July 22, 2026
રમતગમત

પાકિસ્‍તા ભારત સામે ન ઉતરે તો તેણે ગ્રુપ સ્‍ટેજની તેની ત્રણે મેચ જીતવી પડશે.

પાકિસ્‍તાને ભારત સામે નહીં રમવાનો નિર્ણય કરીને પોતાની જ મુશ્‍કેલી વધારી દીધી હોવાના તારણો સામે આવી રહ્યા છે, કારણ કે પાકિસ્‍તા ભારત સામે ન ઉતરે તો તેણે ગ્રુપ સ્‍ટેજની તેની ત્રણે મેચ જીતવી પડશે. જેમાં બે ટીમો એવી છે કે જે પાકિસ્‍તાનના નાકમાં દમ કરી શકે છે.

પાકિસ્‍તાને ટી૨૦ વર્લ્‍ડ કપ રમવાની તૈયારી બતાવી પરંતુ તેણે ભારત સામે મેચ રમવાનો ઈનકાર કરી દીધો છે, આવી સ્‍થિતિમાં પાકિસ્‍તાને પોતાને જ નુકસાન પહોંચાડ્‍યું છે, કારણ તે આમ કરીને ટી૨૦ વર્લ્‍ડ કપમાંથી જલદી બહાર થઈ શકે છે. ICC વ્‍૨૦ વર્લ્‍ડ કપમાં પાકિસ્‍તાન ગ્રુપ ખ્‍માં નેધરલેન્‍ડ અને યુનાઇટેડ સ્‍ટેટ્‍સ સામે ટકરાશે. પાકિસ્‍તાને ભારત સામે મેચ ન રમવાનો નિર્ણય લીધો છે. યુનાઇટેડ સ્‍ટેટ્‍સે ગયા T20 વર્લ્‍ડ કપમાં પાકિસ્‍તાનને હરાવ્‍યું હતું અને આ વખતે પણ તે ખતરનાક ફોર્મમાં છે. પરિણામે, પાકિસ્‍તાન ગ્રુપ સ્‍ટેજમાંથી બહાર થવાનો ભય ધરાવે છે

ICC T20 વર્લ્‍ડ કપનો ગ્રુપ સ્‍ટેજ પાકિસ્‍તાન માટે પડકારજનક લાગે છે. સલમાન અલી આગાની ટીમ ગ્રુપ Aમાં નેધરલેન્‍ડ્‍સ (૭ ફેબ્રુઆરી) અને અમેરિકા (૧૦ ફેબ્રુઆરી) સામે તેની પ્રથમ બે મેચ રમશે. આ પછી, પાકિસ્‍તાને ૧૫ ફેબ્રુઆરીએ ભારત સામેની મેચ છોડી દેવાનો નિર્ણય લીધો છે. આના પરિણામે બે પોઈન્‍ટ ગુમાવવા પડશે અને નેટ રન રેટમાં ઘટાડો થશે. ગ્રુપ સ્‍ટેજની પ્રથમ બે મેચ પાકિસ્‍તાન માટે સરળ રહેશે નહીં, કારણ કે નેધરલેન્‍ડ્‍સ અને યુનાઇટેડ સ્‍ટેટ્‍સ અપસેટ સર્જવાની ક્ષમતા ધરાવે છે.

ગયા T20 વર્લ્‍ડ કપમાં યુનાઇટેડ સ્‍ટેટ્‍સે સુપર ઓવરમાં પાકિસ્‍તાનને હરાવીને મોટો અપસેટ સર્જ્‍યો હતો. આ સ્‍પષ્ટપણે નીચલા ક્રમાંકિત ટીમો સામે પાકિસ્‍તાનની નબળાઈ દર્શાવે છે. ભારત A સામેની વોર્મ-અપ મેચમાં યુએસએ ટીમના ૨૦૦ રનથી ટીમ માટે ખતરાની ઘંટડી વાગી ગઈ છે. નેધરલેન્‍ડ્‍સે ૨૦૨૨ના T20 વર્લ્‍ડ કપમાં પણ દક્ષિણ આફ્રિકાને હરાવીને પોતાને ડાર્ક હોર્સ સાબિત કર્યો હતો. તેમણે ૨૦૦૯માં ઈંગ્‍લેન્‍ડ જેવી મજબૂત ટીમને પણ હરાવી હતી.

