June 24, 2026
ગુજરાત

ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વેકસીનેશન સેન્ટર સુધી પહોંચાડવા “રસીકરણ સેવા રથ” થકી વેકસીનેશન શરૂ કરાયુ

અમદાવાદમાં ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક નવી પહેલ, અમદાવાદના 48 વોર્ડમાં 45થી વધુ વયના લોકોને પોતાની ગાડીમાં બેસાડી વેકસીનેશન સેન્ટર સુધી પહોંચાડવા “રસીકરણ સેવા રથ” થકી વેકસીનેશન કરાવડાવ્યું.
ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટની 120થી વધુ મોટર કાર આખો દિવસ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં પોતાની ગાડીમાં 45થી વધુ વયના લોકોને વેકસીનેશન કરાવ્યું.


ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષશ્રી સુરેન્દ્ર નાઈકે જણાવ્યું કે કોરોના જેવી વૈશ્વિક ગંભીર બીમારી સામે લડવા વેકસીનેશન ખૂબ જ જરૂરી છે. વધુમાં વધુ લોકો વેક્સીન લે તે માટે અમે એક પહેલ કરી છે. જેમાં અમદાવાદના દરેક વોર્ડમાં અમારા વોલીએન્ટર જઈ જે પણ 45થી વધુ વયની ઉંમરના લોકોનો સંપર્ક કરી તેવોને પોતાની ગાડીમાં બેસાડી વેકસીનેશન સેન્ટર સુધી પહોંચાડવાનું કામ હાથ ધરાવાયું હતું.

આજે સવારે પૂજ્યશ્રી વ્રજકુમાર મહારાજજીના આર્શીવાદ વચન અને જીટીયુના કુલપતિશ્રી નવીનભાઈ શેઠ દ્વારા “રસીકરણ સેવા રથ” ને ઝડી બતાવી પ્રસ્થાન કરવાવવામાં આવ્યું.

Related posts

ઉત્તર ભારતીય વિકાસ પરિસદ દ્વારા શિવ બારાત સભા અને સ્નેહ મિલન ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું,

Ahmedabad Samay

શનિવારથી વરસાદી માહોલની આગાહી

Ahmedabad Samay

ગૃહમંત્રાલયએ અનલોક.૦૫ ની ગાઈડલાઈ જાહેર કરી

Ahmedabad Samay

અમદાવાદ – AMC ડ્રેનેજ લીકેજનું સમારકામ ભૂલી ગઈ, ઉપર બનાવેલો રોડ તોડવો પડ્યો

Ahmedabad Samay

કલાયમેટ ચેન્જના પ્રશ્નોને હલ કરવાના લાંબાગાળાના એકશન પ્લાનને અમલમાં મુકનારૂ ગુજરાત દેશનું પ્રથમ રાજય બનશે

Ahmedabad Samay

વડોદરા: MS યુનિવર્સિટીમાં ઠેર-ઠેર લાગ્યા ‘વીસી લાપતા’ના પોસ્ટર, રાજીનામું આપવા સુધીની ઊઠી માગ!

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો