May 7, 2026
ગુજરાત

ધો. ૧૦-૧૨ પુરક પરીક્ષાનું પરિણામ ૧૨ વાગ્યે જાહેર કરવામાં આવશે, વોટ્સપ પર પણ જોઈ શકાશે રિઝલ્ટ

ધોરણ 10 અને 12માં મુખ્ય પરીક્ષામાં નાપાસ થયેલા અને પૂરક પરીક્ષા આપેલા વિદ્યાર્થીના પરિણામ આજરોજ 12 વાગ્યે જાહેર થશે

બોર્ડની વેબસાઈટ પર પુરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. બપોરે 12 વાગે બોર્ડની વેબસાઈટ પર જઈ પરિણામ ચેક કરી શકાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના જણાવ્યા અનુસાર, જૂન-જુલાઇ 2024માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10 (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમાની પૂરક પરીક્ષા તથા ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ http://www.gseb.org પર તા. 29/07/2024ના રોજ બપોરે 12:00 કલાકે જાહેર કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પોતાનો જૂન-જુલાઇ(પૂરક)-2024 પરીક્ષાનો બેઠક ક્રમાંક (Seat Number) Enter કરી મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો જૂન-જુલાઇ(પૂરક)-2024 પરીક્ષાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને SR શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે.

પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર શાળાઓએ બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી તે અનુસાર યોગ્ય કાર્યવાહી કરવાની રહેશે, જેની શાળાના આચાર્યઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.

Related posts

ખેંગાર રાજપુત રાજવંશ તરફથી બુંદેલખંડના મહારાજા ખેતસિંહ ખેંગારજીની જન્મ જયંતિ ઉજવવામાં આવી

Ahmedabad Samay

જુહાપુરમાં વિસ્તારમાં છેલ્લા 4 દિવસમાં 14 લોકોના કોરોના વાયરસના કારણે મોત

Ahmedabad Samay

આજે રાત્રે ૧૨ વાગ્યા બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો

Ahmedabad Samay

YouTube ના માધ્યમથી લાખો કમાવવા માટે ફોલો કરો આ ૮ સ્ટેપ

Ahmedabad Samay

એર ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ ઉઠાવી રહ્યા છે મોંઘી સુવિધાઓ નો લાભ: એર ઇન્ડિયા પાયલોટ

Ahmedabad Samay

પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ દ્વારા પ્રજાપિતા બ્રહ્માની પ૩મી પૂણ્યતિથી અવસરે ‘આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કી ઓર’ અભિયાનનો PM મોદીએ લોકાર્પણ કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો