May 8, 2026
ગુજરાત

દરિયાપુર વિસ્તારમાં લખોટાની પોળની બહાર આવેલું જર્જરિત મકાન ધરાશાયી થયું

“શહેરના દરિયાપુર વિસ્તારમાં લખોટાની પોળની બહાર આવેલું જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યો મકાનના કાટમાળ નીચે દટાયા હતા. તમામને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા.
દરિયાપુર વિસ્તારમાં લખોટાની પોળ આવેલી છે. પોળના રોડ પર શેખ પરિવારનું મકાન આવેલુ છે. આ મકાનમાં ઈરફાન પીરભાઈ શેખ પોતાના પરિવાર સાથે રહે છે. પરિવારનો સ્ટીમ પ્રેસનો વ્યવસાય છે.

તેમનુ મકાન અત્યંત જર્જરિત હાલતમાં હતું.એક માળના મકાનમાં ઉપરના ભાગે અનેક તિરાડો પડી હતી. તેમજ ધાબા પર પણ લીકેજ હોવાથી વરસાદમાં પાણી ન પડે એના માટે પ્લાસ્ટિક ઢાંકવામાં આવ્યું હતું. મકાનની વચ્ચેનો ભાગ નબળો પડી ગયો હતો. તેથી તે સૌથી પહેલા પડ્યો હતો,

ત્યારે સોમવારની રાત્રે મકાનનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો હતો. જેમાં ઈરફાન પીરભાઈ શેખ (૩૯ વર્ષ), રેશમાં ઈરફાન શેખ (૨૮ વર્ષ) અને પીરભાઈ રમજુભાઈ શેખ (૭૦ વર્ષ ) કાટમાળ નીચે દબાયા હતા. ફાયરબ્રિગેડની ટીમે તમામ લોકોનું ઝડપથી રેસ્ક્યૂ કરી સારવાર માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા.

 

Related posts

હાર્દિક પટેલ દ્વારા જનતા ને અને કોંગ્રેસ પક્ષના આગેવાનો ને સંબોધન

Ahmedabad Samay

નવરાત્રી પર્વ નિમિત્તે ગરબાના આયોજન ને લઇ આજે લેવાશે નિર્ણય

Ahmedabad Samay

આ કારણે નરોડા બેઠક પર છેલ્લી ઘડીએ નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની ના પાડી

Ahmedabad Samay

TDS ભરવા માટે ટેકસપેયર્સ પાસે વધારે સમય હશે,૧૫ જુલાઇ સુધી ભરાશે TDS

Ahmedabad Samay

૧૨૦૦ બેડમાં સેવા આપતા એક સેવકની આંખો દેખી વ્યથા,એક સામાન્ય નાગરિક ની લાગણી : મજાક ના સમજતા કોરોના ને

Ahmedabad Samay

AIMIMને વિપક્ષ તરીકેનું સ્થાન આપવાની મેયરને રજૂઆત કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો