March 26, 2026
ગુજરાત

જ્યાં સુધી BRTS બંધ છે ત્યાં સુધી કોરિડોરનો તમામ વાહન ઉપયોગ કરી શકશે

અમદાવાદ શહેરમાં દિવસે દિવસે ભારે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળતા હોય છે. આ સમસ્યાનું નિવારણ લાવવા માટે આજે એએમસી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં શહેરના વિક્ટોરિયા ગાર્ડનથી સારંગપુર સર્કલ સુધી BRTS ટ્રેકમાં તમામ વાહનો દોડી શકશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નિર્ણયથી શહેરનીજનોમાં રાહત જોવા મળશે. સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે લાલદરવાજા તિલક બાગથી સારંગપુર સર્કલ સુધી BRTS ટ્રેક હવે તમામ વાહનવ્યવહાર માટે ખોલવાનો નિર્ણય કમિટિમાં લેવાયો છે. મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને જાણ કરી જાહેરનામું બહાર પાડવામાં આવશે. નેહરુબ્રિજ સમારકામ માટે છેલ્લા અનેક દિવસથી બંધ છે જેના કારણે એલિસબ્રિજથી સારંગપુર તરફ જવાના રોડ પર ખૂબ જ ટ્રાફિક થતો હતો.

રોડ પર BRTS ટ્રેક હોવાથી ટ્રાફિકમાં વધારો થતો હતો જવા દૂર કરવા આજે સ્ટેન્ડીંગ કમિટીમાં ચર્ચા બાદ તિલકબાગથી સારંગપુર સર્કલ સુધી તમામ વાહનો BRTS રૂટમાં પણ ચાલે તેનો નિર્ણય લેવાયો હતો જેથી લોકોને ટ્રાફિકમાં અગવડ ન પડે.

જો કે, હાલ કોરોના મહામારીના કારણે શહેરમાં 18 માર્ચથી BRTS અને AMTSની બસ સેવાઓ બંધ કરવામાં આવી છે જેથી BRTS અને AMTSના રસ્તાઓ હાલ બંધ રાખવામાં આવ્યા છે. BRTS બસો બંધ થતાં શહેરમાં લોકોએ અવરજવર માટે અન્ય વાહનોનો ઉપયોગ કર્યો છે. એટલે અન્ય વાહનોની સંખ્યા વધી છે. અગાઉ BRTS અને AMTS બસ સેવા ચાલુ હતી ત્યારે ટ્રાફિક જામ તો થતો જ હતો, પરંતુ હાલ BRTS/AMTS બસો બંધ હોવા છતાં ટ્રાફિક જામની સમસ્યા યથાવત જ છે.

Related posts

ગુહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ટ્વીટ કરી આપી જાણકારી

Ahmedabad Samay

કોરોના કાળમાં ગુજરાતમાં વધુ એક સંકટ, 19-20 મેના રોજ ‘તૌકતે’ વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રાટકવાની સંભાવના

Ahmedabad Samay

નરોડામાં યુવતીને વેચવાનો કિસ્સો આવ્યો સામે

Ahmedabad Samay

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં તાજા અને વ્યાજબી ભાવે મહાલક્ષ્મી શાકભાજી અને ફ્રુટ માર્કેટ શરૂ કરાયુ

Ahmedabad Samay

કરાઓકે દ્વારા ઓપન ગુજરાત કરાઓકે સુપરસ્ટાર સ્પર્ધા યોજી

Ahmedabad Samay

લીંબડી-અમદાવાદ હાઇવે પર અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો