March 23, 2026
ગુજરાત

શહેરમાં મચ્છરજન્ય રોગોમાં વધારો,ચીકનગુનિયાના કેસોમાં સતત વધારો

શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારોમાં ડેન્ગ્યૂ અને ચીકનગુનિયાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ ખાતાએ આજે જાહેર કરેલા આંકડા મુજબ, તા.1થી 18 સપ્ટેમ્બરના 18 દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં સાદા મેલેરિયાના 165, ઝેરી મેલેરિયાના 12, ડેન્ગ્યૂના 427 અને ચીકનગુનિયાના 183 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં નોંધાયેલા 427 કેસ પૈકી 250 કેસ તો છેલ્લા એક અઠવાડિયામાં નોંધાયા છે. અમદાવાદમાં આઉટડોર ટ્રીટમેન્ટ લેનારા દર્દીઓની સંખ્યા ચારથી પાંચ ગણી માનવામાં આવે છે.

અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ ખાતાએ નવ વિસ્તારોમાં ડેન્ગ્યૂ અને ચીકનગુનિયાના કેસો વધારે આવતાં હોવાથી તે વિસ્તારોમાં તપાસ કરી હતી તો મચ્છરોના બ્રિડિંગ મળી આવ્યા હતા. ઉપરોક્ત 18 દિવસમાં ઝાડાઉલ્ટીના 218, કમળાના 144 અને ટાઇફોઇડના 211 કેસ નોંધાયા છે. અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ ખાતાએ જણાવ્યું હતુ કે, છેલ્લા અઠવાડિયા એટલે કે, તા.1થી 18 સપ્ટેમ્બર દરમિયાન કુલ 250 ડેન્ગ્યૂના કેસ નોંધાયા છે.

Related posts

કોરોના કેસ વધતા ૦૮ મહાનગરોમાં રાત્રી કરફ્યુનો સમય લંબાવ્યો

Ahmedabad Samay

અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે નવી AC પ્રતિક્ષાલયની શરૂઆત કરવામાં આવી

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ ની તૃતિય વર્ષગાંઠ હોવાથી યોજાઈ હતી બેઠક

Ahmedabad Samay

રાજકોટ જિલ્લામાં મિલકતને લગતા 6 કેસોમાં લેન્ડગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવા આદેશ

Ahmedabad Samay

ઇન્ડિયા કોલોની વોર્ડ ખાતે  ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન કરાયું

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે કુહા ખાતે વૃદ્ધાશ્રમમાં નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો