May 10, 2026
Other

ગુજરાતના ખેડા જિલ્લામાં શિવ યાત્રા પર વિધર્મીઓ દ્વારા પથ્‍થરમારો કરવામાં આવ્‍યો

ગુજરાતના ખેડા જિલ્લામાં શિવ યાત્રા પર વિધર્મીઓ દ્વારા પથ્‍થરમારો કરવામાં આવ્‍યો હતો.ખેડાના થસરામાં આ પથ્‍થરમારાની ઘટના બાદ બે જૂથો વચ્‍ચે તણાવ વધી ગયો હતો, ત્‍યારબાદ પોલીસે વિવિધ વિસ્‍તારોમાં કોમ્‍બિંગ કર્યું હતું અને છ પથ્‍થરબાજો સહિત ૧૫ લોકોની ધરપકડ કરી હતી.

 

ઠાસરામાં શિવ યાત્રા દરમિયાન થયેલા પથ્‍થરમારા બાદ પોલીસે આ વિસ્‍તારમાં સુરક્ષા વ્‍યવસ્‍થા સઘન બનાવી દીધી છે. દરેક ખૂણે-ખૂણે પોલીસ તૈનાત છે. પોલીસે સંવેદનશીલ વિસ્‍તારોમાં ફ્‌લેગ માર્ચ પણ કાઢી હતી. આ ઉપરાંત પોલીસે પેટ્રોલીંગ પણ વધારી દીધું છે. આ ઘટનામાં ત્રણ પોલીસકર્મીઓ સહિત છ લોકો ઘાયલ થયા હતા, જેમને સારવાર સર્થે હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા હતા.

વિધર્મીઓને પથ્‍થરમારો કરવા કોણે ઉશ્‍કેર્યા તે જાણવા માટે પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. પત્‍થરો કયાંથી આવ્‍યા? શું આ ઘટના માટે પહેલેથી જ તૈયારી હતી? આ તમામ ઘટનાની પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવેલ છે. જો કે હવે આ વિસ્‍તારમાં શાંતિનો માહોલ છે.

આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્‍યો છે, જેમાં જોઈ શકાય છે કે એક સમુદાય એક ધાર્મિક સ્‍થળની ટોચ પર ઉભા રહીને પથ્‍થરમારો કરી રહ્યો છે, ત્‍યારબાદ બંને તરફથી પથ્‍થરમારો શરૂ થઈ ગયો છે. તે પછી, તે સાંકડી શેરીઓમાં પડેલા પથ્‍થરો જોઈ શકાય છે. આ જ વીડિયોમાં રસ્‍તા પર પડેલા ચપ્‍પલ પણ જોઈ શકાય છે, જ્‍યારે નાસભાગ મચી ત્‍યારે લોકો કઈ હાલતમાં દોડ્‍યા હતા તેનો અંદાજ પણ લગાવી શકાય છે.

Related posts

હિન્દૂ સેના દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન લાંભા વિસ્તારમાં નોનવેજ અને અન્ય માંસના વેચાણ કરવા પર વિરોધ વ્યક્ત કર્યો

Ahmedabad Samay

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર કચ્છ ભૂજ ના માધાપરમાં શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવની ઉત્સાહભેર તૈયારીઓ શરૂ

Ahmedabad Samay

ભાજપે કમાલ કરીને તૃણમુલના સર્વેસર્વો એવા મમતા બેનરજી પાસેથી સત્તાનું સિંહાસન છીનવી લીધું

Ahmedabad Samay

રાજસ્થાન હોસ્પિટલ, રાજસ્થાન સ્કૂલ, ઓસ્વાલ ભવન ના ચેરમેન શ્રી પૃથ્વીરાજ (P.R) કાકરીયાજીને અયોધ્યાથી આવેલ અક્ષત અપાયા

Ahmedabad Samay

સતત વધતી જતી મોંઘવારીને સરકાર નિયંત્રિત કરવામાં નિષ્‍ફળતાને કારણે મહિલાઓ માટે તેમનું ઘર ચલાવવાનું મુશ્‍કેલ બન્‍યું:જેનીબેન ઠુમર

Ahmedabad Samay

ગિરનાર મહાશિવરાત્રીનો ચાર દિવસીય મેળો આજે અંતિમ ચરણમાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો