June 22, 2026
ગુજરાત

આ વર્ષે ૯મી મેથી ૧૨ જૂન સુધી ૩૫ દિવસનું રહેશે ઉનાળુ વેકેશન

રાજયની પ્રાથમિક અને માધ્‍યમિક શાળાઓમાં ૩૫ દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્‍યું છે. બે વર્ષથી કોરોનાના કારણે સ્‍કૂલો બંધ રહેવાના કારણે પરીક્ષા સહિતના શિડ્‍યુલ ખોરવાઈ ગયા હતા, જે બાદ આ વર્ષે સ્‍કૂલોમાં પરીક્ષા લેવાઈ છે અને વેકેશન સહિતના શૈક્ષણિક કાર્યો સામાન્‍ય બની રહ્યા છે. હાલ રાજયમાં ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. જે બાદ પ્રાથમિક અને માધ્‍યમિક શાળાઓમાં પરીક્ષા લેવાશે અને તે પછી વેકેશન જાહેર કરવામાં આવ્‍યું છે.

આ વર્ષે પ્રાથમિક અને માધ્‍યમિક એમ બન્નેના વેકેશન એક સાથે શરુ થશે. આમ થવાથી જે વાલીઓના બાળકો પ્રાથમિક તથા માધ્‍યમિક એમ અલગ-અલગ અભ્‍યાસ કરતા હોય તેમને પણ વેકેશનમાં કેટલાક આયોજનો કરવામાં સરળતા રહેશે.
દરેક જિલ્લાના શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા સંકલન કરીને બન્ને વર્ગોના સાથે વેકેશન જાહેર કરવામાં આવ્‍યા છે. જેમાં તારીખ ૯ મેંથી ૧૨ જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે. મહત્‍વનું છે કે, દર વર્ષે વાર્ષિક શૈક્ષણિક કેલેન્‍ડર પ્રમાણે ઉનાળુ અને દિવાળી વેકેશન જાહેર કરવામાં આવતા હોય છે.

આ સાથે કેટલીક જાહેર રજાઓ દરમિયાન ક્‍યારે રજા રહેશે તે પણ અગાઉથી નિશ્‍ચિત હોય છે. માધ્‍યમિક શાળાઓ માટે બોર્ડ દ્વારા વાર્ષિક કેલેન્‍ડર અગાઉ જાહેર કરવામાં આવ્‍યું છે જોકે, હવે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પણ માધ્‍યમિક પ્રમાણે વેકેશનની તારીખ જાહેર કરવામાં આવી છે.
૯મી મેથી ૧૨ જૂન સુધી ૩૫ દિવસનું ઉનાળુ વેકેશન રહ્યા બાદ માધ્‍યમિક અને પ્રાથમિક શાળાઓ ૧૨ જૂનથી ફરી નવા સત્ર સાથે રાબેતા મુજબ શરુ કરવામાં આવશે. ભૂતકાળમાં પ્રાથમિક અને માધ્‍યમિક શાળાઓમાં અલગ-અલગ દિવસોમાં વેકેશન જાહેર કરવામાં આવતું હતું, જેના લીધે કેટલીક મુશ્‍કેલીઓ ઉભી થતી હતી.

હવે આ સમસ્‍યાઓના નિવારણ માટે સરકારી, ગ્રાન્‍ટેડ અધ્‍યાપક મંદિર, બાલ અધ્‍યાપન મંદિર, સ્‍વનિર્ભર પીટીસી કોલેજ સહિતની કચેરીઓમાં એક સરખું વેકેશન રાખવાની તાકીદ કરવામાં આવી છે. આમ થવાથી પ્રાથમિક અને માધ્‍યમિક એક અલગ-અલગ અભ્‍યાસ કરતા બાળકોના વાલીઓને પણ રાહત મળશે અને તેઓ વેકેશન એક સરખું હોવાથી સરળતાથી કેટલાક આયોજન કરી શકશે.
મહત્‍વનું છે કે, કોરોનાના કારણે શૈક્ષણિક શિડ્‍યુંલ ખોરવાઈ ગયું હતું, જેમાં પરીક્ષા સહિતના આયોજનમાં ફેરફાર કરવા પડ્‍યા હતા.

જોકે, આ વખતે કોરોનામાં દ્યણી મોટી રાહત મળતા સ્‍થિતિ કાબૂમાં આવતી શૈક્ષણિક કાર્યો નિશ્ચિત સમયે યોજાઈ રહ્યા છે. જો ચોથી લહેરનું જોખમ ઉભું ના થયું તો આગામી શૈક્ષણિક વર્ષ પણ આયોજન પ્રમાણે આગળ વધતું રહેશે.

Related posts

ગાંધીનગર: ગૃહમાં રાજ્ય સરકારે સ્વીકાર્યું, છેલ્લા 3 વર્ષમાં 325 સિંહના મૃત્યું થયા, આટલાના અકુદરતી રીતે મોત

Ahmedabad Samay

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી, જાણો ક્યાં ખાબકશે વરસાદ

Ahmedabad Samay

વૃદ્ધ મહિલા ડોક્ટર પાસેથી ૧૯ કરોડથી વધુ ડિજિટલ એરેસ્ટ મામલે સ્ટેટ સાયબર સેલે વધુ ૮ આરોપીઓની ધરપકડ કરી

Ahmedabad Samay

કાલુપુર બ્રિજ બુલેટ ટ્રેન કોરિડોરના નિર્માણ કાર્ય માટે 22 મે થી 25 મે સુધી રાત્રે વાહન વ્યવહાર માટે બંધ રહેશે, જાણો વૈકલ્પિક માર્ગ

Ahmedabad Samay

આ માસથી આમ નાગરિકો માટે LPG અને UPIના નવા નિયમો લાગુ પડશે, ફેરફારો દેશના નાગરિકોની જીવનશૈલી અને ખિસ્‍સા પર સીધી અસર છોડશે.

Ahmedabad Samay

વધાની ખુશ્બુ અને પ્રતિમા એજ્યુકેશન દ્વારા આજ રોજ ડીઝીટલ દિવસની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો