March 25, 2026
ગુજરાત

અમદાવાદ: રાજ્યમાં ફરી કોરોના મહામારીનો પગ પસેરો! એક જ દિવસમાં ત્રણ સંક્રમિત દર્દીનાં મોત, જાણો રાજ્યમાં કેવી છે સ્થિતિ?

દેશ અને દુનિયામાં ફરી એકવાર કોરોના મહામારી પગ પસેરો કરી રહી હોય તેમ લાગી રહ્યું છે.  છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતભરમાં એક જ દિવસમાં કોરોનાથી ત્રણ લોકોનાં મોત થયા હોય એવી માહિતી મળી છે. કોરોનાથી અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં 1-1 દર્દીના મોત થયા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસોની સંખ્યા 2056 જ્યારે 6 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યાં છે.

માહિતી મુજબ, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 260  કેસ નોંધાયા છે. જ્યારે 360 દર્દીઓ રિકવર થયાં છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 83 કેસ નોંધાયા છે. 7 એપ્રિલે રાજ્યમાં કોરોનાથી ત્રણ દર્દીઓના મોત નીપજ્યાં હતા.

કોરોનાના ક્યાં કેટલા કેસ નોંધાયા

રાજ્યમાં અમદાવાદમાં સોથી વધુ  83 કેસ નોંઘાયા છે. ગાંઘીનગરમાં 8,  સાબરકાંઠામાં 4, રાજકોટમાં 9, સુરતમાં 36, મહેસાણામાં 10, વલસાડમાં 6,  જામનગરમાં 3, ભાવનગરમાં 3, નવસારીમાં 2, આણંદમાં 2, જૂનાગઢમાં 1, પંચમહાલમાં 1, ખેડામાં 1, દાહોદમાં 1, ગીર સોમનાથમાં 1 અને કચ્છમાં 6 નવા કેસ નોંધાયા છે. મીડિયા અહેવાલ મુજબ, રાજ્યમાં કુલ 2056 એક્ટિવ કેસ છે. હાલ  06 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.97 ટકા પર પહોંચ્યો છે. ગુજરાતમા છેલ્લા એક મહિનામાં જ કોરોનાથી 11 દર્દીના મોત થયા છે. કોરોનાને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 11060 લોકોના મોત થયા છે.

Related posts

અમદાવાદ: નવા શૈક્ષણિક વર્ષનું કેલેન્ડર જાહેર, 21 દિવસનું દિવાળી વેકેશન, જાણો બોર્ડની પરીક્ષા, ઉનાળુ વેકેશન અંગેની માહિતી

Ahmedabad Samay

ગાંધીનગર: રાજ્યની શાળાઓમાં ધો.1થી 8 સુધી ગુજરાતી ફરજિયાત, અમિત ચાવડાએ કહ્યું- વિદ્યાર્થીઓ માટે જ નહીં, સરકારી બાબૂઓ પણ…

Ahmedabad Samay

બે ડોઝ છે ફાયદાકારક, બે ડોઝ બાદ ઝડપથી રિકવરી આવી

Ahmedabad Samay

પોલીસ કમિશનર દ્વારા જાહેર સરકારી સંસ્થાઓ ની આસપાસ DJ વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યું

Ahmedabad Samay

શાળામાં આવતા વિદ્યાર્થીને કોરોના થાય તો સંચાલક જવાબદાર નહી:સ્કૂલ મેનેજમેન્ટ

Ahmedabad Samay

બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ત્રિશુલ દીક્ષા સમારોહનું આયોજન કરાયું હતું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો