March 24, 2026
ગુજરાત

આ વર્ષે ૯મી મેથી ૧૨ જૂન સુધી ૩૫ દિવસનું રહેશે ઉનાળુ વેકેશન

રાજયની પ્રાથમિક અને માધ્‍યમિક શાળાઓમાં ૩૫ દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્‍યું છે. બે વર્ષથી કોરોનાના કારણે સ્‍કૂલો બંધ રહેવાના કારણે પરીક્ષા સહિતના શિડ્‍યુલ ખોરવાઈ ગયા હતા, જે બાદ આ વર્ષે સ્‍કૂલોમાં પરીક્ષા લેવાઈ છે અને વેકેશન સહિતના શૈક્ષણિક કાર્યો સામાન્‍ય બની રહ્યા છે. હાલ રાજયમાં ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. જે બાદ પ્રાથમિક અને માધ્‍યમિક શાળાઓમાં પરીક્ષા લેવાશે અને તે પછી વેકેશન જાહેર કરવામાં આવ્‍યું છે.

આ વર્ષે પ્રાથમિક અને માધ્‍યમિક એમ બન્નેના વેકેશન એક સાથે શરુ થશે. આમ થવાથી જે વાલીઓના બાળકો પ્રાથમિક તથા માધ્‍યમિક એમ અલગ-અલગ અભ્‍યાસ કરતા હોય તેમને પણ વેકેશનમાં કેટલાક આયોજનો કરવામાં સરળતા રહેશે.
દરેક જિલ્લાના શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા સંકલન કરીને બન્ને વર્ગોના સાથે વેકેશન જાહેર કરવામાં આવ્‍યા છે. જેમાં તારીખ ૯ મેંથી ૧૨ જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે. મહત્‍વનું છે કે, દર વર્ષે વાર્ષિક શૈક્ષણિક કેલેન્‍ડર પ્રમાણે ઉનાળુ અને દિવાળી વેકેશન જાહેર કરવામાં આવતા હોય છે.

આ સાથે કેટલીક જાહેર રજાઓ દરમિયાન ક્‍યારે રજા રહેશે તે પણ અગાઉથી નિશ્‍ચિત હોય છે. માધ્‍યમિક શાળાઓ માટે બોર્ડ દ્વારા વાર્ષિક કેલેન્‍ડર અગાઉ જાહેર કરવામાં આવ્‍યું છે જોકે, હવે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પણ માધ્‍યમિક પ્રમાણે વેકેશનની તારીખ જાહેર કરવામાં આવી છે.
૯મી મેથી ૧૨ જૂન સુધી ૩૫ દિવસનું ઉનાળુ વેકેશન રહ્યા બાદ માધ્‍યમિક અને પ્રાથમિક શાળાઓ ૧૨ જૂનથી ફરી નવા સત્ર સાથે રાબેતા મુજબ શરુ કરવામાં આવશે. ભૂતકાળમાં પ્રાથમિક અને માધ્‍યમિક શાળાઓમાં અલગ-અલગ દિવસોમાં વેકેશન જાહેર કરવામાં આવતું હતું, જેના લીધે કેટલીક મુશ્‍કેલીઓ ઉભી થતી હતી.

હવે આ સમસ્‍યાઓના નિવારણ માટે સરકારી, ગ્રાન્‍ટેડ અધ્‍યાપક મંદિર, બાલ અધ્‍યાપન મંદિર, સ્‍વનિર્ભર પીટીસી કોલેજ સહિતની કચેરીઓમાં એક સરખું વેકેશન રાખવાની તાકીદ કરવામાં આવી છે. આમ થવાથી પ્રાથમિક અને માધ્‍યમિક એક અલગ-અલગ અભ્‍યાસ કરતા બાળકોના વાલીઓને પણ રાહત મળશે અને તેઓ વેકેશન એક સરખું હોવાથી સરળતાથી કેટલાક આયોજન કરી શકશે.
મહત્‍વનું છે કે, કોરોનાના કારણે શૈક્ષણિક શિડ્‍યુંલ ખોરવાઈ ગયું હતું, જેમાં પરીક્ષા સહિતના આયોજનમાં ફેરફાર કરવા પડ્‍યા હતા.

જોકે, આ વખતે કોરોનામાં દ્યણી મોટી રાહત મળતા સ્‍થિતિ કાબૂમાં આવતી શૈક્ષણિક કાર્યો નિશ્ચિત સમયે યોજાઈ રહ્યા છે. જો ચોથી લહેરનું જોખમ ઉભું ના થયું તો આગામી શૈક્ષણિક વર્ષ પણ આયોજન પ્રમાણે આગળ વધતું રહેશે.

Related posts

અમદાવાદમાં દારૂના વેચાણ કરવામાં વધુ એક વિસ્તારનો થયો ઉમેરો,અડ્ડાનું સ્થળ જોઈ મોટો હપ્તો હશે

Ahmedabad Samay

મહાશિવરાત્રી’ નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્‍તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા ફરમાન જાહેર

Ahmedabad Samay

મલ્‍ટી કોમોડિટી એક્‍સચેન્‍જ અને બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો

Ahmedabad Samay

વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આવનજાવન કરવા માટે ગુજરાત એસટીનો (GSTC)નો ફ્રી પાસ આપવામાં આવશે.

Ahmedabad Samay

લોકડાઉનમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ આપતો કિસ્સો

Ahmedabad Samay

જીબીએસ જેવી ગંભીર બીમારી પર જીત માટે મુકબધીર યુવતીનો અનોખો જંગ, 25 વર્ષીય કાજલને મળ્યું નવજીવન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો