July 4, 2026
Other

અબુ ધાબીના પ્રથમ હિન્‍દુ મંદિરનું વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના હસ્તે ઉદ્‍ઘાટન કર્યું

અક્ષર પુરૂષોત્તમ સ્‍વામિનારાયણ સંસ્‍થા (BAPS) મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ ચૂકી છે. ત્‍યારે હવે અબુ ધાબીના આ પ્રથમ હિન્‍દુ મંદિરમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી તેનું ઉદ્‍ઘાટન કરશે. આ ઉદ્‌ઘાટન પહેલાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.

વડાપ્રધાન મોદીના UAE પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન મોદી જે મંદિરનું ઉદ્ધાટન કરશે. તે મંદિરમાં ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સંપન્ન થઈ ચૂક્‍યો છે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી આજે વસંત પંચમીના દિવસે અબુધાબીમાં બોચાસણવાસી શ્રી અક્ષર પુરૂષોત્તમ સ્‍વામીનારાયણ સંસ્‍થા (BAPS)ના મંદિરનું ઉદઘાટન કરનારા છે. તેઓ મંગળવારે જ અબુધાબી પહોંચી ગયા છે. આ ભવ્‍ય મંદિરનું નિર્માણ રાજસ્‍થાનના ગુલાબી સેન્‍ડસ્‍ટોનમાંથી કરવામાં આવ્‍યું છે અને ૨૭ એકરમાં બનેલું આ ૧૦૮ ફૂટ ઊંચું મંદિર એક સ્‍થાપત્‍યની અજાયબી માનવામાં આવે છે.

અરબ અમીરાતમાં બીજાં ૩ મંદિરો પણ છે પરંતુ આ મંદિર પヘમિ એશિયાનું સૌથી મોટું મંદિર છે. આ મંદિર દુનિયાભરના હિન્‍દુઓ માટે આકર્ષણ કેન્‍દ્ર બની રહેશે. આ ભવ્‍ય મંદિરમાં ૭ શિખરો છે જે સાત અમીરાત દર્શાવે છે. ઉલ્લેખનીય તો તે છે કે આ મંદિર માટે એક ઈસ્‍લામીક દેશ યુએઈએ જમીન દાનમાં આપી છે. આ મંદિર ભારતીય વાસ્‍તુકલાનો અદ્‌ભૂત નમૂનો છે.

Related posts

મિશ્ર પ્રતિસાદ હોવા છતાં લાલ સલામને સારી હેડલાઇન્સ મેળવવામાં સફળ રહી

Ahmedabad Samay

મંગળ મજબૂત લાભ આપશે, આર્થિક સ્થિતિ મજબૂત થશે; ભાઈ-બહેન સાથે થઈ શકે છે વિવાદ

Ahmedabad Samay

ન્યાય અને જન કલ્યાણ અર્થે છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટના રાષ્ટ્રીય કાર્યાલયનો શ્રી સી.આર.પાટીલ દ્વારા ઉદ્ઘાટન કરાયું

Ahmedabad Samay

ગુજરાતના ખેડા જિલ્લામાં શિવ યાત્રા પર વિધર્મીઓ દ્વારા પથ્‍થરમારો કરવામાં આવ્‍યો

Ahmedabad Samay

રૂપાલની પલ્લી, આજ રોજ ગાંધીનગરના રુપાલ ગામે વરદાયિની માતાજીની પાલખી સાથે શોભાયાત્રા કાઢવામાં આવશે, વહેશે ઘીની નદીઓ

Ahmedabad Samay

ઓઢવ પોલીસ દ્વારા ઓઢવમાં એક ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે બાટલામાં રીફીલીંગ કરતા કામને ઝડપી પડ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો