February 8, 2026
ટ્રેન
Other

વિધર્મીય યુવકે ટ્રેનમાં સિગારેટ પી જાણી જોઈને છોકરીઓ તરફ ધુમાડો છોડી યુવતીની કરી છેડતી, સ્ટેશન પર સર્જાયો કોમી તણાવ

ગુજરાતના દાહોદથી ઉજ્જૈન જઈ રહેલા પરિવાર પર ટ્રેનમાં હુમલો કરવામાં આવ્‍યો હોવાની ઘટનાથી તણાવ નિરનાં થયો છે. રતલામ અને ખાચરોડ વચ્‍ચે આ ઘટના બની હોવાના અહેવાલ છે. કેટલાક યુવાનો નાગદા જઈ રહ્યા હોવાનું કહીંને રતલામ સ્‍ટેશનથી ટ્રેનમાં ચઢ્‍યા હતા. પરિવાર અસ્‍થિવિસર્જન માટે ઉજ્જૈન જઈ રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની. આ આરોપી યુવકોમાંથી એક મુસ્‍લિમ પુરુષે, પીડિત પરિવારની એક છોકરીની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારે આ વાતનો વિરોધ કર્યા બાદ આ વિવાદ થયો હોવાનું કહેવાય છે.

પીડિત પરિવારનો આરોપ છે કે જેમ જેમ વિવાદ વધતો ગયો તેમ તેમ ખાચરોડ સ્‍ટેશન પરથી મુસ્‍લિમ સમુદાયના વધુ સભ્‍યોને બોલાવવામાં આવ્‍યા. તે બાદ ૫૦ થી ૬૦ લોકો ટ્રેનમાં ચઢી ગયા અને મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિત આખા પરિવાર પર હુમલો કર્યો. ઘટના પછી પીડિત પરિવાર ગભરાઈ ગયો છે.

ઘટનાની જાણ થતાં જ નાગદા રેલવે સ્‍ટેશન પર હિન્‍દુ સંગઠનોના કાર્યકરો મોટી સંખ્‍યામાં પહોંચ્‍યા. આ દરમિયાન, મુસ્‍લિમ સમુદાયના લોકો પણ મોટી સંખ્‍યામાં સ્‍ટેશન પર ભેગા થયા. પરિસ્‍થિતિ વધુ વણસી રહી હતી, તેથી પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો. પરિસ્‍થિતિને કાબૂમાં લેવા માટે નાગદામાં ભારે પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો છે.

પીડિત પરિવારની એક મહિલાએ જણાવ્‍યું હતું કે આરોપી યુવક ટ્રેનમાં સિગારેટ પી રહ્યો હતો અને જાણી જોઈને છોકરીઓ તરફ ધુમાડો છોડી રહ્યો હતો. આ વાતનો જ્‍યારે તેઓએ વાંધો ઉઠાવ્‍યો, ત્‍યારે શરૂઆતમાં આરોપીએ તેની સાથે દુર્વ્‍યવહાર કર્યો અને પછી તેના હુમલો કર્યો.

રેલવે પોલીસ (જીઆરપી) પીડિતોના નિવેદનો નોંધી રહી છે અને કેસની આસપાસના તથ્‍યોની તપાસ કરી રહી છે. ઉજ્જૈન એસપી પ્રદીપ શર્મા નાગદા પહોંચ્‍યા અને અહેવાલ આપ્‍યો કે પરિસ્‍થિતિ હાલમાં નિયંત્રણમાં છે. તેમણે કહ્યું કે આ કેસ રતલામ જીઆરપી અધિકારક્ષેત્ર હેઠળ આવે છે, પરંતુ નાગદામાં શૂન્‍ય એફઆઈઆર તરીકે નોંધવામાં આવ્‍યો છે. પોલીસ સમગ્ર ઘટના પર નજર રાખી રહી છે.

હિન્‍દુ સંગઠનનું પ્રતિનિધિત્‍વ કરતા રોશન શુક્‍લાએ જણાવ્‍યું હતું કે કોઈએ તેમને ટ્રેનમાંથી ફોન કરીને જાણ કરી હતી કે કેટલાક લોકો હિન્‍દુઓ પર હુમલો કરી રહ્યા છે. તેઓ મદદ કરવા માટે નાગદા પ્‍લેટફોર્મ પર પહોંચ્‍યા, જ્‍યાં અમજદ લાલા સહિત મોટી સંખ્‍યામાં મુસ્‍લિમ સમુદાયના લોકો હાજર હતા. તે દરમિયાન હિન્‍દુ નેતાઓ સાથે દુર્વ્‍યવહાર કરવામાં આવ્‍યો. રોશન શુક્‍લાની ફરિયાદના આધારે અમજદ લાલા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્‍યો છે અને અમજદ લાલાએ હિન્‍દુ નેતા વિરુદ્ધ ક્રોસ-કેસ પણ દાખલ કરાવ્‍યો.

Related posts

14 એપ્રિલે સાંજે GMDC ગ્રાઉન્ડ પર RSS વડા મોહન ભાગવત સ્વયંસેવકોને સંબોધન કરશે

Ahmedabad Samay

અનલોક ૦૪ ની ગાઈડલાઈન જાહેર

Ahmedabad Samay

ગાયકવાડ હવેલી વિસ્તારમાં પશુ બલિની ઘટના

Ahmedabad Samay

લોકસભા બેઠક રાજકોટ અપડેટ

Ahmedabad Samay

ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ, આદરણીય શ્રી લાલ સિંહ આર્યજી આજરોજ અમદાવાદની મુલાકાત લેશે

Ahmedabad Samay

GCS HoSpital 77 વર્ષની મહિલાના અંડાશયમાંથી 13 કિલોની ગાંઠ સર્જરી દ્વારા દૂર કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો