November 18, 2025
બિઝનેસ

ખુશખબર / 7 ટકા પાર જઈ શકે છે વિકાસ દર, RBI ગવર્નરે કહી ખુશ કરનારી વાત

Reserve Bank of India: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ગવર્નર શક્તિકાંત દાસે આશા વ્યક્ત કરી હતી કે, નાણાકીય વર્ષ 2022-23માં વિકાસ દર 7 ટકાના આગોતરા અનુમાન કરતાં વધુ રહેશે. તેમણે જણાવ્યું હતું કે, ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં મજબૂત આર્થિક ગતિવિધિઓને કારણે આવું થવાની સંભાવના છે. ફેબ્રુઆરીમાં જાહેર કરાયેલા બીજા અગ્રિમ અંદાજમાં NSOએ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2022-23માં ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર 8 ટકા રહેશે. નાણાકીય વર્ષ 2021-22માં તે 8.7 ટકા હતો.

31 મેના રોજ જાહેર થશે આંકડા

દાસે ઈન્ડસ્ટ્રી બોર્ડ CII (CCI) ના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, સંભાવના છે કે વૃદ્ધિ દર આ અંદાજ કરતા પણ વધુ રહે શકે છે. જો છેલ્લા નાણાકીય વર્ષનો જીડીપી ગ્રોથ 7 ટકાથી વધુ રહે તો નવાઈ નહીં હોય. 31 માર્ચે પૂરા થતા નાણાકીય વર્ષ 2022-23 માટે વૃદ્ધિના કામચલાઉ વાર્ષિક અંદાજ 31 મેના રોજ જાહેર કરવામાં આવશે. ઉંચા વિકાસ દરની શક્યતા પાછળનું કારણ સમજાવતા દાસે જણાવ્યું હતું કે, ત્રીજા ક્વાર્ટરમાં એવું લાગતું હતું કે અટકેલી માગને કારણે આર્થિક પ્રવૃત્તિઓને સમર્થન મળી રહ્યો છે. પરંતુ ચોથા ક્વાર્ટરમાં તમામ આર્થિક સૂચકાંકો પરથી એવું લાગી રહ્યું હતું કે આર્થિક પ્રવૃત્તિઓમાં તેજી આવી છે.

7 ટકા કરતા વધુ રહે છે વિકાસ દર

તેમણે જણાવ્યું હતું કે, રિઝર્વ બેંકના મોનિટરિંગમાં સામેલ તમામ 70 સૂચકાંકો ચોથા ક્વાર્ટરમાં વૃદ્ધિની ગતિ જાળવી રાખવાના સંકેત આપે છે. તેમણે જણાવ્યું કે, આવી સ્થિતિમાં, જો વિકાસ દર 7 ટકાથી થોડો વધારે રહે તો આપણને આશ્ચર્ય ન થવું જોઈએ. જ્યાં સુધી ચાલુ નાણાકીય વર્ષનો સવાલ છે, તો આરબીઆઈએ આ વર્ષે વિકાસ દર 6.5 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. આરબીઆઈ ગવર્નરે નીતિગત વ્યાજ દરમાં વૃદ્ધિનો સિલસિલો રોકવાની માગ પર જણાવ્યું કે, આમ કરવું તેમના હાથમાં નથી કારણ કે તે જમીની સ્થિતિ પર નિર્ભર છે.

રેટને 6.5 ટકા પણ જાળવી રાખી આશ્ચર્યચકિત થયા

એપ્રિલમાં આરબીઆઈએ રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખીને આશ્ચર્યચકિત કર્યું હતું. અગાઉ, મધ્યસ્થ બેંકે મે 2022 થી રેપો રેટમાં અઢી ટકાનો વધારો કર્યો છે. દાસે જણાવ્યું હતું કે, આરબીઆઈને આગામી નાણાકીય સમીક્ષા બેઠકોમાં રેપો રેટ ન વધારવાના સૂચનો આવ્યા છે. પરંતુ તેમ કરવું તેમના હાથમાં નથી. તેમણે જણાવ્યું હતું કે, તે જમીનની સ્થિતિ પર નિર્ભર કરે છે. તે સમયે જે કંઈ થઈ રહ્યું છે, મારે તે પ્રમાણે નક્કી કરવાનું છે. એ જોવાનું રહેશે કે ટ્રેન્ડ શું છે. ફુગાવો વધી રહ્યો છે કે નરમ પડ્યો છે?

આરબીઆઈ ગવર્નરે જણાવ્યું કે, એપ્રિલની નાણાકીય સમીક્ષા દરમિયાન રેપો રેટમાં વધારા પર લગામ લગાવવાનો પ્રશ્ન છે તો તેને એક વિરામ તરીકે જ જોવું જોઈએ. તેમણે જણાવ્યું કે, છૂટક ફુગાવાનો દર સાધારણ થયો છે પરંતુ આ મોરચે શિથિલતાનો કોઈ અવકાશ નથી.

Related posts

Business: જૂની પેન્શન સ્કીમની પુનઃસ્થાપના પર નવું અપડેટ, હવે રેલવે કર્મચારીઓ કરશે આ કામ!

Ahmedabad Samay

સોનાના ભાવમાં ઘટાડો, શું કારણથી ઘટ્યા ભાવ, જાણો અત્યારે શું છે ભાવ

Ahmedabad Samay

ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે યુદ્ધવિરામની અસર શેરબજારમાં જોવા મળી, દિવાળી જેવો માહોલ

Ahmedabad Samay

’10 નવા એરક્રાફ્ટ અને 1000 કર્મચારીઓ’, વિસ્તારાના CEOએ જણાવ્યો એરલાઈનનો પ્લાન

Ahmedabad Samay

Google-Facebook-Tesla કંપનીમાં કરો ઇન્વેસ્ટ, ભારતમાં રહો અને યુએસ સ્ટોકબજારમાં કરો ઇન્વેસ્ટ, આ છે આસાન રસ્તો

Ahmedabad Samay

PPF Schemeમાં રૂપિયા રોકનારા ધ્યાન આપે: સરકારે નિયમોમાં કર્યા મોટા ફેરફાર! જાણો ક્યારે ઉપાડી શકો છો રૂપિયા?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો