May 9, 2026
દુનિયા

ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન, હમાસના હુમલામાં એક ભારતીયનું મૃત્યુ

ઇઝરાઇલના સંરક્ષણ પ્રધાન બેની ગેન્ટઝનું કહેવું છે કે ઇઝરાઇલ હજી પણ હમાસ અને અન્ય મુસ્લિમ ઉગ્રવાદી સંગઠનો પર વધુ ખતરનાક હુમલાઓ કરશે. હુમલો થયા પછી જ કોઈ શાંતિ સ્થાપવા માટે વાટાઘાટો કરાશે.

ઇઝરાઇલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ખુલ્લી ધમકી આપી છે. તેમણે કહ્યું કે આ માત્ર શરૂઆત છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ઇઝરાઇલ ઉગ્રવાદી સંગઠનોને એવો શખત પાઠ ભણાવશે કે તેઓએ તેમના સપનામાં વિચાર્યું નહિ હોય.

પેલેસ્ટાઇનીઓએ ઇઝરાયલ ઉપર દોઢસોથી વધુ રોકેટો છોડયા તેમાં ભારતીય મુળની શ્રીમતી સૌમ્યા સંતોષનું મૃત્યુ થયુ છે. હમાસ દ્વારા આડેધડ ત્રાસવાદી હુમલાએ નિદોર્ષના જીવ લીધા છે. ૯ વર્ષના તેના પુત્ર અને પતિએ માતા અને પત્નિ ગુમાવી છે. ભારત ખાતેના ઇઝરાયલી એલચીએ ટવીટર ઉપર ઉંડી સંવેદના દર્શાવી છે.

ઇઝરાયલે કરેલ વળતા હુમલામાં પેલેસ્ટાઇન હમાસ જુથના ચીફ ઓફ સ્ટાફ મોહમ્મદ કૈફ માર્યો ગયોઃ અનેક મોત માત્ર ૯૦ લાખની વસ્તી ધરાવતો ઇઝરાયલ પૃથ્વી પરના સૌથી નાના દેશો માહેનો છે. તેણે આજ સુધીમાં ૭ મોટા યુધ્ધ ખેલ્યા છે. પર મોટા પાયાના હુમલા ઝેલ્યા છે. ચારે બાજુથી દુશ્મનો અને ધમકીઓથી ઘેરાયેલ છે. લગભગ રોજ ત્રાસવાદી હુમલા થાય છે. પરંતુ દરેક વખતે વધુ મજબુત થઇને બહાર આવે છે. કારણ કે તેના નાગરીકો ખરા રાષ્ટ્રવાદથી રંગાયેલા છે. સખ્ત મહેનતુ અને એક છે. ભારત હંમેશ તેમની સાથે રહયું છે.

Related posts

અઝરબૈજાનથી તુર્કી જઈ રહેલું એક તુર્કી C-130 લશ્કરી કાર્ગો વિમાન જ્યોર્જિયા-અઝરબૈજાન સરહદ પર ક્રેશ થયું

Ahmedabad Samay

હોર્મુઝ સ્ટ્રેટને અસર કરતી વૈશ્વિક ઉર્જા કટોકટીને કારણે, હવે ઇન્ટરનેટ આઉટેજનું જોખમ

Ahmedabad Samay

ભારત પ્રવાસ પર PAK વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો, ગોવા આવતા પહેલા કહી આ વાત

Ahmedabad Samay

ઇઝરાયલના નેવાતિમમાં મહારાજા દિગ્વિજયસિંહજી રણજીતસિંહજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

ઇંગ્લેન્ડ મૃત વ્યક્તિ થયો જીવંત, હો

Ahmedabad Samay

પેરિસના ગોરી મેમનું આવ્યું ભારતીય યુવક પર દિલ , ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કર્યા લગ્ન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો