શુક્રવારે દિલ્હી અને બોમ્બે હાઈકોર્ટને એક ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી જેનાથી ભારે હોબાળો મચી ગયો હતો. દિલ્હી પછી, બોમ્બે હાઈકોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. બંને કોર્ટને એકસાથે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. દિલ્હી પોલીસે આ મામલે સાવચેતીનાં પગલાં લીધાં છે અને કોર્ટ ખાલી કરાવી દીધી છે. આ ઈમેલ શુક્રવારે સવારે મળ્યો હતો. દિલ્હી હાઈકોર્ટને મળેલા ઈમેલમાં સ્પષ્ટપણે લખ્યું હતું કે પવિત્ર શુક્રવારના વિસ્ફોટો માટે પાકિસ્તાન-તમિલનાડુની સંડોવણી છેૅ અને બપોરે ૨ વાગ્યા સુધીમાં પરિસર ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી હતી.
વકીલો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નો પર, ઘણા ન્યાયાધીશોના કોર્ટ સ્ટાફે માહિતી આપી હતી કે ન્યાયાધીશો આજે બેસશે નહીં. આ પછી, તમામ કેસોમાં નવી તારીખો આપવામાં આવી હતી. હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ અરુણ ભારદ્વાજને આજે સવારે ૧૦:૪૧ વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેલ મળ્યો હતો. આ પછી, ન્યાયાધીશો તેમની કોર્ટમાંથી ઉભા થઈ ગયા. આ પછી તરત જ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ હાઈકોર્ટ પરિસરમાં પહોંચી ગઈ.
ઈમેલમાં એક મોબાઈલ નંબરનો પણ ઉલ્લેખ છે : શંકાસ્પદ મેઇલ મળ્યા બાદ, કોર્ટ વહીવટીતંત્ર અને સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. હાલમાં, સાયબર સેલ ટીમ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ધમકીભર્યો મેઇલ કયાંથી મોકલવામાં આવ્યો હતો અને તેની પાછળ કોણ કોણ સામેલ છે.
ઇમેઇલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે એક વ્યક્તિએ પાકિસ્તાનની ISIનો સંપર્ક કર્યો છે અને ૧૯૯૮માં પટણામાં થયેલા વિસ્ફોટોનું પુનરાવર્તન કરવાનું કાવતરું ઘડ્યું છે. રાજકીય નેતાઓ અને RSS વિશે પણ વાંધાજનક વાતો લખવામાં આવી છે. આ સાથે, મોબાઇલ નંબર અને કથિત IED ડિવાઇસ વિશે પણ માહિતી આપવામાં આવી છે.
ઇમેઇલમાં કઈ ધમકીઓ આપવામાં આવી હતી? : ઇમેઇલમાં રાજકીય પક્ષો પર વંશીય રાજકારણ અને ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, મૂળભૂત આધાર એ છે કે ધર્મનિરપેક્ષ પક્ષો પારિવારિક વંશીય રાજકારણ પર આધાર રાખે છે અને ભાજપ-RSS સામે લડવા માટે ભ્રષ્ટાચારને ખીલવા દે છે. જ્યારે તેમના ઉત્તરાધિકારીઓ (રાહુલ ગાંધી, ઉદયનિધિ) ને સત્તામાંથી રોકવામાં આવે છે, ત્યારે તેઓ RSS સામે લડવામાં રસ ગુમાવે છે. મેઇલમાં એક ફોન નંબર અને સત્યભામા સેંગોટૈયન નામના વ્યક્તિનું નામ પણ આપવામાં આવ્યું હતું.
ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે, અમે ડીએમકેની કમાન ડૉ. એઝિલન નાગનાથનને સોંપવાનો પ્રસ્તાવ મૂકીએ છીએ અને આ અઠવાડિયે ઉદયનિધિ સ્ટાલિનના પુત્ર ઇન્બાનિધિ ઉદયનિધિને એસિડથી બાળી નાખવામાં આવશે. ગુપ્તચર એજન્સીઓને ખ્યાલ પણ નહીં આવે કે આ એક આંતરિક કાવતરું છે. આ પવિત્ર શુક્રવારે, ઇસ્લામિક બપોરની નમાજ પછી તરત જ, દિલ્હી હાઈકોર્ટના જજ ચેમ્બરમાં વિસ્ફોટ થશે.(
