February 5, 2026
ગુજરાતજીવનશૈલીતાજા સમાચારદેશ

કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરની કિંમતમાં મોટો ઘટાડો. રેસ્‍ટોરાં અને ઢાબામાં ખાવાનું સસ્‍તું થઈ શકે છે.

“સરકારી તેલ કંપનીઓએ આજે સવારે LPG સિલિન્‍ડરની કિંમતમાં મોટો ઘટાડો કર્યો છે. ઓઇલ કંપનીઓએ ૧ નવેમ્‍બર, ૨૦૨૨ના રોજ રિલીઝ થયેલા કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરની કિંમતમાં રૂ. ૧૧૫નો ઘટાડો કર્યો છે. આ પછી દિલ્‍હી, મુંબઈ સહિત દેશના તમામ મોટા શહેરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરના ભાવમાં ઘટાડો થયો છે. જોકે, ૬ જુલાઈ, ૨૦૨૨થી ઘરેલુ ગેસ સિલિન્‍ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્‍યો નથી.

જેમ તમે જાણો છો, તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્‍ડરની કિંમતોની સમીક્ષા કરે છે અને આજે પણ આ સમીક્ષા પછી કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરની કિંમતો ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો. ૧ નવેમ્‍બરથી કોમર્શિયલ ગેસ સિલિન્‍ડર ૧૧૫.૫૦ રૂપિયા સસ્‍તું થયું છે. નવી કિંમત ૧૯ કિગ્રા વજનવાળા સિલિન્‍ડર પર લાગુ થશે, જયારે ૧૪.૨ કિગ્રાના ઘરેલુ ગેસ સિલિન્‍ડરની કિંમત સ્‍થિર છે.

સરકારી ઓઈલ કંપનીઓ જુલાઈથી સતત કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરના ભાવમાં ઘટાડો કરી રહી છે અને આ સતત પાંચમો મહિનો છે જયારે તેના દરમાં ઘટાડો થયો છે. તાજેતરના ઘટાડા બાદ રાજધાની દિલ્‍હીમાં ૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરની કિંમત ઘટીને ૧,૭૪૪ રૂપિયા થઈ ગઈ છે. આ સિવાય કોમર્શિયલ ગેસ સિલિન્‍ડર મુંબઈમાં ૧,૬૯૬ રૂપિયા, કોલકાતામાં ૧,૮૪૬ રૂપિયા અને ચેન્નાઈમાં ૧,૮૯૩ રૂપિયા પર પહોંચી ગયો છે.

અગાઉ, સરકારી ઓઇલ કંપનીઓએ જુલાઇમાં કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરના દરમાં રૂ. ૮.૫૦, ઓગસ્‍ટમાં રૂ. ૩૬, સપ્‍ટેમ્‍બરમાં રૂ.૯૧.૫૦ અને ઓક્‍ટોબરમાં રૂ.૨૫.૫૦નો ઘટાડો કર્યો હતો. આ રીતે, છેલ્લા પાંચ મહિનાની આ સૌથી મોટો ઘટાડો પણ છે. ઓઈલ કંપનીઓએ છેલ્લા પાંચ મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરની કિંમતમાં ૨૫૭ રૂપિયાનો મોટો ઘટાડો કર્યો છે. તેનાથી રેસ્‍ટોરાં અને ઢાબામાં ખાવાનું સસ્‍તું થઈ શકે છે.

Related posts

લોકસભા ની ચુંટણી પહેલા બે નવયુવાનો બ્રિજેશ પરમાર અને હર્ષ સોલંકી એ ૨૦૦ જેટલા નવયુવાનો અને યુવતીઓ કેસરિયો ધારણ કર્યો

Ahmedabad Samay

દિલ્‍હીમાં ભાજપનો ૨૭ વર્ષનો સત્તા પરથી વનવાસ સમાપ્ત થયો છે. ભાજપ પ્રચંડ બહુમતી સાથે સત્તામાં પાછી ફરી

Ahmedabad Samay

બારકોડ ની દુનિયામાં ઉંચી ઉડાન ભરતી કંપની એટલે “ એક્યુરેટ બારકોડ સિસ્ટમ્સ”

Ahmedabad Samay

લોકડાઉનમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ આપતો કિસ્સો

Ahmedabad Samay

આદિવાસી સમાજના કુળદેવી યહામોગી માતાજીના દર્શનનો લ્હાવો મળ્યો:મનસુખભાઇ વસાવા

Ahmedabad Samay

આરોગ્ય વિભાગ અને શિક્ષણવિદોની સલાહ બાદ 1 થી 5 ધોરણ પ્રાથમીક શાળામાં શરૂ થશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો