November 18, 2025
Other

ગુજરાતના ખેડા જિલ્લામાં શિવ યાત્રા પર વિધર્મીઓ દ્વારા પથ્‍થરમારો કરવામાં આવ્‍યો

ગુજરાતના ખેડા જિલ્લામાં શિવ યાત્રા પર વિધર્મીઓ દ્વારા પથ્‍થરમારો કરવામાં આવ્‍યો હતો.ખેડાના થસરામાં આ પથ્‍થરમારાની ઘટના બાદ બે જૂથો વચ્‍ચે તણાવ વધી ગયો હતો, ત્‍યારબાદ પોલીસે વિવિધ વિસ્‍તારોમાં કોમ્‍બિંગ કર્યું હતું અને છ પથ્‍થરબાજો સહિત ૧૫ લોકોની ધરપકડ કરી હતી.

 

ઠાસરામાં શિવ યાત્રા દરમિયાન થયેલા પથ્‍થરમારા બાદ પોલીસે આ વિસ્‍તારમાં સુરક્ષા વ્‍યવસ્‍થા સઘન બનાવી દીધી છે. દરેક ખૂણે-ખૂણે પોલીસ તૈનાત છે. પોલીસે સંવેદનશીલ વિસ્‍તારોમાં ફ્‌લેગ માર્ચ પણ કાઢી હતી. આ ઉપરાંત પોલીસે પેટ્રોલીંગ પણ વધારી દીધું છે. આ ઘટનામાં ત્રણ પોલીસકર્મીઓ સહિત છ લોકો ઘાયલ થયા હતા, જેમને સારવાર સર્થે હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા હતા.

વિધર્મીઓને પથ્‍થરમારો કરવા કોણે ઉશ્‍કેર્યા તે જાણવા માટે પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. પત્‍થરો કયાંથી આવ્‍યા? શું આ ઘટના માટે પહેલેથી જ તૈયારી હતી? આ તમામ ઘટનાની પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવેલ છે. જો કે હવે આ વિસ્‍તારમાં શાંતિનો માહોલ છે.

આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્‍યો છે, જેમાં જોઈ શકાય છે કે એક સમુદાય એક ધાર્મિક સ્‍થળની ટોચ પર ઉભા રહીને પથ્‍થરમારો કરી રહ્યો છે, ત્‍યારબાદ બંને તરફથી પથ્‍થરમારો શરૂ થઈ ગયો છે. તે પછી, તે સાંકડી શેરીઓમાં પડેલા પથ્‍થરો જોઈ શકાય છે. આ જ વીડિયોમાં રસ્‍તા પર પડેલા ચપ્‍પલ પણ જોઈ શકાય છે, જ્‍યારે નાસભાગ મચી ત્‍યારે લોકો કઈ હાલતમાં દોડ્‍યા હતા તેનો અંદાજ પણ લગાવી શકાય છે.

Related posts

ચૂંટણી પરિણામ

Ahmedabad Samay

રચના રક્ષિત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 23 માર્ચ 2025 ના રોજ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

ગુજરાતની રાજનીતિમાં કાલે સૌથી મોટો દિવસ, ક્ષત્રિયાણીઓ આવતીકાલે ગાંધીનગર કમલમ ખાતે જૌહર કરશે

Ahmedabad Samay

ધનગર સમાજની મહિલા સરોજ સુરેશ પાલના ઘરમાં આગ લાગી હતી જેનેઅખિલ ભારતીય ધનગર સમાજ મહાસંઘ દ્વારા તેમનું ઘર ફરી સ્થાપિત કરવા અને જીવન જરુતિયાત સામગ્રી આપી સહાય કરી

Ahmedabad Samay

એકલી મહીલાઓને ધાર્મિક વાતોમાં ભેરવી મહીલાઓએ પહેરેલ સોનાના ઘરેણાં કઢાવી લઈ ઠગાઈ કરનાર બે ઈસમોને ગણતરીના કલાકોમાં પકડી પાડી ઓઢવ પોલીસે પ્રશંસનીય કાર્ય કર્યું

Ahmedabad Samay

ગિરનાર મહાશિવરાત્રીનો ચાર દિવસીય મેળો આજે અંતિમ ચરણમાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો