March 26, 2026
ગુજરાત

શહેરમાં મચ્છરજન્ય રોગોમાં વધારો,ચીકનગુનિયાના કેસોમાં સતત વધારો

શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારોમાં ડેન્ગ્યૂ અને ચીકનગુનિયાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ ખાતાએ આજે જાહેર કરેલા આંકડા મુજબ, તા.1થી 18 સપ્ટેમ્બરના 18 દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં સાદા મેલેરિયાના 165, ઝેરી મેલેરિયાના 12, ડેન્ગ્યૂના 427 અને ચીકનગુનિયાના 183 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં નોંધાયેલા 427 કેસ પૈકી 250 કેસ તો છેલ્લા એક અઠવાડિયામાં નોંધાયા છે. અમદાવાદમાં આઉટડોર ટ્રીટમેન્ટ લેનારા દર્દીઓની સંખ્યા ચારથી પાંચ ગણી માનવામાં આવે છે.

અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ ખાતાએ નવ વિસ્તારોમાં ડેન્ગ્યૂ અને ચીકનગુનિયાના કેસો વધારે આવતાં હોવાથી તે વિસ્તારોમાં તપાસ કરી હતી તો મચ્છરોના બ્રિડિંગ મળી આવ્યા હતા. ઉપરોક્ત 18 દિવસમાં ઝાડાઉલ્ટીના 218, કમળાના 144 અને ટાઇફોઇડના 211 કેસ નોંધાયા છે. અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ ખાતાએ જણાવ્યું હતુ કે, છેલ્લા અઠવાડિયા એટલે કે, તા.1થી 18 સપ્ટેમ્બર દરમિયાન કુલ 250 ડેન્ગ્યૂના કેસ નોંધાયા છે.

Related posts

અમદાવાદ: રાજ્યમાં સીઝનના ત્રણ રાઉન્ડ દરમિયાન 83 ટકા વરસાદ ખાબક્યો, બે ઝોનમાં 100 ટકાથી પણ વધુ વરસાદ

Ahmedabad Samay

કાગડાપીઠ વિસ્તારમાં વૃદ્ધ સાથે ડિજિટલ અરેસ્ટ નામે રૂપિયા પડવનાર 2 આરોપી ઝડપાયા

Ahmedabad Samay

૨૦૨૦ માં આ ઘટનાઓ માટે રહેશે યાદગાર

Ahmedabad Samay

બાપા સીતારામ ગ્રુપ દ્વારા ધૈર્ય રાજ માટે ૨.૫૧.૫૦૧ રૂ. ફાળો એકત્રિત કરાયો

Ahmedabad Samay

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ હિંદુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ હિન્દૂ સેના દ્વારા FIR નોંધવા અરજી કરાઇ

Ahmedabad Samay

૧૭ જેલોમાં ૧૭૦૦ થી વધુ પોલીસ કાફલા સાથે વહેલી પરોઢ સુધી ચેકીંગ ચાલ્યુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો