May 8, 2026
ધર્મ

7 ફેબ્રુઆરી, 2026 ના રોજ યશોદા જયંતિ મનાવવામાં આવશે, જાણો તિથિ અને શુભ સમય

હિન્દુ ધર્મમાં માતા યશોદાને માતૃત્વ અને અપાર સ્નેહનું સર્વોચ્ચ પ્રતીક માનવામાં આવે છે. દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની છઠ્ઠ (ષષ્ઠી) ના દિવસે યશોદા જયંતિની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે તારીખ 7 ફેબ્રુઆરી, 2026 ના રોજ યશોદા જયંતિ મનાવવામાં આવશે. માન્યતા છે કે આ દિવસે જે માતાઓ વ્રત રાખે છે, તેમના બાળકો પર ભગવાન શ્રીકૃષ્ણની કૃપા કાયમ રહે છે અને જેમને સંતાન સુખ નથી તેમને કાન્હા જેવા ગુણવાન બાળકની પ્રાપ્તિ થાય છે.
તિથિ અને શુભ સમય
કેલેન્ડર મુજબ, ફાગણ કૃષ્ણ પક્ષની ષષ્ઠી તિથિ 6 ફેબ્રુઆરીની મધ્યરાત્રિએ 1:18 વાગ્યે શરૂ થશે અને 8 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે 2:54 વાગ્યે પૂર્ણ થશે. ઉદય તિથિના સિદ્ધાંત મુજબ, પૂજા અને ઉપવાસ માટે 7 ફેબ્રુઆરી નો દિવસ સર્વોત્તમ રહેશે.
કેવી રીતે કરશો પૂજા?
યશોદા જયંતિના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી લાલ વસ્ત્રો ધારણ કરવા જોઈએ. પૂજાના સ્થાને લાકડાના બાજઠ પર લાલ કપડું પાથરી માતા યશોદાના ખોળામાં બેઠેલા બાલકૃષ્ણની તસવીર અથવા મૂર્તિ સ્થાપિત કરવી. માતાને સિંદૂર, રોલી અને ફૂલ અર્પણ કરવા. ભગવાન કૃષ્ણને તેમનું પ્રિય માખણ-મિશ્રી ધરાવવું. આ દિવસે ‘ગોપાલ સહસ્ત્રનામ’ નો પાઠ કરવો અત્યંત ફળદાયી માનવામાં આવે છે.
ભક્તિ અને પ્રેમનો અનોખો સંગમ
ભલે દેવકીજીએ કૃષ્ણને જન્મ આપ્યો હતો, પરંતુ યશોદાજીએ તેમને જે પ્રેમ અને ઉછેર આપ્યો તેના કારણે જ આજે પણ દુનિયા કૃષ્ણને ‘યશોદા નંદન’ તરીકે ઓળખે છે. માતા યશોદાનો પ્રેમ એવો હતો કે સ્વયં બ્રહ્માંડના નાથ પણ તેમની આગળ નમી જતા હતા. આ તહેવાર આપણને શીખવે છે કે ભગવાન માત્ર મંત્રોથી નહીં, પણ સાચા પ્રેમ અને નિઃસ્વાર્થ ભક્તિથી વશ થાય છે.

Related posts

મથુરા અને કાશીમાં ભવ્ય શ્રી રામ મંદિરના નિર્માણ માટે ટૂંક સમયમાં વિચારણા કરવામાં આવશે

Ahmedabad Samay

27 મે 2023નું પંચાંગ: જાણો શનિવારનું પંચાંગ, રાહુકાલ, શુભ મુહૂર્ત અને સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય

Ahmedabad Samay

શિવરાત્રિ એટલે દેવાધિદેવ શિવના અવતરણનું પર્વ

Ahmedabad Samay

માત્ર હાથની રેખાઓ જ નહીં, નખના આ નિશાન પણ જણાવે છે ભાગ્ય અને ભવિષ્યનું રહસ્ય, આ રીતે જાણો શુભ કે અશુભ

Ahmedabad Samay

શાહીબાગ ખાતે ત્રિશુલ દીક્ષા સમારોહ યોજાયો,૧૧૦૦૦ જેટલા ધર્મ રક્ષકોએ લીધી દીક્ષા

Ahmedabad Samay

પૂજ્ય શ્રી મોરારી બાપૂની 863મી રામકથા 31 જુલાઇએ અમરકંટકમાં સીમિત શ્રોતાઓ સાથે શરૂ થશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો