February 5, 2026
રાજકારણ

મણિપુર કેસ પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, કહ્યું- આ ઘટના શરમજનક

મણિપુર હિંસાની આગ હજુ ઠંડી પણ નથી થઈ કે એક વીડિયોએ સમગ્ર દેશમાં આક્રોશ જગાવી દીધો છે. મણિપુરનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ટોળા દ્વારા બે મહિલાઓને નગ્ન કરીને ફેરવવામાં આવી રહી છે. વળી, ટોળું તેમના પ્રાઈવેટ પાર્ટ્સને અડી રહ્યું છે અને તેમને મારી પણ રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ સંસદના ચોમાસુ સત્ર પહેલા આજે આ ઘટના પર નિવેદન આપ્યું. પીએમ નરેન્દ્ર મોદીએ આ મામલે કહ્યું કે આ ઘટના દેશનું અપમાન છે. કોઈપણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં. હું આ ઘટનાથી દુઃખી છું.

મણિપુર હિંસાથી દુઃખી: નરેન્દ્ર મોદી

પીએમ મોદીએ કહ્યું કે મણિપુરમાં જે ઘટના સામે આવી છે તે કોઈપણ સંસ્કારી સમાજ માટે શરમજનક ઘટના છે. ગુનો કરનાર કેટલા અને કોણ છે, તેઓ પોતાની જગ્યા પર છે પરંતુ આખા દેશનું અપમાન થઈ રહ્યું છે. હું તમામ મુખ્યમંત્રીઓને વિનંતી કરું છું કે તેઓ તેમના રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરે. ખાસ કરીને આપણી માતાઓ અને બહેનોની સુરક્ષા માટે આકરાં પગલાં લે.

સીએમ પાસેથી રિપોર્ટ માંગ્યો

તેમણે વધુમાં કહ્યું કે મણિપુર હિંસા કેસ પછી મન વ્યથાથી ભરાઈ ગયું છે. તમને જણાવી દઈએ કે મણિપુર હિંસા કેસમાં મણિપુરના મુખ્યમંત્રી એન.બિરેન સિંહ અને રાજ્યના સુરક્ષા સલાહકાર પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે. જણાવી દઈએ કે મણિપુરમાં લગભગ 2 મહિનાથી હિંસા ચાલી રહી છે. ગયા મહિને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મણિપુરના પ્રવાસે ગયા હતા. એ પછી રાહુલ ગાંધીએ પણ મણિપુરની મુલાકાત લીધી હતી અને હિંસાથી પ્રભાવિત પરિવારોને મળ્યા હતા. તમને જણાવી દઈએ કે મણિપુર હિંસા મુદ્દે વિપક્ષ સતત સવાલ ઉઠાવી રહ્યો હતો કે વડાપ્રધાન આ મામલે મૌન કેમ છે. જો કે હવે પીએમ મોદીએ આ મામલે મૌન તોડ્યું છે.

Related posts

અમદાવાદ સમય તરફથી અહેમદ પટેલને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ

Ahmedabad Samay

શ્રીમતી દ્રૌપદી મુર્મુ બન્યા ભારતના આગામી રાષ્ટ્રપતિ, ૨૫મી જુલાઇ એ લેશે શપથ

Ahmedabad Samay

કુબેરનગર બાંગ્લા થી રામેશ્વર ચાર રસ્તા તરફ નવા રોડના કામનું કુબેરનગર વોર્ડના મહામંત્રી શ્રી રાજેશ દરડા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

લોકસભા ની ચુંટણી પહેલા બે નવયુવાનો બ્રિજેશ પરમાર અને હર્ષ સોલંકી એ ૨૦૦ જેટલા નવયુવાનો અને યુવતીઓ કેસરિયો ધારણ કર્યો

Ahmedabad Samay

ડુંગળી વાવતા ખેડૂતોની માઠી દશા અંગે રાજ્યના કૃષિમંત્રીને પત્ર લખ્યો

Ahmedabad Samay

બિહારના સીએમ- જેડી(યુ)ના વડા નીતિશ કુમારે કહ્યું, “બિહારના તમામ પેન્ડિંગ કામો કરવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો