April 16, 2026
સિવિલ હોસ્પિટલ
ગુજરાત

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી ૧૬ વર્ષીય કિશોરીનું કોરોનાને કારણે કરુણ મોત

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી વધુ એક મોત સારવાર હેઠળ રહેલી એક ૧૬ વર્ષીય કિશોરીનું કોરોનાને કારણે કરુણ મોત થયાના સમાચાર સામે આવ્યા છે, જેણે આરોગ્ય તંત્ર અને નાગરિકોમાં ચિંતા જગાવી છે. આ કિશોરીને બચાવવા માટે ડોકટરો દ્વારા રેમડેસિવિર અને ટોસીલીઝુમેબ જેવા ઇન્જેક્શનો સહિતના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા, છતાં તેનો જીવ બચાવી શકાયો નહોતો. આ ઘટના સાથે છેલ્લા કેટલાક દિવસોમાં અમદાવાદમાં કોરોનાને લીધે મૃત્યુ પામનારની મહિલાઓની સંખ્યા ૪ થઈ ગઈ છે, જેમાં અગાઉ ૩ મહિલાઓના મોત થયા હતા.

 

આ વચ્ચે એક સારા સમાચાર પણ છે કે આજે ૨૭ જેટલા દર્દીઓને કોરોનામુક્ત જાહેર કરીને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. રાજ્યના આરોગ્ય તંત્ર દ્વારા નાગરિકોને, ખાસ કરીને જે દર્દીઓ હાલ હોમ આઈસોલેશનમાં છે, તેઓને પોતાના સ્વાસ્થ્યનું સ્વનિરીક્ષણ કરવાનું ચાલુ રાખવા અપીલ કરવામાં આવી છે.

તંત્રએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો કોઈ દર્દીને ઘરે શ્વાસ લેવામાં તકલીફ કે પછી છાતીમાં દુખાવો થાય, તો તેમણે તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો હિતાવહ છે. કોરોનાના વધતા કેસ વચ્ચે સાવચેતી અને તાત્કાલિક તબીબી સલાહ લેવી અત્યંત આવશ્યક બની છે.

Related posts

રોયલ રાજપુત સંગઠન (મહિલાએ ઈકાંઈ)અને હિયા ફાઉન્ડેશન દ્વારા બ્લેન્કેટ વિતરણ કરાયું

Ahmedabad Samay

શ્રી રામ કુટિર ફ્લેટ ખાતે અનંતચતુર્થીએ વાજતા ગાજતા ગણેશ વિસર્જન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ: તથ્યકાંડ બાદ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં, મહિના સુધી સ્પેશિયલ ડ્રાઇવ, સ્ટંટબાજોના માતા-પિતા સામે પણ થશે કાર્યવાહી

Ahmedabad Samay

ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા બે દિવસથી કરવામાં આવી રહેલી કડક કાર્યવાહીના વિરોધમાં અમદાવાદ રિક્ષાચાલક એસોસિએશન દ્વારા રિક્ષા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું

Ahmedabad Samay

પ્રધાનમંત્રી મોદીનું આજ રોજ સાંજે ૫.૩૦ વાગ્‍યે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે

Ahmedabad Samay

E-FIR થી મોબાઈલ ચોરીનો ગુન્હો શામળાજીમાં નોંધાયો, LCBએ અમદાવાદના યુવકને ચોરીના મોબાઇલ સાથે દબોચી લીધો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો