેબ જેવા ઇન્જેક્શનો સહિતના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા, છતાં તેનો જીવ બચાવી શકાયો નહોતો. આ ઘટના સાથે છેલ્લા કેટલાક દિવસોમાં અમદાવાદમાં કોરોનાને લીધે મૃત્યુ પામનારની મહિલાઓની સંખ્યા ૪ થઈ ગઈ છે, જેમાં અગાઉ ૩ મહિલાઓના મોત થયા હતા.

 

આ વચ્ચે એક સારા સમાચાર પણ છે કે આજે ૨૭ જેટલા દર્દીઓને કોરોનામુક્ત જાહેર કરીને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. રાજ્યના આરોગ્ય તંત્ર દ્વારા નાગરિકોને, ખાસ કરીને જે દર્દીઓ હાલ હોમ આઈસોલેશનમાં છે, તેઓને પોતાના સ્વાસ્થ્યનું સ્વનિરીક્ષણ કરવાનું ચાલુ રાખવા અપીલ કરવામાં આવી છે.

તંત્રએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો કોઈ દર્દીને ઘરે શ્વાસ લેવામાં તકલીફ કે પછી છાતીમાં દુખાવો થાય, તો તેમણે તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો હિતાવહ છે. કોરોનાના વધતા કેસ વચ્ચે સાવચેતી અને તાત્કાલિક તબીબી સલાહ લેવી અત્યંત આવશ્યક બની છે.

Related posts

જુહાપુરમાં વિસ્તારમાં છેલ્લા 4 દિવસમાં 14 લોકોના કોરોના વાયરસના કારણે મોત

Ahmedabad Samay

ગુજરાત ATS ને મળી મોટી સફળતા, વર્ષ ૧૯૯૩ મુંબઇ બ્‍લાસ્‍ટના ફરાર વોન્‍ટેડ આરોપીઓને ગુજરાત એટીએસે પકડી પાડયા

Ahmedabad Samay

રાંધણ ગેસમાં ફરી થયો વધારો,૨૫ રૂપિયા નો ભાવ થયો વધારો

Ahmedabad Samay

વાસણા બેરેજના 4 દરવાજા ખોલવામાં આવ્યા, સંતસરોવરનું પાણી સાબરમતીમાં છોડાયું

Ahmedabad Samay

અમદાવાદ: રખડતા ઢોરના ત્રાસને ડામવા નવતર પ્રયોગ! 96 હોટસ્પોટ નક્કી કરાયા, AMC બાઉન્સરો રાખશે!

admin

સુરેન્દ્રનગર ડેપો ખાતે ત્રણ નવીન બસોનું લોકાર્પણ કરતાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો