June 24, 2026
ગુજરાત

જ્યાં સુધી BRTS બંધ છે ત્યાં સુધી કોરિડોરનો તમામ વાહન ઉપયોગ કરી શકશે

અમદાવાદ શહેરમાં દિવસે દિવસે ભારે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળતા હોય છે. આ સમસ્યાનું નિવારણ લાવવા માટે આજે એએમસી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં શહેરના વિક્ટોરિયા ગાર્ડનથી સારંગપુર સર્કલ સુધી BRTS ટ્રેકમાં તમામ વાહનો દોડી શકશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નિર્ણયથી શહેરનીજનોમાં રાહત જોવા મળશે. સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે લાલદરવાજા તિલક બાગથી સારંગપુર સર્કલ સુધી BRTS ટ્રેક હવે તમામ વાહનવ્યવહાર માટે ખોલવાનો નિર્ણય કમિટિમાં લેવાયો છે. મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને જાણ કરી જાહેરનામું બહાર પાડવામાં આવશે. નેહરુબ્રિજ સમારકામ માટે છેલ્લા અનેક દિવસથી બંધ છે જેના કારણે એલિસબ્રિજથી સારંગપુર તરફ જવાના રોડ પર ખૂબ જ ટ્રાફિક થતો હતો.

રોડ પર BRTS ટ્રેક હોવાથી ટ્રાફિકમાં વધારો થતો હતો જવા દૂર કરવા આજે સ્ટેન્ડીંગ કમિટીમાં ચર્ચા બાદ તિલકબાગથી સારંગપુર સર્કલ સુધી તમામ વાહનો BRTS રૂટમાં પણ ચાલે તેનો નિર્ણય લેવાયો હતો જેથી લોકોને ટ્રાફિકમાં અગવડ ન પડે.

જો કે, હાલ કોરોના મહામારીના કારણે શહેરમાં 18 માર્ચથી BRTS અને AMTSની બસ સેવાઓ બંધ કરવામાં આવી છે જેથી BRTS અને AMTSના રસ્તાઓ હાલ બંધ રાખવામાં આવ્યા છે. BRTS બસો બંધ થતાં શહેરમાં લોકોએ અવરજવર માટે અન્ય વાહનોનો ઉપયોગ કર્યો છે. એટલે અન્ય વાહનોની સંખ્યા વધી છે. અગાઉ BRTS અને AMTS બસ સેવા ચાલુ હતી ત્યારે ટ્રાફિક જામ તો થતો જ હતો, પરંતુ હાલ BRTS/AMTS બસો બંધ હોવા છતાં ટ્રાફિક જામની સમસ્યા યથાવત જ છે.

Related posts

અમદાવાદના એરપોર્ટથી નિકોલ સુધી વડાપ્રધાનનો રોડ શો યોજાયો હતો જ્યાં વડાપ્રધાનને આવકારવા હજારો લોકોની ભીડ જામી

Ahmedabad Samay

અમદાવાદ: થલતેજ-શીલજ બ્રિજ નીચે ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ, વીડિયો વાયરલ

Ahmedabad Samay

રંગમચ દિવસ પર વિધાનસભામાં આવવા માટે વિક્રમ ઠાકોરને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ વિધાનસભામાં ગયા નહિ

Ahmedabad Samay

અનલોક 3 ની તૈયારી શરૂ, ઇન્ટરનેશનલ ફ્લાઇટ, જીમ, થિયેટર ચાલુ થાય તેવી શકયતા

Ahmedabad Samay

અમદાવાદના નવા નરોડામાં ચડ્ડી બનિયાન ધારી ગેંગે કરી લૂંટ

Ahmedabad Samay

અમદાવાદમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ જોવા મળ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો