May 10, 2026
ગુજરાત

અમદાવાદ: રાજ્યમાં ફરી કોરોના મહામારીનો પગ પસેરો! એક જ દિવસમાં ત્રણ સંક્રમિત દર્દીનાં મોત, જાણો રાજ્યમાં કેવી છે સ્થિતિ?

દેશ અને દુનિયામાં ફરી એકવાર કોરોના મહામારી પગ પસેરો કરી રહી હોય તેમ લાગી રહ્યું છે.  છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતભરમાં એક જ દિવસમાં કોરોનાથી ત્રણ લોકોનાં મોત થયા હોય એવી માહિતી મળી છે. કોરોનાથી અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં 1-1 દર્દીના મોત થયા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસોની સંખ્યા 2056 જ્યારે 6 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યાં છે.

માહિતી મુજબ, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 260  કેસ નોંધાયા છે. જ્યારે 360 દર્દીઓ રિકવર થયાં છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 83 કેસ નોંધાયા છે. 7 એપ્રિલે રાજ્યમાં કોરોનાથી ત્રણ દર્દીઓના મોત નીપજ્યાં હતા.

કોરોનાના ક્યાં કેટલા કેસ નોંધાયા

રાજ્યમાં અમદાવાદમાં સોથી વધુ  83 કેસ નોંઘાયા છે. ગાંઘીનગરમાં 8,  સાબરકાંઠામાં 4, રાજકોટમાં 9, સુરતમાં 36, મહેસાણામાં 10, વલસાડમાં 6,  જામનગરમાં 3, ભાવનગરમાં 3, નવસારીમાં 2, આણંદમાં 2, જૂનાગઢમાં 1, પંચમહાલમાં 1, ખેડામાં 1, દાહોદમાં 1, ગીર સોમનાથમાં 1 અને કચ્છમાં 6 નવા કેસ નોંધાયા છે. મીડિયા અહેવાલ મુજબ, રાજ્યમાં કુલ 2056 એક્ટિવ કેસ છે. હાલ  06 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.97 ટકા પર પહોંચ્યો છે. ગુજરાતમા છેલ્લા એક મહિનામાં જ કોરોનાથી 11 દર્દીના મોત થયા છે. કોરોનાને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 11060 લોકોના મોત થયા છે.

Related posts

ગુજરાત પોલીસને ગેસ પ્રશ્ને કોઈ જાતની ક્‍યાંય ગેરરીતિ કે. કાળાબજાર ન થાય તે માટે કડક સૂચના આપી 

Ahmedabad Samay

અમદાવાદ: મુખ્યમંત્રીની રેલી પહેલા શહેરમાં લગાવેલા ટાયર કિલરને ડિસેબલ કરવામાં આવ્યા

Ahmedabad Samay

કોરોના કાળમાં સનાતન ધર્મ ની પપ્પુ તિવારીએ કરી રક્ષા, કોરોના થી મૃત્યુ પામેલા લોકોને કર્યું અગ્નિસંસ્કાર

Ahmedabad Samay

ખેંગાર રાજપુત રાજવંશ તરફથી બુંદેલખંડના મહારાજા ખેતસિંહ ખેંગારજીની જન્મ જયંતિ ઉજવવામાં આવી

Ahmedabad Samay

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ્વારા રામ મંદિર બનાવવા દરેક હિન્દૂ દ્વારા ભંડોળ એકત્રિત કરી જનભાગીદારી કરાવવામાં આવશે.

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા  અમદાવાદના સરસપુર વિસ્તારમાં સંત કબીર કોવિડ કેર સેન્ટરનો પ્રદીપસિંહ જાડેજાએ આરંભ કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો