November 17, 2025
તાજા સમાચાર

*‘‘નલસે જલ યોજના” અંતર્ગત ધોરાજીના ઝાંઝમેર ગામે* *૧૨૦૦ જેટલા ઘરોમાં પહોંચ્યું પીવાનું શુદ્ધ પાણી*

તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ “નલ સે જલ યોજના” હેઠળ છેવાડાના માનવી સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા નક્કર કામગીરી કરી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં ‘‘નલ સે જલ યોજના’’ અન્વયે ધોરાજી તાલુકામાં આવેલુ ઝાંઝમેર ગામ પાણીદાર ગામ બન્યું છે. આશરે ૫૦૦૦ ની વસ્તી ધરાવતા આ ગામમાં આવેલા અંદાજે ૧૨૦૦ જેટલા ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

આ ગામનાં સરપંચ કિરણબેન બગડાએ જણાવ્યું હતું કે, પહેલાંનાં સમયમાં બહેનોને ચાલીને દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડતું હતું પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર પરિણામલક્ષી કામગીરી કરી રહી છે. “નલ સે જલ યોજના” થકી પાણીની સમસ્યા હલ થઈ ગઈ છે અને ગામડાઓ સમૃદ્ધ થયા છે, ત્યારે અમારાં ઝાંઝમેર ગામના દરેક ઘરમાં પાણીની સગવડ છે.અમુક લોકો પુરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરી શકતા નથી ત્યારે લોકોની પરિસ્થિતિ સમજીને ગામમાં રહેતા છેવાડાનાં ગ્રામજનોને પણ પૂરતું પાણી મળી રહે તે માટે જરૂરી તમામ પ્રયાસો કરી દિવસમાં બે વાર તો જરૂર પડ્યે ત્રણ વાર પણ પાણી વિતરણ કરવામાં આવે છે. જેથી હાલ ગામમાં પાણીની કોઈ જાતની સમસ્યા રહી નથી.
પાણી વિતરણની સરાહનીય વ્યવસ્થા પ્રત્યે ગ્રામજનોએ પણ હર્ષની લાગણી વ્યક્ત કરી સરકારનો આભાર માન્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા જલ જીવન મિશન અંતર્ગત દરેક ગ્રામીણ ઘરને નિયમિત, શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં નિયત ગુણવત્તાનો પીવાના પાણીનો પુરવઠો લાંબા ગાળા સુધી ઉપલબ્ધ કરાવીને નાગરિકોના જીવનધોરણમાં સુધારો લાવવાનાં ઉદેશ્યને સરપંચ કિરણબેને ચરિતાર્થ કરી બતાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, જલ જીવન મિશન અંતર્ગત લાંબા ગાળાના પીવાના પાણીના સ્રોતો માટે પણ કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ગ્રે-વોટર મેનેજમેન્ટ, જળ સંરક્ષણ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ વગેરે દ્વારા રીચાર્જ અને પાણીના પુન: ઉપયોગ થકી પાણીની ભવિષ્યની જરૂરિયાતને પહોંચી વળવા લાંબા ગાળાનું આયોજન કરવામાં આવ્યું છે.
જલ જીવન મિશન પીવાના પાણી માટેના લોકભાગીદારીના અભિગમ પર આધારિત છે અને લોકોને મિશન અંતર્ગત સહભાગીઓને યોજના વિશે વિસ્તૃત માહિતી, શિક્ષણ અને પ્રચાર પ્રસાર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.

Related posts

મા.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો. હાર્દિક પટેલ રહ્યા ઉપસ્થિત

Ahmedabad Samay

આંતકી હુમલા પર મહિલા પ્રવાસીએ એક ચોંકાવનારી વાત કહી છે. મહિલાએ જણાવ્યું છે કે આતંકવાદીઓએ પહેલા લોકોને તેમનું નામ અને ધર્મ પૂછ્યું અને પછી તેમને ગોળી મારી

Ahmedabad Samay

સર્જરી બાદ CM ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ આવ્યા ભાનમાં, મુંબઈ હિન્દુજા હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર

Ahmedabad Samay

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કા માટે આજે પ્રચારનો અંતિમ દિવસ,તમામ પાર્ટીએ લગાવ્યો એડીચોટીનું જોર

Ahmedabad Samay

ગુજરાતમાં કમળ ખીલ્યું,ડબલ એન્‍જીન સરકારનું સુત્ર વ્‍હેતુ મુકયુ હતું જેને લોકોએ વધાવી ભાજપને ખોબલે ખોબલે મત આપ્‍યા

Ahmedabad Samay

બાંગ્લાદેશમાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો, શેખ હસીના રાજીનામુ આપી દિલ્હી આવ્યા અને હવે લંડન જશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો