March 25, 2026
રાજકારણ

મણિપુર કેસ પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, કહ્યું- આ ઘટના શરમજનક

મણિપુર હિંસાની આગ હજુ ઠંડી પણ નથી થઈ કે એક વીડિયોએ સમગ્ર દેશમાં આક્રોશ જગાવી દીધો છે. મણિપુરનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ટોળા દ્વારા બે મહિલાઓને નગ્ન કરીને ફેરવવામાં આવી રહી છે. વળી, ટોળું તેમના પ્રાઈવેટ પાર્ટ્સને અડી રહ્યું છે અને તેમને મારી પણ રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ સંસદના ચોમાસુ સત્ર પહેલા આજે આ ઘટના પર નિવેદન આપ્યું. પીએમ નરેન્દ્ર મોદીએ આ મામલે કહ્યું કે આ ઘટના દેશનું અપમાન છે. કોઈપણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં. હું આ ઘટનાથી દુઃખી છું.

મણિપુર હિંસાથી દુઃખી: નરેન્દ્ર મોદી

પીએમ મોદીએ કહ્યું કે મણિપુરમાં જે ઘટના સામે આવી છે તે કોઈપણ સંસ્કારી સમાજ માટે શરમજનક ઘટના છે. ગુનો કરનાર કેટલા અને કોણ છે, તેઓ પોતાની જગ્યા પર છે પરંતુ આખા દેશનું અપમાન થઈ રહ્યું છે. હું તમામ મુખ્યમંત્રીઓને વિનંતી કરું છું કે તેઓ તેમના રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરે. ખાસ કરીને આપણી માતાઓ અને બહેનોની સુરક્ષા માટે આકરાં પગલાં લે.

સીએમ પાસેથી રિપોર્ટ માંગ્યો

તેમણે વધુમાં કહ્યું કે મણિપુર હિંસા કેસ પછી મન વ્યથાથી ભરાઈ ગયું છે. તમને જણાવી દઈએ કે મણિપુર હિંસા કેસમાં મણિપુરના મુખ્યમંત્રી એન.બિરેન સિંહ અને રાજ્યના સુરક્ષા સલાહકાર પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે. જણાવી દઈએ કે મણિપુરમાં લગભગ 2 મહિનાથી હિંસા ચાલી રહી છે. ગયા મહિને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મણિપુરના પ્રવાસે ગયા હતા. એ પછી રાહુલ ગાંધીએ પણ મણિપુરની મુલાકાત લીધી હતી અને હિંસાથી પ્રભાવિત પરિવારોને મળ્યા હતા. તમને જણાવી દઈએ કે મણિપુર હિંસા મુદ્દે વિપક્ષ સતત સવાલ ઉઠાવી રહ્યો હતો કે વડાપ્રધાન આ મામલે મૌન કેમ છે. જો કે હવે પીએમ મોદીએ આ મામલે મૌન તોડ્યું છે.

Related posts

ઉદ્ઘવ ઠાકરેને વધુ એક મોટો આંચકો, ઉદ્ઘવ સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી ઉદય સામંત પણ બળવાખોર એકનાથ શિંદેની છાવણીમાં જોડાયા

Ahmedabad Samay

પુરગ્રસ્ત ગામનો તાગ મળેવવા માટે ગેનીબેન પાંચ ફૂટ પાણીમાં ઉતર્યા હતા.

Ahmedabad Samay

ચૂંટણી અધિકારી અને ઉદય કાનગડ વિરૂધ્ધ ચૂંટણીપંચમાં ફરિયાદ દાખલ કરીશ: રેશ્મા પટેલ

Ahmedabad Samay

હિમન્તા બિસ્વા સરકારની ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે આ બીજી મોટી કાર્યવાહી

Ahmedabad Samay

દાદરા અને નગર હવેલી પંચાયતે “નાનાજી દેશમુખ સર્વોત્તમ પંચાયત સતત વિકાસ પુરસ્કાર- શ્રેષ્ઠ જિલ્લા પંચાયત” શ્રેણીમાં રાષ્ટ્રીય સ્તરે ત્રીજું સ્થાન મેળવ્યું છે.

Ahmedabad Samay

સૈજપુર વોર્ડના ઉમેદવારોને કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની ફોટો ફ્રેમ અપાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો