March 28, 2026
ગુજરાત

TDS ભરવા માટે ટેકસપેયર્સ પાસે વધારે સમય હશે,૧૫ જુલાઇ સુધી ભરાશે TDS

“કોરોનાની બીજી લહેરને જોતા સરકારે ટેકસપેયર્સ માટે થોડીક રાહતોની જાહેરાત કરી છે. સરકારે ઈન્કમ ટેકસ સાથે જોડાયેલા કામોની ડેડલાઈન આગળ ધપાવી દીધી છે. જેમ કે TDS ભરવા માટે ટેકસપેયર્સ પાસે વધારે સમય હશે, સાથે જ પહેલી વાર ઘર ખરીદતા લોકોને સરકારે ટેકસ રાહત આગળ લંબાવી દીધી છે.

નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના ચોથા કવાર્ટર (જાન્યુઆરી-માર્ચ) માટે ટીડીએસ નિવેદન રજૂ કરવાની છેલ્લી તારીખ હવે ૧૫ જુલાઈ, ૨૦૨૧ કરવામાં આવી છે, જે અગાઉ ૩૦ જૂન હતી.

આવકવેરા વિભાગના આદેશ અનુસાર, ફોર્મ -૧૬ જારી કરવાની અંતિમ તારીખ હવે ૩૧ જુલાઈ સુધી લંબાવી દેવામાં આવી છે, જે અગાઉ ૧૫ જુલાઇ હતી. આ એમ્પ્લોયરોને થોડો સમય આપશે.

હવે તમારી પાસે આધારકાર્ડ-પાનને લિંક કરવા ૩૦ સપ્ટેમ્બર સુધીનો સમય છે. જો તમે આ સમયમર્યાદા દ્વારા આ બે મહત્વપૂર્ણ દસ્તાવેજોને લિંક કરવામાં નિષ્ફળ જાઓ છો, તો તમારું પેનકાર્ડ ‘નિષ્ક્રિય’ બની જશે, તમે ૧૦૦૦ના દંડ ઉપરાંત કોઈ આર્થિક કાર્ય કરી શકશો નહીં.

વેરા સંબંધિત વિવાદોના સમાધાન માટે શરૂ કરાયેલ વિવાદ સે વિશ્વાસ યોજના અંતર્ગત હવે કેન્દ્ર સરકારે વ્યાજ વિના ચુકવણી કરવાની અંતિમ તારીખ ૩૧ ઓગસ્ટ, ૨૦૨૧ સુધી વધારી દીધી છે. આ યોજના ઓકટોબર ૨૦૨૦ માં શરૂ કરવામાં આવી હતી.

કોવિડ -૧૯ ની સારવાર માટે જેમણે તેમના એમ્પ્લોયર, મિત્રો અને સંબંધીઓ પાસેથી લોન લીધી છે, તેઓએ તે રકમ પર કોઈ ટેકસ ભરવો પડશે નહીં. જો કોવિડને કારણે કુટુંબના કોઈ સભ્યનું મોત થાય છે, તો પછી કંપનીમાંથી જે પણ રકમ લેવામાં આવશે તે સંપૂર્ણપણે કરમુકત રહેશે. જયારે ૧૦ લાખ સુધીની રકમ સહાય માટે કોઈ સંબંધી પાસેથી લેવામાં આવે તો તે કરમુકત રહેશે.

આ ઉપરાંત સરકારે પહેલીવાર ઘર ખરીદનારાઓને રાહત આપી છે. સરકારે આવા લોકોના રોકાણ પર મળતી વિશેષ કર રાહતની અંતિમ મુદત લંબાવી છે. હવે રહેણાંક મકાનને વધુ ૩ મહિનાના કર કપાતનો લાભ મળશે. આવકવેરાની કલમ Under ૫૪ હેઠળ, કોઈ વ્યકિત મકાન વેચે છે અને તેમાંથી મૂડી લાભ મેળવે છે, પરંતુ તે ૨ વર્ષમાં બીજું મકાન ખરીદે છે, પછી તેને તેના પરના કરમાંથી મુકિત આપવામાં આવે છે. આવા સંજોગોમાં હવે ટેકસમાં રાહત ૩ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.

આ સિવાય કેટલીક સમયમર્યાદા જે પહેલાથી વધારી દેવામાં આવી છે. વ્યકિતઓ હવે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧જ્રાક્નત્ન મળેલી આવક પર ૩૧ જુલાઈને બદલે ૩૦ સપ્ટેમ્બર સુધી વેરા વળતર ફાઇલ કરી શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસ (સીબીડીટી) એ કંપનીઓ માટે વળતર ફાઇલ કરવાની અંતિમ તારીખ ૩૧ ઓકટોબરથી ૩૦ નવેમ્બર ૨૦૨૧ સુધી વધારી દીધી છે. કોઈ કરદાતા કે જેણે અંતિમ મુદત પછી પણ પોતાનું વળતર ભર્યું નથી, તે બેલેટેડ આઇટીઆર ફાઇલ કરી શકે છે, પરંતુ આ માટે તેણે દંડ ભરવો પડશે. બેલેટેડ આઇટીઆર અથવા રિવાઇઝડ આઇટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ હવે ૩૧ જાન્યુઆરી, ૨૦૨૨ છે.”

Related posts

અમદાવાદના સોલા પોલીસે સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદેસર વસવાટ કરતા 17 જેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે અમદાવાદ મહાનગરમાં પાંજરાપોળ અને પંચવટી પર બે નવા ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે ૧૮૫.૧૨ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી

Ahmedabad Samay

કોરોના કેસ વધતા મનપા કમિશનરને અપાઇ છુટ, આજે થશે વધુ ચર્ચા:ડે. સી.એમ નીતિનભાઈ પટેલ

Ahmedabad Samay

મેઘાણીનગરમાં જાહેરમાં થઈ હત્યા, રીંકુ ઉર્ફે ટમાટરે જાહેરમાં કરી હત્યા

Ahmedabad Samay

સુરત – સરકારી અનાજની કાળાબજારી કરનાર સામે કાર્યવાહી, 5 મહિના પછી બેની ધરપકડ

Ahmedabad Samay

અમદાવાદીઓ દિવાળીમાં રાત્રે ૦૮ થી ૧૦ વાગ્યા દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો