આગ લાગવાનો સિલસિલો હજુ યથવાત જોવા મળી રહ્યો છે. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે આગ લાગતા સ્કૂલના છત પર ત્રણ લોકો ફસાયા હતા જેમને ફાયર બ્રિગેડના જવાનોએ સહી સલામત બચાવ્યા હતા.

આગ લાગવાની જાણ કરી ફાયર વિભાગને થતાં 10 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુ મેળવ્યો હતો. સ્કૂલમાં આગ લાગવાનુ કારણ હજુ અકબંધ છે.