નેધરલેન્‍ડ્‍સ અને યુએસએનો પડકારઃ આ ટુર્નામેન્‍ટમાં નેધરલેન્‍ડ્‍સને ડાર્ક હોર્સ માનવામાં આવે છે. તેમણે ૨૦૨૨ના T20 વર્લ્‍ડ કપમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્‍યું હતું અને ૨૦૦૯માં ઈંગ્‍લેન્‍ડને પણ હરાવ્‍યું હતું. યુએસએએ ૨૦૨૪ના વર્લ્‍ડ કપમાં દર્શાવ્‍યું હતું કે નાની અને ઓછી અનુભવી ટીમો પણ મોટા અપસેટ સર્જી શકે છે, જેમ કે તેમણે સુપર ઓવરમાં પાકિસ્‍તાનને હરાવીને કર્યું હતું.

પાકિસ્‍તાનની નબળાઈઓઃ પાકિસ્‍તાન અગાઉની મેચોમાં નબળી ટીમો સામે નિષ્‍ફળ ગયું છે. યુએસએ અને નેધરલેન્‍ડ્‍સ જેવી ટીમો સામે મેચ હારવાથી ગ્રુપ સ્‍ટેજમાંથી બહાર થવાની શક્‍યતા વધી જાય છે. ટીમની બેટિગ ગમે ત્‍યારે તૂટી શકે છે. ODI વર્લ્‍ડ કપમાં અફઘાનિસ્‍તાન સામે ટીમનો હાર આનો પુરાવો છે. ભારત સામેની મેચમાં ભાગ ન લેવાથી ટીમના ગ્રુપ સ્‍ટેન્‍ડિંગ અને માનસિક સ્‍થિતિ પર પણ દબાણ આવશે.

T20 વર્લ્‍ડ કપ ૨૦૨૬ માટે પાકિસ્‍તાનનું શેડ્‍યૂલઃ પહેલી મેચ ૭ ફેબ્રુઆરીએ પાકિસ્‍તાન વિરુદ્ધ નેધરલેન્‍ડ, કોલંબો, સિહાલી સ્‍પોર્ટ્‍સ ક્‍લબ, બીજી મેચ ૧૦ ફેબ્રુઆરીએ પાકિસ્‍તાન વિરુદ્ધ યુએસએ, કોલંબો, સિહાલી સ્‍પોર્ટ્‍સ ક્‍લબ, ત્રીજી મેચ ૧૫ ફેબ્રુઆરીએ પાકિસ્‍તાન વિરુદ્ધ ભારત, કોલંબો, આર પ્રેમદાસા સ્‍ટેડિયમ (મેચ અશક્‍ય) અને ચોથી મેચ ૧૮ ફેબ્રુઆરીએ પાકિસ્‍તાન વિરુદ્ધ નામિબિયા, કોલંબો, સિહાલી સ્‍પોર્ટ્‍સ ક્‍લબમાં રમાશે.

(10:12 AM IST)

Related posts

અંડર-૧૯ વર્લ્ડ કપમાં નેપાળને ૧૩૨ રને હરાવીને ભારત સેમિફાઇનલમાં પહોંચ્યું

Ahmedabad Samay

IPL 2023: મુંબઈને હરાવીને કેપ્ટન હાર્દિકનું મોટું નિવેદન, ફાઈનલ પહેલા ચેન્નાઈને આપી ચેતવણી

Ahmedabad Samay

WPL 2023: RCB સતત 5 હાર બાદ પણ પહોંચશે ફાઇનલમાં, જાણો પ્લેઓફનું સમીકરણ

Ahmedabad Samay

ભારતીય મહિલા અંડર-૧૯ ટીમે ઈતિહાસ રચી નાખ્‍યો છે. ભારતીય ટીમે સતત બીજી વખત ટી૨૦ વર્લ્‍ડકપનો ખિતાબ જીત્‍યો

Ahmedabad Samay

IPL 2025 ની પ્રથમ મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે 22 માર્ચે ઈડન ગાર્ડન ખાતે થશે મુકાબલો

Ahmedabad Samay

ભારતે પાકિસ્તાનને ૬ રનથી પરાજય આપ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો