May 21, 2026
ગુજરાતધર્મ

અમદાવાદની સુપ્રસિદ્ધ જગન્નાથ યાત્રા હશે ૧૪૯મી ઐતિહાસીક યાત્રા, જાણો ક્યારે હશે ઐતિહાસિક યાત્રા

શ્રદ્ધા, ભક્તિ અને લોકલાગણીના મહાસાગર સમાન અમદાવાદની વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. કોમી એકતાના પ્રતિક સમી અને દેશની બીજી સૌથી મોટી ગણાતી આ રથયાત્રા 2026 માં પણ પરંપરાગત ભવ્યતા સાથે યોજાશે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા નગરજનોને દર્શન આપવા માટે ફરી એકવાર રાજમાર્ગો પર નીકળશે.

તારીખ અને મુહૂર્ત: 16 જુલાઈએ ગુંજશે ‘જય જગન્નાથ’
હિન્દુ પંચાંગના અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે યોજાતી આ ઐતિહાસિક યાત્રા 2026 માં 16 જુલાઈના રોજ યોજાશે. જમાલપુર સ્થિત નિજ મંદિરેથી સવારે 7:00 કલાકે રથયાત્રાનું પ્રસ્થાન થશે. આ એ ક્ષણ છે જ્યારે લાખો ભક્તો સાંસારિક મોહ-માયા ભૂલીને ભગવાનની ભક્તિમાં લીન થઈ જાય છે.

149 વર્ષનો ગૌરવવંતો ઇતિહાસ
અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત વર્ષ 1878 માં થઈ હતી. તે ગણતરી મુજબ, 2026 માં યોજાનારી આ રથયાત્રા 149મી હશે. દોઢ સદી નજીક પહોંચેલી આ પરંપરા આજે પણ એટલા જ ઉત્સાહ અને ઉમંગથી ઉજવાય છે.

રથયાત્રાના દિવસે શુભ મુહૂર્ત (16 જુલાઈ, 2026)
બ્રહ્મ મુહૂર્ત: 04:13 AM થી 04:54 AM
અભિજિત મુહૂર્ત: બપોરે 12:00 PM થી 12:55 PM
વિજયા મુહૂર્ત: 02:46 PM થી 03:41 PM
અમૃત કલામ: 06:23 PM થી 07:52 PM
રવિ યોગ: 07:52 PM થી 17 જુલાઈ સવારે 05:35 AM સુધી
ભગવાનની આ નગરચર્યા બે તબક્કામાં વહેંચાયેલી છે:

પ્રસ્થાન (સવારનો રૂટ): રથયાત્રા સવારે જમાલપુર ચકલાથી શરૂ થઈને વૈશ્ય સભા, ગોલીમડા, આસ્ટોડિયા ચકલા, મદનગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડિયા જૂના ગેટ, ખાડિયા ચાર રસ્તા, પાંચકુવા, કાલુપુર સર્કલ અને કાલુપુર બ્રિજ થઈને સરસપુર પહોંચશે. સરસપુર એ ભગવાનનું મોસાળ ગણાય છે, જ્યાં ભક્તો માટે ‘મહાભોજ’નું આયોજન કરવામાં આવે છે.

પરત ફરવાનો (સાંજનો રૂટ): સરસપુરથી ‘જય જગન્નાથ’ના નાદ સાથે રથ ફરી ગતિમાન થશે. ત્યાંથી યાત્રા કાલુપુર ચોખા બજાર, પ્રેમ દરવાજા, દરિયાપુર, શાહપુર હલીમની ખડકી, રંગીલા પોલીસ ચોકી, દિલ્હી ચકલા, ઘી કાંટા, પાનકોર નાકા, માણેક ચોક અને ખમાસા થઈને સાંજે જમાલપુર મંદિરે પરત ફરશે.

Related posts

આનંદ અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૯મી જરુરીયાતમંદ દીકરીના નિઃશુલ્ક લગ્ન કરવામાં આવ્યા

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે છે. તેમણે આજે વડોદરામાં રોડ શો કર્યો

Ahmedabad Samay

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા બદલ ગાંધીનગરના દેહગામમાં નાના વિવાદ બાદ બે સમુદાયના લોકો સામસામે આવ્યા હતા. બંને બાજુથી ભારે પથ્થરમારો

Ahmedabad Samay

માર્ચનો પ્રથમ દિવસ પાવર કટોકટીમાં પસાર થયો, યુપીસીએલને બજારમાંથી વધુ વીજળી ખરીદવી પડી

Ahmedabad Samay

સુરત:કામરેજ પોલીસ સ્ટેશનના પી.આઇ સહિત ૦૯ પોલીસ કર્મીઓ વિરુદ્ધ લાંચ નો ગુન્હો દાખલ

Ahmedabad Samay

મેઘાણીનગર પોલીસ સ્ટેશનની કમાન મેઘાણીનગરના જ યુવકના હાથમાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો