June 22, 2026
રાજકારણ

નાગાલેન્ડ અને મેઘાલય વિધાનસભા ચૂંટણીનો પ્રચાર આજે સમાપ્ત, 27 ફેબ્રુઆરીએ થશે મતદાન

નાગાલેન્ડ અને મેઘાલય વિધાનસભા ચૂંટણીના પ્રચારનો ધમધમાટ આજે સાંજે સમાપ્ત થઈ જશે. બંને રાજ્યોમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. મેઘાલય વિધાનસભાની કુલ 60 બેઠકો અને નાગાલેન્ડ વિધાનસભાની 59 બેઠકો માટે મતદાન થશે. પ્રચારના છેલ્લા દિવસે મતદારોને રીઝવવા તમામ રાજકીય પક્ષોએ પૂરજોશમાં કામે લાગી ગયા છે. આ પહેલા ગઈકાલે ભાજપ વતી પીએમ મોદીએ મેઘાલય અને નાગાલેન્ડમાં પ્રચાર કર્યો હતો. તેમણે રેલીઓને સંબોધિત કરતી વખતે કોંગ્રેસ અને ભાજપના શાસનની સરખામણી કરી હતી.

મેઘાલયમાં 60 બેઠકો પર 375 ઉમેદવારો

27 ફેબ્રુઆરીએ યોજાનારી મેઘાલય વિધાનસભાની 60 બેઠકો માટે 375 જેટલા ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યની સત્તારૂઢ નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) 57 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, જ્યારે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી (BJP) એ તમામ 60 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટી (UDP) એ 47 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે VPP અને HSDP એ અનુક્રમે 18 અને 11 ઉમેદવારો ઉભા રાખ્યા હતા. તમામ પક્ષો પોતાના સ્તરે ચૂંટણી લડી રહ્યા છે.

નાગાલેન્ડમાં 59 બેઠકો પર ચૂંટણી, 183 ઉમેદવારો

નાગાલેન્ડ વિધાનસભાની 59 બેઠકો માટે કુલ 183 ઉમેદવારો મેદાનમાં છે અને તેમાંથી માત્ર ચાર મહિલાઓ છે. એક બેઠક પર, ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર કાઝેટો કિનીમીએ ઝુનહેબોટો જિલ્લાની અકુલુટો વિધાનસભા બેઠક પર ચૂંટણી લડ્યા વિના જીત મેળવી છે. કિનીમી સામે અન્ય કોઈ ઉમેદવાર ન હોવાથી તેઓ બિનહરીફ જીત્યા. સત્તાધારી NDPP 40 બેઠકો પર, ભાજપ 20 પર, કોંગ્રેસ 23 પર જ્યારે NPF 22 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. 15 બેઠકો પર લોક જનશક્તિ (એલજેપી-રામ વિલાસ), એનપીપી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી 12-12 બેઠકો પર અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (સીપીઆઈ) નવ બેઠકો પર, જનતા દળ (યુનાઈટેડ) સાત બેઠકો પર, રાષ્ટ્રીય જનતા દળ ત્રણ અને સીપીઆઈ અને રાઇઝિંગ ધ પીપલ્સ પાર્ટી એક-એક સીટ પર ચૂંટણી લડી રહી છે.

Related posts

ચૂંટણીની જાહેર થયા બાદ પહેલીવાર પીએમ મોદી બંગાળમાં રેલી કરી મિથુન ચક્રવર્તી  મંચ પર જ ભાજપમાં જોડાઈ જતા રાજનીતિક ગરમાવો વધ્યો

Ahmedabad Samay

P.M મોદીનો પ્રજાને સંદેશ “જબ તક દવાઈ નહિં, તબ તક ઢિલાઈ નહિં”

Ahmedabad Samay

ગુજરાત વિધાનસભાની આઠેય બેઠકો ઉપર ભગવો લહેરાવ્યો

Ahmedabad Samay

નરોડામાં મુખ્યમંત્રી રાજીનામુ આપો ના બેનરો લાગ્યા, હાલની પરિસ્થિતિ જોતા લોકોએ રોષ વ્યકત કર્યો

Ahmedabad Samay

દેશનું દિગ્‍ગજ બિઝનેસ હાઉસ ટાટા ગ્રુપ હવે આઈફોન વેચશે

Ahmedabad Samay

કેન્દ્રની મોદી સરકારે દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો