અમદાવાદ શહેરના તમામ વિસ્તારમાં હાલ જનતાને સારી સુવિધા મળી રહે તેમાટે જેતે વિસ્તારના પ્રતિનિધિઓ અને કાર્યકરો કામે લાગી ગયા છે તેવામાં અમદાવાદના કુબેરનગર વોર્ડમાં ઘણા સમયથી કુબેરનગર થી રામેશ્વર ચાર રસ્તા તરફના માર્ગની સમારકામ ની જરૂર હતી.
જેને જોઈને ભાજપ દ્વારા કુબેરનગર બાંગ્લા થી રામેશ્વર ચાર રસ્તા તરફ નવા રોડનું કામ હાથ ધરવામાં આવ્યું હતું જે પગલે કુબેરનગર વોર્ડના મહામંત્રી શ્રી રાજેશ દરડા, શૈલેષભાઇ પરમાર, જશવંતસિંહ ચાવડા અને તેમની ટીમ દ્વારા રાત્રી કામ દરમિયાન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કામમાં કોઇ કચાસન રહીજાય તેની તકેદારી રાખવામાં માટે અધિકારીઓને સૂચન પણ કર્યું હતું.

