May 10, 2026
દેશરમતગમત

IPL પર ફરી કોરોનાનું સંકટ, ટી. નટરાજન આવ્યો કોરોના પોઝીટીવ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021ના બીજા ફેઝની ચોથી મેચ આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચરમાય તે પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદનો એક ખેલાડી કોરોના પોઝિટિવ આવ્યો છે, જે બાદથી આજની મેચ પર સંકટના વાદળ મંડરાઇ રહ્યા છે.

આઇપીએલની ઓફિશિયલ વેબસાઇટ પર તેની સૂચના આપવામાં આવી છે. સનરાઇઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર ટી. નટરાજન કોવિડ-19 ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો છે, તેણે ખુદને બાકી ટીમથી અલગ આઇસોલેટ કરી લીધા છે. આઇપીએલે સ્પષ્ટ કર્યુ છે કે બાકી તમામ ખેલાડીઓના આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યા છે અને એવામાં આજની મેચને રદ કરવામાં નહી આવે.

ટી. નટરાજનમાં કોઇ લક્ષણ જોવા મળ્યા નથી. મેડિકલ ટીમની સલાહ બાદ ટી નટરાજનના ક્લોઝ કૉન્ટેક્ટમાં આવેલા છ ખેલાડી અને સ્ટાફના સભ્યોએ ખુદને આઇસોલેટ કરી લીધા છે. વિજય શંકર, ટીમ મેનેજર વિજય કુમાર, ફિઝિયોથેરેપિસ્ટ શ્યામ સુંદર જે, ડૉક્ટર અંજના વનન, લૉજિસ્ટિક મેનેજર તુષાર ખેડકર અને નેટ બોલર પેરિયાસામી ગણેશનના નામ આ યાદીમાં સામેલ છે

Related posts

અમરનાથ યાત્રાની પહેલી પૂજા આજે પવિત્ર ગુફા સ્થળે પૂર્ણિમાના દિવશે થશે

Ahmedabad Samay

નેપાળના વડાપ્રધાને ફરી ભારત વિરોધી નિવેદન આપ્યું

Ahmedabad Samay

“બંગાળમાં ચૂંટણી બાદની હિંસા પર NHRCનો રિપોર્ટ ,સુનાવણી માટે રાજ્ય બહાર ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના માટેની ભલામણ

Ahmedabad Samay

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનસીપી ૪૦ જેટલા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર

Ahmedabad Samay

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની સહમતિ સધાયાના થોડા જ કલાકોમાં પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું

Ahmedabad Samay

IPL 2023: KKR સામે ઘરઆંગણે મળેલી હારથી RCB કેપ્ટન વિરાટ કોહલી નિરાશ, મેચ બાદ કહ્યું ક્યાં થઈ ભૂલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો