May 10, 2026
ગુજરાત

શહેરમાં મચ્છરજન્ય રોગોમાં વધારો,ચીકનગુનિયાના કેસોમાં સતત વધારો

શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારોમાં ડેન્ગ્યૂ અને ચીકનગુનિયાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ ખાતાએ આજે જાહેર કરેલા આંકડા મુજબ, તા.1થી 18 સપ્ટેમ્બરના 18 દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં સાદા મેલેરિયાના 165, ઝેરી મેલેરિયાના 12, ડેન્ગ્યૂના 427 અને ચીકનગુનિયાના 183 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં નોંધાયેલા 427 કેસ પૈકી 250 કેસ તો છેલ્લા એક અઠવાડિયામાં નોંધાયા છે. અમદાવાદમાં આઉટડોર ટ્રીટમેન્ટ લેનારા દર્દીઓની સંખ્યા ચારથી પાંચ ગણી માનવામાં આવે છે.

અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ ખાતાએ નવ વિસ્તારોમાં ડેન્ગ્યૂ અને ચીકનગુનિયાના કેસો વધારે આવતાં હોવાથી તે વિસ્તારોમાં તપાસ કરી હતી તો મચ્છરોના બ્રિડિંગ મળી આવ્યા હતા. ઉપરોક્ત 18 દિવસમાં ઝાડાઉલ્ટીના 218, કમળાના 144 અને ટાઇફોઇડના 211 કેસ નોંધાયા છે. અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ ખાતાએ જણાવ્યું હતુ કે, છેલ્લા અઠવાડિયા એટલે કે, તા.1થી 18 સપ્ટેમ્બર દરમિયાન કુલ 250 ડેન્ગ્યૂના કેસ નોંધાયા છે.

Related posts

રાજકોટમાં સર્વત્ર વરસાદ: ઉપલેટાનાં વેણુ – ૨નાં દરવાજા ખોલ્યા, આજી-૩ ડેમ પણ ૭૦% ભરાયો

Ahmedabad Samay

અમદાવાદ-વર્લ્ડ કપની ફાઈનલ તેમજ ભારત પાકિસ્તાનની હાઈવોલ્ટેજ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાય તેવી શક્યતા

Ahmedabad Samay

અસારવામાં રહેતી યુવતીએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા મારવાની ધમકી અપાઈ

Ahmedabad Samay

૧૦મી નવેમ્‍બરે ભાજપની પહેલી યાદી આવી શકે છે.

Ahmedabad Samay

અમદાવાદમાં અકસ્માત બાદ પોલીસ એલર્ટ, 100થી વધુ જગ્યાએ વાહન ચેકિંગ ડ્રાઈવ

Ahmedabad Samay

ગુજરાતની પ્રજા ચેતી જજો, મહારાષ્ટ્રમાં આજથી સોમવાર સવાર સુધી લોકડાઉન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો