January 23, 2025
Other

ગુજરાતના ખેડા જિલ્લામાં શિવ યાત્રા પર વિધર્મીઓ દ્વારા પથ્‍થરમારો કરવામાં આવ્‍યો

ગુજરાતના ખેડા જિલ્લામાં શિવ યાત્રા પર વિધર્મીઓ દ્વારા પથ્‍થરમારો કરવામાં આવ્‍યો હતો.ખેડાના થસરામાં આ પથ્‍થરમારાની ઘટના બાદ બે જૂથો વચ્‍ચે તણાવ વધી ગયો હતો, ત્‍યારબાદ પોલીસે વિવિધ વિસ્‍તારોમાં કોમ્‍બિંગ કર્યું હતું અને છ પથ્‍થરબાજો સહિત ૧૫ લોકોની ધરપકડ કરી હતી.

 

ઠાસરામાં શિવ યાત્રા દરમિયાન થયેલા પથ્‍થરમારા બાદ પોલીસે આ વિસ્‍તારમાં સુરક્ષા વ્‍યવસ્‍થા સઘન બનાવી દીધી છે. દરેક ખૂણે-ખૂણે પોલીસ તૈનાત છે. પોલીસે સંવેદનશીલ વિસ્‍તારોમાં ફ્‌લેગ માર્ચ પણ કાઢી હતી. આ ઉપરાંત પોલીસે પેટ્રોલીંગ પણ વધારી દીધું છે. આ ઘટનામાં ત્રણ પોલીસકર્મીઓ સહિત છ લોકો ઘાયલ થયા હતા, જેમને સારવાર સર્થે હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા હતા.

વિધર્મીઓને પથ્‍થરમારો કરવા કોણે ઉશ્‍કેર્યા તે જાણવા માટે પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. પત્‍થરો કયાંથી આવ્‍યા? શું આ ઘટના માટે પહેલેથી જ તૈયારી હતી? આ તમામ ઘટનાની પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવેલ છે. જો કે હવે આ વિસ્‍તારમાં શાંતિનો માહોલ છે.

આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્‍યો છે, જેમાં જોઈ શકાય છે કે એક સમુદાય એક ધાર્મિક સ્‍થળની ટોચ પર ઉભા રહીને પથ્‍થરમારો કરી રહ્યો છે, ત્‍યારબાદ બંને તરફથી પથ્‍થરમારો શરૂ થઈ ગયો છે. તે પછી, તે સાંકડી શેરીઓમાં પડેલા પથ્‍થરો જોઈ શકાય છે. આ જ વીડિયોમાં રસ્‍તા પર પડેલા ચપ્‍પલ પણ જોઈ શકાય છે, જ્‍યારે નાસભાગ મચી ત્‍યારે લોકો કઈ હાલતમાં દોડ્‍યા હતા તેનો અંદાજ પણ લગાવી શકાય છે.

Related posts

શહેરના તમામ બાગ-બગીચાઓ આગામી આદેશ સુધી બંધ રાખવા નિર્ણય

Ahmedabad Samay

શ્રી પૂજ્ય તનસિંહજી જન્મ શતાબ્દિ વર્ષ અને શ્રી ક્ષત્રિય યુવક સંઘ ના ૭૮ માં સ્થાપના દિન ઉજવણી અંગે બેઠક યોજાઇ

Ahmedabad Samay

રાજ્યમાં 8 લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા –રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

Ahmedabad Samay

રાજસ્થાન યુવા મંચ દ્વારા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સ્વ. શ્રી સુખદેવસિંહ ગોગામેડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Ahmedabad Samay

GIFA ૨૦૨૩ નો જાજરમાન જલસો ભવ્ય સફળતા સાથે કર્ણાવતી યુનિવર્સિટી ખાતે ઉજવાયો

Ahmedabad Samay

નાગલધામ પરિવાર દ્વારા અંબાજી ગિયોડ જતા પદયાત્રી માટે સેવા કેમ્પ અને લોકડાયરા નુ આયોજનકરાયું હતું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો