May 7, 2026
ગુજરાત

અમદાવાદમાં રખડતા ઢોર મામલે એક વર્ષમાં 251 એફઆઈઆર નોંધવામાં આવી

અમદાવાદમાં રખડતા ઢોરનો ત્રાસ સતત જોવા મળી રહ્યો છે. ત્યારે રખડતા ઢોરના મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને લઈને કોર્પોરેશનમાં જવાબ સરકાર તરફથી રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં 2022-23ના વર્ષ દરમિયાનટ 251 એફઆઈઆર નોંધવામાં આવી છે.

અગાઉ ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોર મામલે થયેલી અત્યાર સુધીની કામગિરી મામલે સોંગદનામું રજૂ કરવા માટે આદેશ આપ્યો હતો ત્યારે આ મામલે કેટલીક વિગતો સામે આવી છે.

સોંગદનામામાં 8 સ્થળ હોટસ્પોટ તરીકે દર્શાવાયા
2022-23માં 251 એફઆઈઆર નોંધાઈ
1951 લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ
12966 ફોટો પરથી કરાઈ રહી છે કાર્યવાહી-સરકાર
ઢોર છુટા મુકનાર 1985 સામે પાસા

અમદાવાદમાં રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટનું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં સોંગદનામામાં 8 સ્થળ હોટસ્પોટ તરીકે દર્શાવાયા છે.  આ ઉપરાંત 1951 લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં 12,966 ફોટો પરથી કાર્યવાહી સરકાર દ્વારા કરાઈ રહી છે.

આ સાથે સોગંદનામામાં વધુ ઉલ્લેખ કરતા જણાવાયું હતું કે, સીએનસીડીના સ્ટાફને પોલીસ રક્ષણ ફાળવાયું છે. ઢોર છુટા મુકનાર 1985 સામે પાસા હેટળ પણ કાર્યવાહી કરવામાં આવી છે. છેવટે રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટની ટકોર બાદ સોગંદનામું જાહેર કરાયું હતું. ગુજરાત હાઈકોર્ટે અગાઉ લગાવેલીટ ફટકાર બાદ રખડતા ઢોર પકડવાની કામગિરી કોર્પોરેશન દ્વારા તેજ કરવામાં આવી હતી. જે મામલે આગામી સમયમાં પણ આ કાર્યવાહી ચાલું રાખવામાં આવી રહી છે.

Related posts

જાન્યુઆરી ૨૦૨૬માં ભારતનો છૂટક ફુગાવો ૨.૭૫ ટકા રહ્યો છે. જાણો શુ થશે તેની અસર

Ahmedabad Samay

અમદાવાદ એર ઇન્ડિયા AI171 પ્લેન દુર્ઘટનામાં Ex. એર ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ લિમિટેડ ના કર્મચારી પણ થયા ઘાયલ, રિટાયર્ડ થયા બાદ પણ કંપનીએ સાથન છોડ્યો 

Ahmedabad Samay

અમદાવાદમાં બીએમડબલ્યુ હિટ એન્ડ રન કેસ મામલે સત્યમ શર્માની ક્રાઈમ કુંડળી આવી સામે

Ahmedabad Samay

ગણેશ ચતુર્થીથી શરૂ થયેલ ૧૧ દિવસીય ગણેશ મહોત્‍સવનું આજે સમાપન થયુ, નિકોલ ચા રાજાના વાજતે ગાજતે વિસર્જન કરાયા

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં અશોકભાઈ રાવલની વિશેષ ઉપસ્થિતમાં રામ મંદિર નિધિ સમર્પણનો કાર્યક્રમ યોજાયો.

Ahmedabad Samay

ફરજિયાત લાયસન્સ, પશુઓની નોંધણી; AMCની રખડતા ઢોર માટે નવી નીતિ દરખાસ્ત

admin

એક ટિપ્પણી મૂકો